166 રન બનાવીને કોહલીએ રચ્યો ઈતિહાસ, વિશ્વના 5 સૌથી સફળ ખેલાડીઓમાં શામેલ

વિરાટ કોહલીને વન-ડે ક્રિકેટના સૌથી સફળ ખેલાડીઓમાંથી એક માનવામાં આવે છે. શ્રીલંકાની સામે રમાઈ રહેલી વન-ડે સીરિઝની ત્રીજી મેચ દરમિયાન વિરાટ કોહલીએ વન-ડે ક્રિકેટનો વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામ પર કરી લીધો છે. વિરાટ કોહલીની હવે વિશ્વના 5 સૌથી સફળ વન-ડે બેટ્સમેનોના લિસ્ટમાં એન્ટર થઈ ગયો છે. તેણે શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મહેલા જયવર્ધનને પાછળ છોડી દીધો છે. આજે તેણે શ્રીલંકા સામે 166 રનની ઈનિંગ રમી હતી.

વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ

વિરાટ કોહલીનું શાનદાર ફોર્મ આ સીરિઝમાં પણ ચાલુ છે. તેણે આ મેચ પહેલા 267 વન-ડે મેચોમાં 12588 રન બનાવ્યા હતા. શ્રીલંકાની સામે ત્રીજી વન-ડે મેચમાં, તેણે 62 રનના આંકડાને સ્પર્શતાની સાથે જ વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં મહેલા જયવર્ધનને પાછળ છોડી દીધો છે. વિરાટની આ ઈનિંગ પહેલા મહેલા જયવર્ધન વન-ડેમાં 5મો સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન હતો, પરંતુ વિરાટે હવે આ સ્થાન મેળવી લીધું છે.

ટેસ્ટ અને T20મા પણ શાનદાર રેકોર્ડ

ટેસ્ટ અને T 20મા પણ વિરાટ કોહલીના આંકડા ખૂબ જ શાનદાર છે. વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 104 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેમણે 48.91ની એવરેજથી 8119 રન બનાવ્યા છે, આ દરમિયાન તેની બેટથી 28 અડધી સદી અને 27 સદી જોવા મળી છે. જ્યારે, 115 T20 મેચોમાં, તેણે 52.74ની સરેરાશથી 4008 રન બનાવ્યા છે.

વન-ડેમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી

વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં સચિન તેંડુલકર સૌથી આગળ છે. સચિન તેંડુલકરના નામ પર વન-ડેમાં કુલ 18426 રન દાખલ છે. આ પછી શ્રીલંકાના કુમાર સંગાકારાનું નામ આ લિસ્ટમાં આવે છે. તેણે વન-ડેમાં કુલ 14234 રન બનાવ્યા છે. જ્યારે, રિકી પોન્ટિંગે વન-ડેમાં 13704 રન બનાવ્યા છે અને સનથ જયસૂર્યાએ 13430 રન બનાવ્યા છે.

વિરાટ કોહલીની છેલ્લી પાંચ ઇનિંગ્સ (વન-ડેમાં)

V બાંગ્લાદેશ, 5 રન
V બાંગ્લાદેશ, 113 રન
V શ્રીલંકા, 113 રન
V શ્રીલંકા, 4 રન
V શ્રીલંકા, 166 રન

વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સદી

સચિન તેંડુલકર - 463 મેચ, 49 સદી
વિરાટ કોહલી - 268 મેચ, 46 સદી
રિકી પોન્ટિંગ - 375 મેચ, 30 સદી
રોહિત શર્મા - 238 મેચ, 29 સદી
સનથ જયસૂર્યા - 445 મેચ, 28 સદી

વન-ડેમાં ભારત માટે સૌથી વધુ સદી

સચિન તેંડુલકર - 463 મેચ, 49 સદી
વિરાટ કોહલી - 268 મેચ, 46 સદી
રોહિત શર્મા - 238 મેચ, 29 સદી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી

સચિન તેંડુલકર - 664 મેચ, 100 સદી
વિરાટ કોહલી - 486 મેચ, 74 સદી
રિકી પોન્ટિંગ - 560 મેચ, 71 સદી

વિરાટ કોહલીએ આ સાથે જ પોતાના નામ પર એક મોટો રેકોર્ડ પણ કરી લીધો છે. હવે તે વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં પાંચમા નંબર પર પહોંચી ગયો છે. સક્રિય ખેલાડીઓમાં તેના નામ પર જ સૌથી વધુ રન છે, વિરાટ કોહલીએ તેની આ સદીની ઇનિંગ્સમાં મહેલા જયવર્ધનના રેકોર્ડને તોડ્યો છે.

વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન (ટોપ-5)

1 સચિન તેંડુલકર - 463 મેચ, 18426 રન
2 કુમાર સંગાકારા - 404 મેચ, 14234 રન
3 રિકી પોન્ટિંગ - 375 મેચ, 13704 રન
4 સનથ જયસૂર્યા - 445 મેચ, 13430 રન
6 વિરાટ કોહલી - 268 મેચ, 12702 રન

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.