કોર્ટે શિખર ધવનની પત્નીને ફટકાર લગાવી, ધવને જ કરેલી ફરિયાદ, જાણો શું કહ્યું

ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહેલા અનુભવી ઓપનર શિખર ધવન માટે દિલ્હી કોર્ટમાંથી એક સારા સમાચાર આવ્યા છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે શિખર ધવનની પત્ની આયેશા મુખર્જીને આદેશ આપ્યો છે કે તેઓ આ ક્રિકેટર વિરુદ્ધ બદનક્ષીભર્યા નિવેદનો ન કરે. આ અંગે ધવને કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

અનુભવી ઓપનર શિખર ધવનનું પારિવારિક જીવન સારું નથી ચાલી રહ્યું. ખરેખર, ધવન અને આયેશા મુખર્જી વચ્ચે છૂટાછેડાનો કેસ પણ ચાલી રહ્યો છે. આ દરમિયાન, દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે શિખરની પત્ની આયેશા મુખર્જીને આદેશ આપ્યો છે કે, તેઓ ગમે ત્યાં અને ગમે ત્યારે ધવનને બદનામ કરતા નિવેદનો ન કરે. ધવને કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે, આયેશા તેની પ્રતિષ્ઠા ખરાબ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ મામલે કોર્ટે આયેશાને નિર્દેશ આપ્યા છે.

હવે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં ન્યાયાધીશ હરીશ કુમારે આયેશાને આદેશ આપ્યો છે કે, શિખર ધવનને કોઈ પણ રીતે ખોટી રીતે રજૂ ન કરે અથવા તેને બદનામ ન કરે. ન્યાયાધીશે આયેશાને આદેશ આપ્યો કે, પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયા, મિત્રો અથવા સંબંધીઓ સહિત કોઈપણ વ્યક્તિ અથવા સ્થાન પર બદનક્ષીભરી અને ખોટી સામગ્રી પ્રસારિત ન કરો. ન્યાયાધીશે કહ્યું કે દરેક વ્યક્તિને તેનું સન્માન ગમે છે. તે ખૂબ મહેનતથી સમાજમાં માન અને નામ બનાવે છે. જો એક વાર માન ખોવાઈ જાય તો મોટું નુકસાન થાય છે.

શિખર ધવને વર્ષ 2012માં આયેશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. આયેશા મુખર્જી હાલમાં ઓસ્ટ્રેલિયામાં રહે છે. આયેશાના આ બીજા લગ્ન હતા અને તેમને 2 દીકરીઓ પણ છે. ધવન અને આયેશાના લગ્ન પછી વર્ષ 2014માં તેમના પરિવારમાં એક પુત્રનો જન્મ થયો, જેનું નામ જોરાવર છે. વર્ષ 2020માં તેમના સારા સંબંધોમાં તિરાડ એટલી વધી ગઈ કે બંનેએ અલગ રહેવાનો નિર્ણય લીધો. વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે. હવે બંને છેલ્લા લગભગ બે વર્ષથી અલગ રહે છે.

ધવને તેની અરજીમાં કહ્યું હતું કે, આયેશા તેની પ્રતિષ્ઠાને બદનામ કરવા અને તેની કારકિર્દી બગાડવા માટે સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ ફોરવર્ડ કરી રહી છે. આ કેસમાં ચુકાદો સંભળાવતા જસ્ટિસ હરીશ કુમારે કહ્યું કે, 'વ્યક્તિની પ્રતિષ્ઠા બધાને પ્રિય હોય છે અને તેને સૌથી મહત્વની સંપત્તિ માનવામાં આવે છે. ભૌતિક સંપત્તિને નુકસાન થયા પછી તેણે પુનઃપ્રાપ્ત કરી શકાય છે, પરંતુ એકવાર નુકસાન થયા પછી પ્રતિષ્ઠા પુનઃપ્રાપ્ત કરી શકાતી નથી.'

કોર્ટે કહ્યું કે, જો આયેશાને ધવન વિરુદ્ધ ફરિયાદ છે તો તેણે કાયદાકીય મદદ લેવી જોઈએ. એમાં તેમને કોઈ રોકી શકતું નથી, પરંતુ ક્રિકેટર પર અપમાનજનક ટિપ્પણી કરવાની કોઈ પણ સંજોગોમાં મંજૂરી નથી. કોર્ટે ધવનની પત્નીને બાળક અને તેના પિતા વચ્ચે દરરોજ 30-મિનિટના વીડિયો કૉલની સુવિધા આપવાનો પણ નિર્દેશ આપ્યો છે.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.