આર.પી. સિંહે ઉમરાન મલિકની સૌથી મોટી નબળાઈ બાબતે જણાવ્યું

ભારતીય ટીમના પર્વ ફાસ્ટ બોલર આર.પી. સિંહે યુવા ફાસ્ટ બોલર ઉમરાન મલિકને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. આર.પી. સિંહે જણાવ્યું કે, ઉમરાન મલિક કેમ અત્યાર સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એટલું વધારે પ્રભાવિત કરી શક્યો નથી. તેની પાછળ આર.પી. સિંહે મોટું કારણ બતાવ્યું છે. તેણે કહ્યું કે, ઉમરાન મલિક પાસે પેસ તો છે, પરંતુ તેની પાસે એ સ્કિલ નથી. ઉમરાન મલિકને વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ વન-ડે સીરિઝની પહેલી બંને જ મેચોમાં રમાડવામાં આવ્યો હતો.

પહેલી મેચમાં તેને માત્ર 3 જ ઓવરમાં બોલિંગ કરવાનો ચાંસ મળ્યો હતો. જેમાં તેણે 17 રન આપ્યા હતા. ત્યારબાદ બીજી મેચમાં તેને માત્ર 3 જ ઓવર બોલિંગનો ચાંસ મળ્યો હતો. 27 રન આપી દીધા. અત્યાર સુધી ઇન્ટરનેશનલ મેચમાં ઉમરાન મલિકનું પ્રદર્શન એવું રહ્યું નથી, જેટલી તેની પાસે આશા રાખવામાં આવી રહી છે. આર.પી. સિંહે તેને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે.

એક રિપોર્ટ મુજબ તેણે કહ્યું કે, ‘હું અત્યારે પણ એ જ કહીશ કે ઉમરાન મલિકનું સૌથી મોટું એડવાન્ટેજ તેની પેસ છે, પરંતુ સ્કિલ તેનો પ્રોબ્લેમ છે. બોલિંગમાં એટલું વધારે મૂવમેન્ટ નથી અને જે હિસાબથી તે પોતાની ગેમની પ્લાનિંગ કરે છે, તેમાં સુધાર થવો જોઈએ. એ સિવાય તમારે બેટ્સમેનોને સેટ કરવા પડશે, જેટલું જલદી ઉમરાન મલિકે શીખવું જોઈતું હતું. તે એટલી જલદી ન શીખ્યો. તેણે સતત રન ખર્ચ કર્યા છે અને એ એક મોટો ચિંતાનો વિષય છે.

એટલે ભારતીય ટીમને ખબર હોવી જોઈએ કે ઉમરાન મલિકને ક્યારે અને ક્યાં યુઝ કરવાનો છે. આરપી સિંહે આગળ કહ્યું કે, ઉમરાન મલિક અત્યારે વર્લ્ડ કપ લૂપમાં બન્યો રહેશે. તમે કોઈ ખેલાડીને માત્ર એક મેચ રમાડીને ડેવલપ નહીં કરી શકો. તેના માટે તેને સતત અવસર આપવો પડશે. જો મેનેજમેન્ટને લાગે છે કે ઉમરાન મલિક ફ્યૂચર છે તો પછી તેના પર ભરોસો વ્યક્ત કરવો જોઈએ અને તેને પૉલીસ કરવો જોઈએ.

આર.પી. સિંહે Jio સિનેમા દ્વારા આયોજિત વાતચીત દરમિયાન કહ્યું કે, સૂર્યકુમારે અત્યાર સુધી વન-ડે ક્રિકેટમાં પોતાની છાપ છોડી નથી, પરંતુ જે પ્રકારે તે બેટિંગ કરી રહ્યો છે અને જે પ્રકારનો બેટ્સમેન છે, તે નંબર 4 કે પાંચ માટે એક સારો વિકલ્પ હોય શકે છે. પ્રમુખ ટૂર્નામેન્ટથી અગાઉ તમારી પાસે હંમેશાં વિકલ્પ હોવો જોઈએ. T20 ક્રિકેટમાં તેના હાલના ફોર્મ ખૂબ સારું રહ્યું છે, વન-ડે ફોર્મેટ અલગ છે કેમ કે તમારી પાસે (સામનો કરવા માટે) વધુ સંખ્યામાં બૉલ હોય છે. આ કારણે તેણે પોતાની યોજનામાં બદલાવ કરવો પડશે.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.