પૂર્વ ખેલાડીના મતે આ કારણે RCB નથી બની હજુ સુધી IPL ચેમ્પિયન?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), સ્ટાર ખેલાડીઓની ભરમાર હોવા છતા આ ટીમ એક પણ વખત IPL ટ્રોફી જીતી શકી નથી. સતત નિષ્ફળતાને કારણે ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટ પર સવાલો ઉઠતા રહ્યા છે. હવે ટીમના પૂર્વ ક્રિકેટર શાદાબ જકાતીએ આ નિષ્ફળતા પાછળ મોટા કારણનો ખુલાસો કર્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને RCB માટે રમી ચૂકેલા જકાતીએ RCBની નિષ્ફળતાનો ઠીકરો ટીમ મેનેજમેન્ટ પર ફોડ્યો છે. સાથે જ તેણે CSKની સફળતાનું રહસ્ય પણ જણાવ્યું.

Jakati
hindustantimes.com

 

એક સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે વાત કરતા જકાતીએ કહ્યું કે, જ્યારે હું RCBમાં હતો, ત્યારે ટીમનું ધ્યાન માત્ર 2-3 ખેલાડીઓ પર રહેતું હતું. ક્રિકેટ એક ટીમ ગેમ છે. જો તમારે ટ્રોફી જીતવી હોય તો આખી ટીમે એકજૂથ થઈને રમવું પડશે. માત્ર 2-3 ખેલાડી મળીને તમને ટ્રોફી નહીં જીતાડી શકે. RCB પાસે શાનદાર ખેલાડી તો હતા, પરંતુ તેમની વચ્ચે તાલમેલનો અભાવ સ્પષ્ટ દેખાતો હતો. બીજી તરફ, ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે મજબૂત ભારતીય કોર અને શાનદાર વિદેશી ખેલાડી હતા. CSK અને RCBના ટીમ મેનેજમેન્ટ અને ડ્રેસિંગ રૂમના માહોલમાં જમીન આકાશનો ફરજ છે. ટીમ મેનેજમેન્ટની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હોય છે. CSKનું મેનેજમેન્ટ ખરેખર લાજવાબ હતું. તેઓ પોતાના ખેલાડીઓની સારી રીતે ખ્યાલ રાખતા હતા. આ નાની નાની વસ્તુઓ મોટા બદલાવ લાવે છે. મારા માટે, CSK અને RCB વચ્ચે આ સૌથી મોટું અંતર હતું.

Jakati-1
facebook.com

 

શાદાબ જકાતીનું કરિયર

જો આપણે શાદાબ જકાતી બાબતે વાત કરીએ તો તે લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ સ્પિનર રહી ચૂક્યો છે. જકાતીએ પોતાના IPL કરિયરમાં કુલ 59 મેચ રમી છે. જેમાં 30.85ની એવરેજથી કુલ 47 વિકેટ લીધી હતી. તેનું બેસ્ટ 22 રન આપીને 4 વિકેટ રહ્યું. તો RCBની વાત કરીએ તો ટીમે 3 વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે, પરંતુ અત્યાર સુધી ટાઈટલ જીતી શકી નથી. આ વખતે ટીમ મેનેજમેન્ટે મોટો બદલાવ કર્યો છે. ટીમની કેપ્ટન્સી રજત પાટીદારને સોંપવામાં આવી છે. આવામાં, ફેન્સને ભરોસો છે કે રજતના નેતૃત્વમાં આ વખત ટ્રોફી જીતીને પોતાના ટ્રોફીના સુકાને ખતમ કરી શકે છે.

About The Author

Related Posts

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.