કેપ્ટનશીપ કેમ કરવી તે ગિલ નથી જાણતો, હું કેપ્ટન ન બનાવું, અમિત મિશ્રાનું નિવેદન

ICC T20 વર્લ્ડ કપ પછી જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ ત્યારે કેપ્ટનશિપની જવાબદારી શુભમન ગિલને આપવામાં આવી હતી. પ્રથમ મેચમાં હાર પછી ટીમે જોરદાર વાપસી કરી હતી અને શ્રેણી 4-1થી જીતી લીધી હતી. આ પ્રવાસ પછી ભવિષ્યમાં શુભમનને કેપ્ટન બનાવવાની જોરદાર ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન પૂર્વ સ્પિનર અમિત મિશ્રાના નિવેદને હલચલ મચાવી દીધી છે. તેણે કહ્યું કે શુભમન કેપ્ટનશીપ જાણતો નથી અને તેને તેના વિશે કોઈ જાણકારી પણ નથી.

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી T20 શ્રેણી ઘણી રીતે યાદગાર રહી. ICC T20 વર્લ્ડ કપ રમ્યા પછી ભારતે તેની પ્રથમ શ્રેણી રમી અને મોટી જીત નોંધાવી. પસંદગીકારોએ યુવા ટીમને ઝિમ્બાબ્વેના પ્રવાસે મોકલી હતી. શુભમન ગિલને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ભારતે પ્રથમ મેચ હારી અને પછી સતત ચાર જીત સાથે શ્રેણી જીતી લીધી. શુભમન ગિલની કેપ્ટનશીપને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.

શુભંકર સાથે વાત કરતા અમિત મિશ્રાએ કહ્યું, 'હું ક્યારેય પણ શુભમન ગિલને ટીમનો કેપ્ટન નહીં બનાવીશ. મેં તેને IPLમાં જોયો છે અને તેને કેપ્ટનશીપ કેવી રીતે કરવી તેની કોઈ જાણકારી નથી. તેને કેપ્ટનશિપનો કોઈ ખ્યાલ પણ નથી. આ પહેલા તેણે ક્યારેય કેપ્ટનશિપ કરી પણ ન હતી.'

અમિત મિશ્રાએ વધુમાં કહ્યું, 'જુઓ, તે સમયે હાર્દિકે ટીમ છોડી દીધી હતી. ગુજરાત પાસે રાશિદ ખાન સિવાય અન્ય કોઈ ખેલાડી ન હતો કે જેને કેપ્ટન બનાવવામાં આવે. મને લાગે છે કે ગુજરાત મેનેજમેન્ટે મજબૂરીમાં શુભમનને કેપ્ટન બનાવ્યો હતો. મેં તેને કેપ્ટન્સી કરતા જોયો છે, મને નથી લાગતું કે તે કેપ્ટનશીપ કરવા સક્ષમ છે, મને વિશ્વાસ નથી કે તે ભારતનો કેપ્ટન બની શકે.' હવે અમિત મિશ્રાએ ગિલની કેપ્ટન્સી પર સવાલ ઉઠાવીને ફેન્સમાં ચોક્કસથી હેડલાઈન્સ બનાવી છે. મિશ્રાનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

શુભમન ગિલને કેપ્ટન બનાવવા અંગેના સવાલના જવાબમાં અમિત મિશ્રાએ જે પણ કહ્યું તે ચોંકાવનારું હતું. તેણે KL રાહુલ વિશે પણ વાત કરી અને સ્પષ્ટ કર્યું કે લખનઉ સુપર જાયન્ટ્સ ટીમ તેને આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝનમાં કેપ્ટનશિપ પરથી હટાવી શકે છે. KL રાહુલ કરતા સારા કેપ્ટનની શોધ કરવામાં આવી રહી છે.

About The Author

Related Posts

Top News

એપલ સાથે તીવ્ર સ્પર્ધા માટે ગૂગલની તૈયારી, લાવી રહ્યું છે એક નવું પ્લેટફોર્મ, એન્ડ્રોઇડ અને ક્રોમOS મર્જ થઇ જશે

ગુગલ એક મોટી યોજના તૈયાર કરી રહ્યું છે અને આગામી દિવસોમાં એન્ડ્રોઇડ અને ક્રોમOSને જોડીને એક શક્તિશાળી સિંગલ...
Tech and Auto 
એપલ સાથે તીવ્ર સ્પર્ધા માટે ગૂગલની તૈયારી, લાવી રહ્યું છે એક નવું પ્લેટફોર્મ, એન્ડ્રોઇડ અને ક્રોમOS મર્જ થઇ જશે

ટેસ્લા મોડેલ Y ભારતમાં 60 લાખમાં થશે ઉપલબ્ધ, જાણો અન્ય દેશોમાં તે કેટલી કિંમતમાં વેચાય છે

આખરે, વિશ્વની લોકપ્રિય ઇલેક્ટ્રિક વાહન કંપની ટેસ્લાએ સત્તાવાર રીતે ભારતમાં પગ મૂક્યો છે. ટેસ્લાએ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (...
Tech and Auto 
ટેસ્લા મોડેલ Y ભારતમાં 60 લાખમાં થશે ઉપલબ્ધ, જાણો અન્ય દેશોમાં તે કેટલી કિંમતમાં વેચાય છે

રેલવેના ડબ્બામાં 75 સીટ અને 400 મુસાફરો, હવે આ નહીં ચાલે... ભીડ ઘટાડવા જનરલ કોચ માટે ફક્ત 150 ટિકિટ જ અપાશે!

લોકોની મુસાફરીને સરળ બનાવવા માટે રેલ્વે સતત ફેરફારો કરી રહ્યું છે. આ અંતર્ગત, છેલ્લા કેટલાક દિવસોમાં રેલ્વેએ ઘણા મોટા...
Business 
રેલવેના ડબ્બામાં 75 સીટ અને 400 મુસાફરો, હવે આ નહીં ચાલે... ભીડ ઘટાડવા જનરલ કોચ માટે ફક્ત 150 ટિકિટ જ અપાશે!

દિલ્હી હાઈકોર્ટે 'ઉદયપુર ફાઇલ્સ' પર સ્ટે મૂક્યો, નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટનો કર્યો સંપર્ક

2022નો ચર્ચિત કન્હૈયા લાલ હત્યા કેસ પર આધારિત ક્રાઈમ ડ્રામા થ્રિલર ફિલ્મ 'ઉદયપુર ફાઇલ્સ' આજકાલ તેના સંવેદનશીલ વિષયોને કારણે સમાચારમાં...
National 
 દિલ્હી હાઈકોર્ટે 'ઉદયપુર ફાઇલ્સ' પર સ્ટે મૂક્યો, નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટનો કર્યો સંપર્ક
Copyright (c) Khabarchhe All Rights Reserved.