પાકિસ્તાની વિકેટકીપરે અમ્પાયરનું માથું ફો*ડ્યું! વસીમે કરી એવી ટિપ્પણી કે મચી ગયો હોબાળો

બુધવારે એશિયા કપ 2025ની મેચ દરમિયાન પાકિસ્તાનના વિકેટકીપર મોહમ્મદ હરિસનો થ્રો અમ્પાયર રુચિરા પલ્લીયાગુરુગેના માથા પર જઈને વાગ્યો હતો, જેના કારણે મેડિકલ ટીમ ત્યાં પહોંચી હતી. અમ્પાયરે મેદાન છોડીને જતું રહેવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મેચ એક કલાક મોડી ચાલુ થઈ હતી કારણ કે હેન્ડશેક વિવાદને લઈને PCB મેચ રેફરીથી નારાજ હતું અને બહિષ્કાર કરવાનું વિચારી રહ્યું હતું. જ્યારે બૉલ અમ્પાયરના માથા પર વાગ્યો, ત્યારે કોમેન્ટ્રી કરી રહેલા પાકિસ્તાની પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે અભદ્ર ટિપ્પણી કરી.

Mohammad-Haris1
freepressjournal.in

આ ઘટના UAE ઇનિંગ દરમિયાન બની હતી. પાવરપ્લેની છેલ્લી ઓવરમાં પાકિસ્તાનના વિકેટકીપર મોહમ્મદ હરિસ દ્વારા ફેંકવામાં આવેલો બોલ અમ્પાયરને માથાના પાછળના ભાગમાં વાગ્યો, તેમણે તરત જ નીચે મોઢું કરી દીધું. પાકિસ્તાની ખેલાડી તેમની પાસે ગયો અને મેડિકલ ટીમ બોલાવવાનો ઈશારો કર્યો. પાકિસ્તાન ટીમના ફિઝિયો પહોંચ્યા અને કન્કશન ટેસ્ટ કરાવ્યું, પરંતુ ત્યારબાદ અમ્પાયર રુચિરા પલ્લીયાગુરુગેને મેદાન છોડીને જતું રહેવું પડ્યું.

જ્યારે આ ઘટના બની ત્યારે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર વસીમ અકરમ કોમેન્ટ્રી કરી રહ્યા હતા. તેણે કહ્યું કે, ‘બોલ સીધો જઈને અમ્પાયરના માથા પર વાગ્યો. શું થ્રો હતો! બુલ્સઆઈ. આ વાત ફેન્સને બિલકુલ પસંદ ન આવી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મોટાભાગના લોકોનું માનવું છે કે આ દિગ્ગજ ખેલાડીએ આવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈતો નહોતો.

Pakistan-UAE
espncricinfo.com

UAE સાથેની મેચની વાત કરીએ તો ટોસ જીત્યા બાદ UAEએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પાકિસ્તાનની શરૂઆત સારી રહી નહોતી, પરંતુ ફખર ઝમાન (50)ની અડધી સદી અને શાહીન શાહ આફ્રિદીના મહત્ત્વપૂર્ણ 29 રનના કારણે ટીમ 146 રન બનાવવામાં સફળ થઈ હતી. તેના જવાબમાં UAEની ટીમ માત્ર 105 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે પાકિસ્તાન ગ્રુપ-Aમાંથી સુપર ફોરમાં આગળ વધનારી ​​બીજી ટીમ બની, કારણ કે ભારતીય ટીમે પહેલાથી જ પોતાની જગ્યા સુનિશ્ચિત કરી લીધું છે. ભારત વિરુદ્ધ પાકિસ્તાન સુપર-4 મેચ 21 સપ્ટેમ્બરના રોજ રમાશે.

About The Author

Related Posts

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.