ગંભીર રીતે ઘવાયેલો રીષભ પંત શું પાછો રમી શકશે? ડોક્ટરોએ આપ્યું અપડેટ

ભારતીય ટીમનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ગયા મહિને એક કાર અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. તેને પહેલા દેહરાદૂન સ્થિતિ મેક્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને પછી એરલિફ્ટ કરીને મુંબઇ લઇ જવામાં આવ્યો હતો. હાલમાં તે મુંબઇની કોકીલાબેન હૉસ્પિટલમાં એડમિટ છે. રિષભ પંતને લઇને સતત અપડેટ જાહેર થતા રહે છે અને હવે નવા અપડેટમાં ડૉક્ટરોએ ફેન્સ માટે મોટા ગુડ ન્યૂઝ આપ્યા છે, જેથી આશા વધી છે કે શું રિષભ પંત જલદી જ મેદાન પર દેખાઇ શકે છે.

ડૉક્ટરો દ્વારા જાહેર કરવામાં આવેલા નવા હેલ્થ અપડેટને લઇને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ જણાવ્યું કે, રિષભ પંતના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધાર થઇ રહ્યો છે અને તે સ્વસ્થ થઇ રહ્યો છે. BCCIએ જણાવ્યું કે જલદી જ રિષભ પંતને ડૉક્ટરોની સલાહ પર હૉસ્પિટલમાંથી રજા મળી શકે છે. BCCIના એક અધિકારીએ કહ્યું કે, ‘રિષભ પંતને એક મહિનામાં વધુ એક સર્જરીની જરૂરિયાત હશે. તેનો નિર્ણય ડૉક્ટરો જ કરશે કે બીજી સર્જરી ક્યારે થશે. BCCIની મેડિકલ ટીમ સતત ડૉક્ટરો અને હૉસ્પિટલ મેનેજમેન્ટના સંપર્કમાં છે.

 
 
 
View this post on Instagram

A post shared by Rishabh Pant (@rishabpant)

તેમણે આગળ કહ્યું કે, અમને આશા છે કે તે જલદી જ મેદાન પર વાપસી કરશે. દિલ્હીથી પોતાના ઘર રુડકી જતી વખત 30 ડિસેમ્બરના રોજ રિષભ પંતનું કાર એક્સિડન્ટ થઇ ગયું હતું. ત્યારબાદ રિષભ પંતને ઘણી ગંભીર ઇજાઓ થઇ હતી, જેના કારણે તેને દેહરાદૂનની મેક્સ હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યારબાદ ત્યાંથી એરલિફ્ટ કરીને મુંબઇની કોકીલાબેન હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો અને ત્યારથી તેની સારવાર કરવામાં આવી રહી છે અને ડૉક્ટરોનું કહેવું છે કે ક્રિકેટર ઝડપથી રિકવર થઇ રહ્યો છે.

અકસ્માત બાદ રિષભ પંતે જણાવ્યું હતું કે તે વિન્ડ કાર તોડીને બહાર આવ્યો હતો અને ત્યારબાદ કારમાં ભીષણ આગ લાગી ગઇ હતી. આ દુર્ઘટના રુડકી પાસે ગુરુકુળ નારસન એરિયામાં થઇ હતી. રિષભ પંત કારમાં એકલો જ હતો અને પોતે જ ગાડી ચલાવી રહ્યો હતો. તેણે એક નિવેદનમાં કહ્યું હતું કે, તેને ડ્રાઇવિંગ કરતી વખત ઝોકું આવી ગયું હતું જેના કારણે આ અકસ્માત થઇ ગયો. જ્યારે દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ના ડિરેક્ટર શ્યામ શર્માએ જણાવ્યું હતું કે રાત્રીનો સમય હતો. તો કંઇક ખાડા જેવું આવી ગયું હતું, તેને બચાવવાના ચક્કરમાં થયું.

About The Author

Related Posts

Top News

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.