પૂર્વ ખેલાડીના મતે આ કારણે RCB નથી બની હજુ સુધી IPL ચેમ્પિયન?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), સ્ટાર ખેલાડીઓની ભરમાર હોવા છતા આ ટીમ એક પણ વખત IPL ટ્રોફી જીતી શકી નથી. સતત નિષ્ફળતાને કારણે ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટ પર સવાલો ઉઠતા રહ્યા છે. હવે ટીમના પૂર્વ ક્રિકેટર શાદાબ જકાતીએ આ નિષ્ફળતા પાછળ મોટા કારણનો ખુલાસો કર્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને RCB માટે રમી ચૂકેલા જકાતીએ RCBની નિષ્ફળતાનો ઠીકરો ટીમ મેનેજમેન્ટ પર ફોડ્યો છે. સાથે જ તેણે CSKની સફળતાનું રહસ્ય પણ જણાવ્યું.

Jakati
hindustantimes.com

 

એક સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે વાત કરતા જકાતીએ કહ્યું કે, જ્યારે હું RCBમાં હતો, ત્યારે ટીમનું ધ્યાન માત્ર 2-3 ખેલાડીઓ પર રહેતું હતું. ક્રિકેટ એક ટીમ ગેમ છે. જો તમારે ટ્રોફી જીતવી હોય તો આખી ટીમે એકજૂથ થઈને રમવું પડશે. માત્ર 2-3 ખેલાડી મળીને તમને ટ્રોફી નહીં જીતાડી શકે. RCB પાસે શાનદાર ખેલાડી તો હતા, પરંતુ તેમની વચ્ચે તાલમેલનો અભાવ સ્પષ્ટ દેખાતો હતો. બીજી તરફ, ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે મજબૂત ભારતીય કોર અને શાનદાર વિદેશી ખેલાડી હતા. CSK અને RCBના ટીમ મેનેજમેન્ટ અને ડ્રેસિંગ રૂમના માહોલમાં જમીન આકાશનો ફરજ છે. ટીમ મેનેજમેન્ટની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હોય છે. CSKનું મેનેજમેન્ટ ખરેખર લાજવાબ હતું. તેઓ પોતાના ખેલાડીઓની સારી રીતે ખ્યાલ રાખતા હતા. આ નાની નાની વસ્તુઓ મોટા બદલાવ લાવે છે. મારા માટે, CSK અને RCB વચ્ચે આ સૌથી મોટું અંતર હતું.

Jakati-1
facebook.com

 

શાદાબ જકાતીનું કરિયર

જો આપણે શાદાબ જકાતી બાબતે વાત કરીએ તો તે લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ સ્પિનર રહી ચૂક્યો છે. જકાતીએ પોતાના IPL કરિયરમાં કુલ 59 મેચ રમી છે. જેમાં 30.85ની એવરેજથી કુલ 47 વિકેટ લીધી હતી. તેનું બેસ્ટ 22 રન આપીને 4 વિકેટ રહ્યું. તો RCBની વાત કરીએ તો ટીમે 3 વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે, પરંતુ અત્યાર સુધી ટાઈટલ જીતી શકી નથી. આ વખતે ટીમ મેનેજમેન્ટે મોટો બદલાવ કર્યો છે. ટીમની કેપ્ટન્સી રજત પાટીદારને સોંપવામાં આવી છે. આવામાં, ફેન્સને ભરોસો છે કે રજતના નેતૃત્વમાં આ વખત ટ્રોફી જીતીને પોતાના ટ્રોફીના સુકાને ખતમ કરી શકે છે.

About The Author

Related Posts

Top News

અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં સેવા અને સાંસ્કૃતિક વારસાના ક્ષેત્રે અનારબેન પટેલ એક પ્રેરણાદાયી નામ છે. પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન ઉત્તરપ્રદેશના રાજ્યપાલ...
Opinion 
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે

પતિએ વારસામાં મળેલી જમીન વેચીને પત્નીને સરકારી ટીચર બનાવી, પણ પત્નીએ દગો આપ્યો, પ્રેમી સાથે પકડાઈ

વૈશાલીથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સંબંધો, વિશ્વાસ અને પરિવાર પર ઘણા પ્રશ્નો ઉભા કરે છે. એક...
National 
પતિએ વારસામાં મળેલી જમીન વેચીને પત્નીને સરકારી ટીચર બનાવી, પણ પત્નીએ દગો આપ્યો, પ્રેમી સાથે પકડાઈ

કરોડપતિ જીજા-સાળી બન્યા ચોર, વાપી GIDCના અધિકારીના બંગલામાંથી સોનાના દાગીના ચોર્યા

વાપી GIDC કચેરીના અધિકારીના બંગલામાં પ્રવેશી અંદરથી સોનાના દાગીના પર હાથ સાફ કરી ફરાર થયેલા બે આરોપીની LCBએ ધરપકડ...
Gujarat 
કરોડપતિ જીજા-સાળી બન્યા ચોર, વાપી GIDCના અધિકારીના બંગલામાંથી સોનાના દાગીના ચોર્યા

તોલે દોઢ લાખનું સોનું તો આમપણ જનતા નથી ખરીદી શકવાની, ચૂંટણી પૂરી થતા જ ‘સંકટ’ યાદ આવ્યું! અખિલેશ યાદવના પ્રહારો

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ દેશમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી સાત...
National 
તોલે દોઢ લાખનું સોનું તો આમપણ જનતા નથી ખરીદી શકવાની, ચૂંટણી પૂરી થતા જ ‘સંકટ’ યાદ આવ્યું! અખિલેશ યાદવના પ્રહારો
Copyright (c) Khabarchhe All Rights Reserved.