પાકિસ્તાની વિકેટકીપરે અમ્પાયરનું માથું ફો*ડ્યું! વસીમે કરી એવી ટિપ્પણી કે મચી ગયો હોબાળો

બુધવારે એશિયા કપ 2025ની મેચ દરમિયાન પાકિસ્તાનના વિકેટકીપર મોહમ્મદ હરિસનો થ્રો અમ્પાયર રુચિરા પલ્લીયાગુરુગેના માથા પર જઈને વાગ્યો હતો, જેના કારણે મેડિકલ ટીમ ત્યાં પહોંચી હતી. અમ્પાયરે મેદાન છોડીને જતું રહેવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મેચ એક કલાક મોડી ચાલુ થઈ હતી કારણ કે હેન્ડશેક વિવાદને લઈને PCB મેચ રેફરીથી નારાજ હતું અને બહિષ્કાર કરવાનું વિચારી રહ્યું હતું. જ્યારે બૉલ અમ્પાયરના માથા પર વાગ્યો, ત્યારે કોમેન્ટ્રી કરી રહેલા પાકિસ્તાની પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે અભદ્ર ટિપ્પણી કરી.

Mohammad-Haris1
freepressjournal.in

આ ઘટના UAE ઇનિંગ દરમિયાન બની હતી. પાવરપ્લેની છેલ્લી ઓવરમાં પાકિસ્તાનના વિકેટકીપર મોહમ્મદ હરિસ દ્વારા ફેંકવામાં આવેલો બોલ અમ્પાયરને માથાના પાછળના ભાગમાં વાગ્યો, તેમણે તરત જ નીચે મોઢું કરી દીધું. પાકિસ્તાની ખેલાડી તેમની પાસે ગયો અને મેડિકલ ટીમ બોલાવવાનો ઈશારો કર્યો. પાકિસ્તાન ટીમના ફિઝિયો પહોંચ્યા અને કન્કશન ટેસ્ટ કરાવ્યું, પરંતુ ત્યારબાદ અમ્પાયર રુચિરા પલ્લીયાગુરુગેને મેદાન છોડીને જતું રહેવું પડ્યું.

જ્યારે આ ઘટના બની ત્યારે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર વસીમ અકરમ કોમેન્ટ્રી કરી રહ્યા હતા. તેણે કહ્યું કે, ‘બોલ સીધો જઈને અમ્પાયરના માથા પર વાગ્યો. શું થ્રો હતો! બુલ્સઆઈ. આ વાત ફેન્સને બિલકુલ પસંદ ન આવી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મોટાભાગના લોકોનું માનવું છે કે આ દિગ્ગજ ખેલાડીએ આવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈતો નહોતો.

Pakistan-UAE
espncricinfo.com

UAE સાથેની મેચની વાત કરીએ તો ટોસ જીત્યા બાદ UAEએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પાકિસ્તાનની શરૂઆત સારી રહી નહોતી, પરંતુ ફખર ઝમાન (50)ની અડધી સદી અને શાહીન શાહ આફ્રિદીના મહત્ત્વપૂર્ણ 29 રનના કારણે ટીમ 146 રન બનાવવામાં સફળ થઈ હતી. તેના જવાબમાં UAEની ટીમ માત્ર 105 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે પાકિસ્તાન ગ્રુપ-Aમાંથી સુપર ફોરમાં આગળ વધનારી ​​બીજી ટીમ બની, કારણ કે ભારતીય ટીમે પહેલાથી જ પોતાની જગ્યા સુનિશ્ચિત કરી લીધું છે. ભારત વિરુદ્ધ પાકિસ્તાન સુપર-4 મેચ 21 સપ્ટેમ્બરના રોજ રમાશે.

About The Author

Related Posts

Top News

પૂર્વ મંત્રીની પુત્રીએ SBI મેનેજરને તમાચો મારી દીધો, FIR દાખલ કરાઈ

તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં સત્તાની દમદાટી અને ગેરવર્તણૂકનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના...
National 
પૂર્વ મંત્રીની પુત્રીએ SBI મેનેજરને તમાચો મારી દીધો, FIR દાખલ કરાઈ

કોણ છે નવા શિક્ષણ મંત્રી પ્રલહાદ જોશી? ધર્મેન્દ્ર પ્રધાનથી ઓછું ભણ્યા છે

NEET પરીક્ષાના પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યાના થોડા કલાકો બાદ જ નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રીના નામની જાહેરાત...
Politics 
કોણ છે નવા શિક્ષણ મંત્રી પ્રલહાદ જોશી? ધર્મેન્દ્ર પ્રધાનથી ઓછું ભણ્યા છે

ખેડૂતે જમીન, 2 માળનું મકાન... પોતાની બધી મિલકત ભગવાન સાંવલિયા શેઠને દાનમાં આપી દીધી

મંદિરોમાં લોકો શું પ્રસાદ ચઢાવે છે? કેટલાક નારિયેળ, કેટલાક મીઠાઈ, કેટલાક સોનું અને ચાંદી ચઢાવે છે. પરંતુ...
National 
ખેડૂતે જમીન, 2 માળનું મકાન... પોતાની બધી મિલકત ભગવાન સાંવલિયા શેઠને દાનમાં આપી દીધી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પંજાબમાં શિક્ષણમંત્રીને હટાવવાની માંગ કેમ થઈ રહી છે?

પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની અસર હવે પંજાબના રાજકારણ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પેપર લીક અને પરીક્ષા...
National 
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પંજાબમાં શિક્ષણમંત્રીને હટાવવાની માંગ કેમ થઈ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.