ઈડન ગાર્ડન્સમાં કોમેન્ટ્રી માટે હર્ષા ભોગલે પર લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ? કોલકાતા મેચમાંથી ગાયબ રહેવા પર કોમેન્ટેટરે તોડ્યું મૌન

પ્રખ્યાત કોમેન્ટેટર હર્ષા ભોગલેએ એવી અટકળોને નકારી કાઢી છે કે તેમને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ની ફરિયાદને કારણે સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચેની IPL મેચથી દૂર રાખવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, તેમને કોલકાતામાં માત્ર 2 મેચ માટે જ પેનલમાં સામેલ કરવામાં આવ્યા હતા, જે સમાપ્ત થઈ ચૂકી છે.

harsha-bhogle1
livemint.com

 

ભોગલેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી કે, તેમને લઈને કેટલાક અનુચિત નિષ્કર્ષ કાઢવામાં આવી રહ્યા છે કે હું ગઈકાલની મેચ માટે કોલકાતામાં કેમ નહોતો? સીધા શબ્દોમાં કહીએ તો, હું તે મેચોની લિસ્ટમાં નહોતો, જેમાં મારે કોમેન્ટ્રી કરવાની હતી. મને પૂછવાથી સમાધાન થઈ જતું, ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં રોસ્ટર તૈયાર કરી લેવામાં આવે છે. મને કોલકાતામાં 2 મેચ માટે પસંદ કરવામાં આવ્યો હતો. હું પહેલી મેચ માટે ત્યાં હતો અને પરિવારના સભ્યની બીમારીને કારણે બીજી મેચ માટે પહોંચી શક્યો નહોતો.

ભોગલે અને ડૂલ એ સમયે વિવાદમાં ફસાઈ ગયા, જ્યારે ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટરે કહ્યું હતું કે જો ક્યૂરેટર સ્પિનર-ફ્રેન્ડલી પીચ માટે ટીમના અનુરોધ પર ધ્યાન આપતા નથી, તો KKRએ પોતાની ફ્રેન્ચાઇઝીને સ્થળાંતરીત કરી દેવી જોઈએ. જ્યારે ભોગલેએ કહ્યું હતું કે, ટીમને ઘરઆંગણે ફાયદો મળવો જોઈએ. KKRએ પોતાની પહેલી 3 ઘરેલુ મેચમાથી 2માં હાર મળ્યા બાદ એક વેબસાઇટ પર પેનલ ચર્ચા દરમિયાન આ ઘટના બની. ત્યારબાદ, પોતાના ક્યૂરેટરની સાર્વજનિક નિંદા પર સખત આપત્તિ દર્શાવતા, ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)એ બંને ક્રિકેટ વિશેષજ્ઞને ચેતવણી આપી અને BCCIને અનુરોધ કર્યો છે કે તેમને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની હોમ મેચો માટે કોમેન્ટ્રીની જવાબદારી સોપવામાં ન આવે.

harsha-bhogle
BCCI

 

તેમની ટિપ્પણીઓથી નારાજ, CAB સચિવ નરેશ ઓઝાએ લગભગ 10 દિવસ અગાઉ BCCIને પત્ર લખીને ભોગલે અને ડૂલને તેમના ઘરેલુ મેચોની કોમેન્ટ્રી પેનલમાંથી હટાવવાનો અનુરોધ કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે, સોમવારે KKR અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન ભોગલે કે ડૂલ બંને કોમેન્ટ્રી પર નહોતા. CABના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભોગલે અને ડૂલ હવે KKRની ઘરેલૂ મેચો માટે IPL કોમેન્ટ્રી ટીમનો હિસ્સો નથી. જોકે, 23 અને 25 મેના રોજ ઇડન ગાર્ડન્સમાં ક્વોલિફાયર 2 અને ફાઇનલ થવા પર સ્થિતિ બદલાઈ શકે છે.

About The Author

Related Posts

Top News

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત...
Opinion 
બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક

હવામાન ચેતવણી: દેશમાં 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આગામી 7 દિવસ વરસાદ અને કરાની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, માર્ચ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે. હાલમાં દેશના અલગ-અલગ ભાગોમાં 4 સાયક્લોનિક...
Gujarat 
હવામાન ચેતવણી: દેશમાં 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આગામી 7 દિવસ વરસાદ અને કરાની આગાહી

સુભાષ બ્રિજના સ્પાન તોડી પડાશે, 1 એપ્રિલ-15 જૂન સુધીમાં વાસણા બેરેજ ખાલી કરવાની અપાઇ મંજૂરી

અમદાવાદના મહત્ત્વપૂર્ણ પુલોથીનો એક સુભાષ બ્રિજના જૂના ભાગને તોડીને નવો બનાવવાની કામગીરી શરૂ થઈ ગઇ છે. બ્રિજના કેટલાક સ્પાન તોડી...
Gujarat 
સુભાષ બ્રિજના સ્પાન તોડી પડાશે, 1 એપ્રિલ-15 જૂન સુધીમાં વાસણા બેરેજ ખાલી કરવાની અપાઇ મંજૂરી

'અક્ષર ખૂબ ગુસ્સામાં હતો, મેં જઈને તેની માફી માંગી.' કેપ્ટન સૂર્યકુમાર યાદવે હવે પોતાની ભૂલ સ્વીકારી લીધી!

T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામેની સુપર 8 મેચ માટે ટીમના વાઇસ કેપ્ટન અક્ષર પટેલનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો...
Sports 
'અક્ષર ખૂબ ગુસ્સામાં હતો, મેં જઈને તેની માફી માંગી.' કેપ્ટન સૂર્યકુમાર યાદવે હવે પોતાની ભૂલ સ્વીકારી લીધી!

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.