અમદાવાદ ટેસ્ટમાં આ સ્ટાર ખેલાડીની પરત ફરવાની શક્યતા, પિચમાં થશે મોટા ફેરફાર!

ભારતના વરિષ્ઠ ઝડપી બોલર મોહમ્મદ શમીને ઓસ્ટ્રેલિયા સામે અમદાવાદમાં 9 માર્ચથી શરૂ થનારી ચોથી ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળે તેવી અપેક્ષા છે. શમીને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવ્યો હતો.

ભારતીય ટીમ મેનેજમેન્ટે મેડિકલ સ્ટાફ સાથે પરામર્શ કરીને, IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની મોટાભાગની મેચો રમી ચૂકેલા અને ODI વર્લ્ડ કપના આયોજનમાં સામેલ એવા ફાસ્ટ બોલરોના વર્કલોડ મેનેજમેન્ટ માટે એક યોજના બનાવી છે. શમી પ્રથમ બે ટેસ્ટ રમ્યો હતો અને તે ODI ટીમનો પણ ભાગ છે. ઈન્દોર ટેસ્ટમાં તેની જગ્યાએ ઉમેશ યાદવનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

સિરાજે પ્રથમ ત્રણ ટેસ્ટમાં માત્ર 24 ઓવર જ ફેંકી છે અને 17 થી 22 માર્ચ સુધી રમાનારી ત્રણેય વનડેમાં પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી છેલ્લી ટેસ્ટમાં તેને આરામ આપવામાં આવી શકે છે.

શમી આ શ્રેણીમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ ઝડપી બોલર રહ્યો છે. તેણે બે મેચમાં 30 ઓવર ફેંકી છે અને સાત વિકેટ લીધી છે. મોટેરાની સૂકી પિચ પર ટીમને તેની વધુ જરૂર પડશે. આવી પિચ રિવર્સ સ્વિંગ માટે અનુકૂળ હોઈ શકે છે. ભારત ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સીધા જ ક્વોલિફાય થવા માટે તેણે આ મેચ જીતવી પડશે.

અહીં તમને જણાવી દઈએ કે, ટેસ્ટ મેચ શરૂ થવામાં ખુબ ઓછા દિવસો બાકી છે અને હજુ સુધી એ જાણી શકાયું નથી કે BCCI (ભારતીય ક્રિકેટ બોર્ડ)ના 'ક્યુરેટર્સ' તાપોષ ચેટર્જી અને આશિષ ભૌમિક ક્યારે અહીં જવાબદારી સંભાળશે. પિચનો મૂડ કેવો હશે. તેણે કહ્યું, 'સ્પષ્ટપણે છેલ્લા કેટલાક દિવસોથી BCCIની ગ્રાઉન્ડ અને પિચ કમિટી સ્થાનિક ક્યુરેટરોને સૂચનાઓ આપી રહી છે પરંતુ નિશ્ચિતપણે અમારો પ્રયાસ ટેસ્ટ મેચની સારી પિચ તૈયાર કરવાનો છે.' અમદાવાદમાં છેલ્લીવાર કોવિડ-19ના રોગચાળા દરમિયાન બે ટેસ્ટ મેચ રમાઈ હતી. આ બંને મેચો ડે-નાઈટ હતી અને આ મેચ બે દિવસમાં પૂરી થઈ ગઈ હતી.

ત્રીજી ટેસ્ટની શરૂઆત પહેલા રોહિત શર્માએ અમદાવાદ ટેસ્ટમાં ગ્રીન ટોપ વિકેટ બનાવવાના સંકેત આપ્યા હતા, જેથી WTC ફાઈનલની તૈયારીઓ કરી શકાય. પરંતુ હવે ઈન્દોરમાં હાર બાદ એવું થતું જણાતું નથી. રોહિતે કહ્યું હતું કે, 'તે ચોક્કસપણે એક શક્યતા છે. આપણે આ માટે ખેલાડીઓને પણ તૈયાર કરવાની જરૂર છે. શાર્દુલ ઠાકુર ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે અમારા ગેમ પ્લાનમાં આવે છે.

ભારતીય ટીમ માટે અમદાવાદ ટેસ્ટ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જો તે અમદાવાદમાં જીતશે તો તે WTC ફાઇનલમાં પહોંચી જશે. ઓસ્ટ્રેલિયન ટીમ ડ્રો કે જીતની સ્થિતિમાં ભારત માટે મુશ્કેલ બની જશે. આવી સ્થિતિમાં ભારતે પ્રાર્થના કરવી પડશે કે ન્યૂઝીલેન્ડની ટીમ શ્રીલંકા સામે ઓછામાં ઓછી એક મેચ ડ્રો કરે અથવા જીતે.

Related Posts

Top News

Khabarchhe.comની આગાહી સાચી પડી, કિર્તી હજુ જેલમાં છે, હસવાનું ભારે પડ્યું

સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષા અને ધમકીઓ આપવા માટે કુખ્યાત કિર્તી પટેલની જ્યારે 17 જૂને સુરત પોલીસે ધરપકડ કરી ત્યારે...
Gujarat 
Khabarchhe.comની આગાહી સાચી પડી, કિર્તી હજુ જેલમાં છે, હસવાનું ભારે પડ્યું

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્ત તારીખ -27-7-2025 વાર - શનિવાર   માસ - તિથિ-  શ્રાવણ સુદ ત્રીજ આજની રાશિ - સિંહ ચોઘડિયા, ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

એવું લાગે છે કે વર્ષ 2025 યુદ્ધનું વર્ષ છે. માત્ર 7 મહિનામાં દુનિયાએ 3 યુદ્ધ જોયા છે. પહેલા ભારત અને...
World 
શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

ભારતીય શેરબજારમાં સતત ઘટાડો પોતાનું અસ્તિત્વ હજુ પણ ધરાવે છે. આજે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 720 પોઈન્ટથી વધુ...
Business 
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો
Copyright (c) Khabarchhe All Rights Reserved.