શું વિરાટ કોહલી ઘમંડી છે? અજિંક્ય રહાણેએ આપ્યો આ જવાબ બોલ્યો- ‘મેં તેને...’

અજિંક્ય રહાણે લાંબા સમય સુધી વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ઉપ-કેપ્ટન રહ્યો અને તે તેને અને તેના વર્તનથી સારી રીતે પરિચિત છે. કોહલીના ટીકાકારોનો એક વર્ગ તેને ઘમંડી માને છે, પરંતુ રહાણેનું માનવું છે કે જે પ્રકારે રમતને લઈને તેના વિચાર અને વલણ છે, બાહ્ય લોકો ખોટું સમજી લે છે. તે ફક્ત પોતાની રમતમાં ડૂબી જાય છે.

શું વિરાટ કોહલી ઘમંડી છે?

અજિંક્ય રહાણેએ ક્રિકબઝ સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘વિરાટ કોહલી વિશે ગમે તેટલી વાતો કરો, પૂરી થતી નથી. મેં તેને નજીકથી જોયો છે. જ્યારે તે બેટિંગ કરવા જાય છે ત્યારે આપણે તેના જુસ્સા વિશે વાત કરીએ છીએ. મારું માનવું છે કે શીખવાની તેની ઉત્સુકતા, તેનું વલણ અને તેની ક્યારેય ન હારવાની ભાવના તેને અલગ બનાવે છે. બહારના લોકો તેને ઘમંડી માને છે, પરંતુ આવું નથી. કોહલી ફક્ત તેની રમતમાં ડૂબી જાય છે.

rahane2
aljazeera.com

અજિંક્ય રહાણેએ આગળ કહ્યું કે, મૌન રહેવાનો અર્થ ઘમંડ નથી. તે રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાની તેની રીત છે. મેં તેને મેચ પહેલા બે-બે દિવસ જોયો છે. તે ખૂબ જ ઓછું બોલે છે, તેના સાથી ખેલાડીઓ સાથે પણ વધારે બોલતો નથી. તે ફક્ત પોતાનો અલગ ઝોન તૈયાર કરે છે. તે તેના એરપોડ્સમાં એજ સાંભળે છે, જે તેને ગમે છે. આ તેને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.

રહાણેએ વધુમાં જણાવ્યું હતું કે ઘણા ખેલાડીઓને કોહલીના વલણને સમજવામાં અને તે જે કરે છે તે શા માટે કરે છે તે સમજવામાં સમય લાગે છે. જ્યારે તે તેના સાથી ખેલાડીઓ સાથે વાત કરતો નહોતી, ત્યારે હું સમજી લેતો હતો કે તે પોતાનો ઝોન તૈયાર કરી રહ્યો છે.

Arunava-Sen
ap7am.com

રહાણેએ કહ્યું કે, રમતમાં બધું પ્રાપ્ત કરવા છતા વિરાટ કોહલી હજુ પણ ઇચ્છા રાખે છે. તેની કાર્ય કરવાની રીત પણ શાનદાર છે. જ્યારે પણ હું તેને જોઉં છું, ત્યારે મને કંઈક નવું જોવા મળે છે. તે હંમેશાં બદલાવ જોય છે. તે ઈચ્છે છે કે, હંમેશાં કંઈક નવું કરે અને ટીમમાં યોગદાન આપે.

વિરાટ કોહલી હાલમાં ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં રમી રહ્યો છે. તેણે પહેલી મેચમાં શાનદાર 93 રન બનાવ્યા, જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. તેણે વિજય હજારે ટ્રોફીમાં સદી પણ ફટકારી. અ અગાઉ, તેણે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણમાંથી 2 વન-ડેમાં સદી ફટકારી હતી. ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડની બીજી વન-ડે મેચ બુધવાર, 14 જાન્યુઆરીના રોજ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે.

About The Author

Related Posts

Top News

મુર્રા ભેંસે 29.65 લીટર દૂધ આપીને બુલેટ જીતી હતી, અગાઉ તેણે ટ્રેક્ટર અને 2 લાખ રૂપિયા પણ જીત્યા હતા

હરિયાણાના અંબાલામાં બિલ્લુની મુર્રા ભેંસ સતત ચર્ચાનો વિષય રહી છે. સાહાના રહેવાસી બિલ્લુ અને તેની ભેંસોને સોશિયલ મીડિયા અને યુટ્યુબ...
National 
મુર્રા ભેંસે 29.65 લીટર દૂધ આપીને બુલેટ જીતી હતી, અગાઉ તેણે ટ્રેક્ટર અને 2 લાખ રૂપિયા પણ જીત્યા હતા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -27-01-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શું વિરાટ કોહલી ઘમંડી છે? અજિંક્ય રહાણેએ આપ્યો આ જવાબ બોલ્યો- ‘મેં તેને...’

અજિંક્ય રહાણે લાંબા સમય સુધી વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ઉપ-કેપ્ટન રહ્યો અને તે તેને અને તેના વર્તનથી સારી રીતે પરિચિત છે....
Sports 
શું વિરાટ કોહલી ઘમંડી છે? અજિંક્ય રહાણેએ આપ્યો આ જવાબ બોલ્યો- ‘મેં તેને...’

એક રખડતા કૂતરાને અમેરિકાના વીઝા કંઈ રીતે મળી ગયા?

અમેરિકામાં જવું માણસો માટે અત્યારે ભારે પડી રહ્યું છે ત્યારે એક રખડતો કુતરો અમેરિકા પહોંચી ગયો છે અને શાંતિનો સંદેશો...
World 
એક રખડતા કૂતરાને અમેરિકાના વીઝા કંઈ રીતે મળી ગયા?

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.