રોહિત શર્માએ જે કહ્યું હતું, હવે આ તે ટીમ નથી...પહેલી જ મેચમાં ભારતે કરી બતાવ્યુ

ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઈનલ કોણ ભૂલી શકે? ભારતે 6 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ટીમનો દાવ 158 રન પર સમેટાઈ ગયો હતો. 2019 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં, ભારતે 5 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી અને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું. 2021ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. 2023ના વર્લ્ડ કપમાં ફરી એકવાર ભારતના ટોપ ઓર્ડર બેટ્સમેન સસ્તામાં આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયા સામે ભારતનો સ્કોર 2 રનમાં 3 વિકેટે હતો. પરંતુ અહીંથી મુશ્કેલ વિકેટ પર ભારતે 6 વિકેટે મેચ જીતી લીધી હતી.

ભારતની જીત પછી કેપ્ટન રોહિત શર્માનું સંપૂર્ણ નિવેદન વાયરલ થઈ રહ્યું છે. ડિસેમ્બર 2021માં, રોહિતને પૂછવામાં આવ્યું કે, તે આગળ જતા આનો સામનો કેવી રીતે કરશે. તેના પર રોહિતે કહ્યું હતું કે, હું ધ્યાન રાખીશ કે અમે આવી પરિસ્થિતિઓ માટે તૈયાર રહીએ. હું કહી શકું છું કે અમે શરૂઆતના તબક્કામાં જ મેચ હારી જતા હતા. તેથી તે કંઈક એવું છે, જે હું ધ્યાનમાં રાખીશ અને જોઇશ કે અમે સૌથી ખરાબ માટે પણ તૈયાર રહીએ. ટીમનો સ્કોર 3 વિકેટે 10 રન હોય ત્યારે અમારે તે રીતની તૈયારી કરવી પડશે. આ રીતે હું આગળ વધવા માંગુ છું અને 3, 4, 5, 6 નંબર પર બેટિંગ કરી રહેલા ખેલાડીઓને આ સંદેશ આપવા માંગુ છું. એવું ક્યાંય લખ્યું નથી કે, જો તમે 10 રનમાં 2 કે 3 વિકેટ ગુમાવો છો તો તમે 180-190 (T20માં) સુધી પહોંચી શકશો નહીં.

ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપ 2023ની પહેલી જ મેચમાં આવી સ્થિતિ સર્જાઈ હતી, જેમાં કેપ્ટન રોહિત શર્માની સાથે ઈશાન કિશન અને શ્રેયસ અય્યર ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયા હતા. આ પછી એવું લાગી રહ્યું હતું કે ભારત માટે જીત મુશ્કેલ છે. પરંતુ વિરાટ કોહલી અને KL રાહુલે સૌથી પહેલા ક્રીઝ પર નજર રાખી હતી. પ્રથમ 10 ઓવરમાં ટીમનો સ્કોર માત્ર 27 રન હતો. પરંતુ સેટ થયા પછી તેઓએ ખુલીને શોટ રમ્યા અને ટીમને જીત તરફ દોરી.

રોહિત શર્માએ મેચ પછી આપેલા ઈન્ટરવ્યુમાં ટીમના ફિલ્ડરોની સૌથી વધુ પ્રશંસા કરી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાને 199 રન સુધી મર્યાદિત રાખવા માટે બોલરોની પણ પ્રશંસા કરવામાં આવી હતી. રોહિતે કહ્યું, 'વર્લ્ડ કપની આ રીતે શરૂઆત કરવી ખૂબ જ સારી વાત છે. અમે શાનદાર ફિલ્ડિંગ કરી હતી. અમે તે ક્ષેત્રમાં ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ. અમારા ખેલાડીઓએ આ સ્થિતિનો ઘણો ફાયદો ઉઠાવ્યો. અમારા બોલરોએ પરિસ્થિતિઓનો ખૂબ સારી રીતે ઉપયોગ કર્યો અને અમે જાણતા હતા કે દરેકને મદદ મળશે, ઝડપી બોલરોને પણ રિવર્સ મળ્યું, સ્પિનરોએ પીચના સારા એરિયામાં બોલિંગ કરી અને એકંદરે તે એક મહાન પ્રયાસ હતો.

Top News

આવકવેરા વિભાગે ITR ફાઇલિંગમાં પગારદાર વર્ગ માટે કર્યા આ 7 ફેરફારો

આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2024-25 (AY 2025-26)ની આવકની જાણ કરવા માટે ITR ચકાસણી નિયમોમાં ફેરફાર કર્યા છે. અત્યાર સુધી...
Business 
આવકવેરા વિભાગે ITR ફાઇલિંગમાં પગારદાર વર્ગ માટે કર્યા આ 7 ફેરફારો

રાજકોટની રિક્ષા ગેંગ, ઉલટી થાય એવું નાટક કરીને મોટો ખેલ કરતા, ઝડપાયા

રાજકોટ શહેરમાં પેસેન્જર બની ઉલટી-ઉબકાનું નાટક કરીને રિક્ષામાં મુસાફરોના ખિસ્સામાંથી નાણાં ચોરતી ગેંગનો પર્દાફાશ થયો છે. માલવીયાનગર પોલીસે પીડીએમ કોલેજ...
Gujarat 
રાજકોટની રિક્ષા ગેંગ, ઉલટી થાય એવું નાટક કરીને મોટો ખેલ કરતા, ઝડપાયા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 05-06-2025 દિવસ: ગુરુવાર મેષ:  તમારે મની ટ્રાન્સફરની લેવડદેવડ સાવધાનીથી કરવી પડશે.  તમને કોઈપણ સરકારી યોજનામાં રોકાણ કરવાની તક મળશે....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જાતિગત વસતી ગણતરી ક્યારે થશે? સરકારે જાહેર કરી દીધી તારીખ

દેશની વસ્તી ગણતરી અને જાતિગત ગણતરીની લાંબા સમયથી પડતર પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે 1 માર્ચ, 2027...
Governance 
જાતિગત વસતી ગણતરી ક્યારે થશે? સરકારે જાહેર કરી દીધી તારીખ
Copyright (c) Khabarchhe All Rights Reserved.