ગંભીરે ઈંગ્લેન્ડની મેચમાં એવી વાત કરી દીધી કે ધોનીના ફેન્સ થયા ગુસ્સે, જુઓ Video

ગૌતમ ગંભીર તેના બેબાક નિવેદનો માટે જાણીતો છે. મોટેભાગે તે તેના આ રીતના નિવેદનોને લીધે ટ્રોલ પણ થાય છે. ફરી એકવાર ગૌતમ ગંભીરે કંઇક એવું કહી દીધું કે ત્યાર પછી ધોનીના ફેન્સ તેનાથી નારાજ ચાલી રહ્યા છે. થયું એવું કે, ગૌતમ ગંભીર ઈંગ્લેન્ડ અને શ્રીલંકાની મેચમાં કમેન્ટ્રી કરી રહ્યો હતો અને ઈંગ્લીશ ખેલાડીઓની સ્થિતિ જોઇ તેણે ઈશારામાં ધોની અને તેના ફેન્સ પર નિશાનો સાધી દીધો.

ગંભીરે કમેન્ટ્રી દરમિયાન કહ્યું કે, ઈંગ્લેન્ડની આ સ્થિતિ એ લોકોને જવાબ છે જેઓ એવું માને છે કે કેપ્ટન જ વર્લ્ડ કપ જીતાડે છે. ગંભીરે કહ્યું કે, ઈંગ્લેન્ડના કેપ્ટન એકલા હાથે વર્લ્ડ કપ જીતાડી શકતા હતા પણ કેમ જીતી રહ્યા નથી? એવી એટલા માટે કારણ કે તેમની ટીમ સારું રમી રહી નથી. ઈંગ્લેન્ડના બેટ્સમેનો રન બનાવી રહ્યા નથી. તેમના બોલરો વિકેટ નથી લઇ રહ્યા. ટૂર્નામેન્ટ જીતવાનો શ્રેય માત્ર એક જ વ્યક્તિને જશે તો પછી બાકી 14 ખેલાડીઓ પર શું વિતશે? ગંભીરે આ વાત એ લોકોને કહી છે જેઓ હંમેશા એવું કહે છે કે, ધોનીની કેપ્ટન્સીના કારણે ભારત 2011માં વર્લ્ડ કપ જીત્યું હતું.

ધોનીના ફેન્સ નાખુશ

ગૌતમ ગંભીરની આ વાત સાંભળી ધોનીના ફેન્સ ફરી એકવાર ગંભીરથી નારાજ થઇ ગયા છે. એક વ્યક્તિએ તો ગંભીરને ક્રેડિટનો ભૂખ્યો કહી દીધો. જોકે, જોવા જઇએ તો ગૌતમ ગંભીરની વાત સાચી છે. ક્રિકેટ એક ટીમ ગઇમ છે અને તેમાં દરેક ખેલાડીઓનો ફાળો હોય છે. એ જરૂર છે કે કેપ્ટન પોતાની ટીમને એક દિશા આપે છે અને એક પ્લાન પર ચાલીને પ્રેરિત કરે છે.

ખેર, ગૌતમ ગંભીરે બાબર આઝમને લઇ પણ એક મોટી વાત કહી છે. ગંભીરે કહ્યું કે, સતત ફ્લોપ થઇ રહેલા બાબર આઝમ હજુ પણ વર્લ્ડ કપમાં 3-4 સદી લગાવી શકે છે. જણાવીએ કે, વર્લ્ડ કપ શરૂ થતા પહેલા ગંભીરે કહ્યું હતું કે, બાબર આઝમ વર્લ્ડ કપ 2023માં 3-4 સદી લગાવશે પણ બાબર આઝમ માટે આ ટૂર્નામેન્ટમાં રન બનાવવા અઘરા લાગી રહ્યા છે. તે ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. જોકે, ગૌતમ ગંભીર હજુ પણ તેના આ નિવેદન પર કાયમ છે.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.