શું વિરાટ કોહલી ઘમંડી છે? અજિંક્ય રહાણેએ આપ્યો આ જવાબ બોલ્યો- ‘મેં તેને...’

અજિંક્ય રહાણે લાંબા સમય સુધી વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ઉપ-કેપ્ટન રહ્યો અને તે તેને અને તેના વર્તનથી સારી રીતે પરિચિત છે. કોહલીના ટીકાકારોનો એક વર્ગ તેને ઘમંડી માને છે, પરંતુ રહાણેનું માનવું છે કે જે પ્રકારે રમતને લઈને તેના વિચાર અને વલણ છે, બાહ્ય લોકો ખોટું સમજી લે છે. તે ફક્ત પોતાની રમતમાં ડૂબી જાય છે.

શું વિરાટ કોહલી ઘમંડી છે?

અજિંક્ય રહાણેએ ક્રિકબઝ સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘વિરાટ કોહલી વિશે ગમે તેટલી વાતો કરો, પૂરી થતી નથી. મેં તેને નજીકથી જોયો છે. જ્યારે તે બેટિંગ કરવા જાય છે ત્યારે આપણે તેના જુસ્સા વિશે વાત કરીએ છીએ. મારું માનવું છે કે શીખવાની તેની ઉત્સુકતા, તેનું વલણ અને તેની ક્યારેય ન હારવાની ભાવના તેને અલગ બનાવે છે. બહારના લોકો તેને ઘમંડી માને છે, પરંતુ આવું નથી. કોહલી ફક્ત તેની રમતમાં ડૂબી જાય છે.

rahane2
aljazeera.com

અજિંક્ય રહાણેએ આગળ કહ્યું કે, મૌન રહેવાનો અર્થ ઘમંડ નથી. તે રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાની તેની રીત છે. મેં તેને મેચ પહેલા બે-બે દિવસ જોયો છે. તે ખૂબ જ ઓછું બોલે છે, તેના સાથી ખેલાડીઓ સાથે પણ વધારે બોલતો નથી. તે ફક્ત પોતાનો અલગ ઝોન તૈયાર કરે છે. તે તેના એરપોડ્સમાં એજ સાંભળે છે, જે તેને ગમે છે. આ તેને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.

રહાણેએ વધુમાં જણાવ્યું હતું કે ઘણા ખેલાડીઓને કોહલીના વલણને સમજવામાં અને તે જે કરે છે તે શા માટે કરે છે તે સમજવામાં સમય લાગે છે. જ્યારે તે તેના સાથી ખેલાડીઓ સાથે વાત કરતો નહોતી, ત્યારે હું સમજી લેતો હતો કે તે પોતાનો ઝોન તૈયાર કરી રહ્યો છે.

Arunava-Sen
ap7am.com

રહાણેએ કહ્યું કે, રમતમાં બધું પ્રાપ્ત કરવા છતા વિરાટ કોહલી હજુ પણ ઇચ્છા રાખે છે. તેની કાર્ય કરવાની રીત પણ શાનદાર છે. જ્યારે પણ હું તેને જોઉં છું, ત્યારે મને કંઈક નવું જોવા મળે છે. તે હંમેશાં બદલાવ જોય છે. તે ઈચ્છે છે કે, હંમેશાં કંઈક નવું કરે અને ટીમમાં યોગદાન આપે.

વિરાટ કોહલી હાલમાં ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં રમી રહ્યો છે. તેણે પહેલી મેચમાં શાનદાર 93 રન બનાવ્યા, જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. તેણે વિજય હજારે ટ્રોફીમાં સદી પણ ફટકારી. અ અગાઉ, તેણે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણમાંથી 2 વન-ડેમાં સદી ફટકારી હતી. ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડની બીજી વન-ડે મેચ બુધવાર, 14 જાન્યુઆરીના રોજ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે.

About The Author

Related Posts

Top News

'અક્ષર ખૂબ ગુસ્સામાં હતો, મેં જઈને તેની માફી માંગી.' કેપ્ટન સૂર્યકુમાર યાદવે હવે પોતાની ભૂલ સ્વીકારી લીધી!

T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામેની સુપર 8 મેચ માટે ટીમના વાઇસ કેપ્ટન અક્ષર પટેલનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો...
Sports 
'અક્ષર ખૂબ ગુસ્સામાં હતો, મેં જઈને તેની માફી માંગી.' કેપ્ટન સૂર્યકુમાર યાદવે હવે પોતાની ભૂલ સ્વીકારી લીધી!

આપણે નક્કી કરવાનું છે કે વેપાર બંધ રહે તે વધુ ગંભીર છે કે રસોડું બંધ રહે તેઃ દિલીપ સંઘાણી

હાલમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આજે યુદ્ધને 13 દિવસ થઈ ગયા. 3 દેશોના યુદ્ધ વચ્ચે દુનિયાભરમા...
Gujarat 
આપણે નક્કી કરવાનું છે કે વેપાર બંધ રહે તે વધુ ગંભીર છે કે રસોડું બંધ રહે તેઃ દિલીપ સંઘાણી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-03-2026 વાર: શુક્રવાર મેષ - આજે ઘર પરિવાર પાછળ ખર્ચનું પ્રમાણ વધે, નોકરી ધંધામાં ઉપરી વર્ગ સાથે સંઘર્ષ ટાળવો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

અમદાવાદ ટ્રાફિક પોલીસનું X(ટ્વીટર) એકાઉન્ટ સસ્પેન્ડ: T20 વર્લ્ડ કપની પોસ્ટ બની કારણ?

અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યાઓ અને અપડેટ્સ માટે કાર્યરત સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ @PoliceAhmedabad ને X (અગાઉનું ટ્વિટર) દ્વારા હાલ...
Gujarat 
અમદાવાદ ટ્રાફિક પોલીસનું X(ટ્વીટર) એકાઉન્ટ સસ્પેન્ડ: T20 વર્લ્ડ કપની પોસ્ટ બની કારણ?

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.