પૃથ્વી શૉએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું-'લોકો ત્યારે સાથે છોડી દે છે, જ્યારે..'

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન પૃથ્વી શૉ હાલના દિવસોમાં પોતાની ઘૂંટણની ઇજાથી બહાર આવી રહ્યો છે. પૃથ્વી શૉએ કાઉન્ટી ક્રિકેટ તરફ જવાનો નિર્ણય લીધો હતો અને બે ઇનિંગમાં સતત સદી ફટકારી હતી. તેમાં એક બેવડી સદી પણ સામેલ છે. વન-ડે વર્લ્ડ કપમાં શાનદાર લયમાં નજરે પડી રહેલો પૃથ્વી શૉ ફરી એક વખત ઇજાગ્રસ્ત થઈ ગયો છે, જેના કારણે તે એક્શનથી દૂર થઈ ગયો છે. આ દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર એક રહસ્યમય પોસ્ટ શેર કરી છે.

પૃથ્વી શૉએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી છે. આ તસવીરોમાં પૃથ્વી શૉનું ઇજાગ્રસ્ત ઘૂંટણ નજરે પડી રહ્યું છે, જેના કેપ્શનમાં તેને લખ્યું કે, ‘જ્યારે તમે જિંદગીમાં આગળ વધો છો તો લોકો હાથ આપે છે અને જ્યારે તમે નીચે પડો છો તો હંમેશાં સાથ છોડી દે છે.’ જો કે તેની કોઈ જાણકારી નથી કે પૃથ્વી શૉએ એવી સ્ટોરી કેમ લગાવી. તે મોટા ભાગે એવી સ્ટોરી લગાવીને સિલેક્ટર્સનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે.

23 વર્ષીય પૃથ્વી શૉએ નોર્થમ્પટનશાયર માટે શાનદાર પ્રદર્શ કર્યું અને સમરસેટ વિરુદ્ધ 244 રન બનાવ્યા. ત્યારબાદ ડરહમ વિરુદ્ધ રમેલી મેચમાં પણ પોતાની ટીમ માટે ઉચ્ચ પ્રદર્શન કરનારા ખેલાડીઓમાંથી એક હતો. તેણે એ મેચમાં (13 ઑગસ્ટના રોજ રમાયેલી મેચમાં) 76 બૉલમાં નોટઆઉટ 125 રનની ઇનિંગ રમી હતી અને પોતાની ટીમને જીત અપાવી હતી. જો કે, મેચના તુરંત બાદ તેને ઇજા થઈ ગઈ. મીડિયા રિપોર્ટ મુજબ, તેને પૂરી રીતે રિકવર થવામાં ઓછામાં ઓછા બે મહિનાનો સમય લાગશે.

નોર્થમ્પટનશાયરે પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે, ડરહમ વિરુદ્ધ મેચમાં ફિલ્ડિંગ કરતી વખત પૃથ્વી શૉના ઘૂંટણમાં ઇજા થઈ અને આજે સવારે પ્રાપ્ત સ્કેન રિપોર્ટથી ખબર પડી જે ઇજા શરૂઆતમાં આશાથી વધુ ખરાબ છે. ઉલ્લેખનીય છે કે, પૃથ્વી શૉએ વન-ડે વર્લ્ડ કપ 2023 માટે પોતાની 4 ઇનિંગમાં 429 રન બનાવીને પોતાની ઉપયોગિતા સાબિત કરી હતી. તો ટીમના કોચ જોન સેડલર પણ પૃથ્વી શૉ જેવા પ્રતિભાશાળી ખેલાડીના આ પ્રકારે ટૂર્નામેન્ટથી બહાર થઈ જવાથી ખૂબ દુઃખી નજરે પડ્યા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.