મેચ પછી પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મળાવવા બદલ શું ભારતને દંડ થશે? જાણો શું છે ICC અને ACCનો નિયમ

એશિયા કપ 2025માં 14 સપ્ટેમ્બર (રવિવાર)ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ઉત્સાહથી ભરેલી હતી. જ્યારે, મેચ પછીનો વિવાદ પણ હેડલાઇન્સમાં છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે મેચ-વિનિંગ સિક્સ ફટકારતાની સાથે જ તે સીધો શિવમ દુબે સાથે પેવેલિયન ગયો. બંનેએ પરંપરા મુજબ પાકિસ્તાની ટીમના ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો નહીં.

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ દુબઈમાં પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. મેચ પછી, ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે સ્પષ્ટપણે કહ્યું કે અમે પહેલગામના પીડિતો સાથે ઉભા છીએ અને આ જીત દેશને સમર્પિત છે.

India Pakistan Handshake Issue
timesofindia.indiatimes.com

સામાન્ય રીતે ક્રિકેટ મેચ સમાપ્ત થયા પછી, બંને ટીમો એકબીજા સાથે હાથ મિલાવતા હોય છે અને ખેલદિલી બતાવે છે. પાકિસ્તાની ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના સભ્યો ભારતીય ખેલાડીઓના હાથ મિલાવવા માટે રાહ જોતા રહ્યા. પરંતુ આખી ટીમ મેદાનથી સીધી તેમના ડ્રેસિંગ રૂમમાં ગઈ અને દરવાજા બંધ કરી દીધા હતા. આ અગાઉ, ટોસ દરમિયાન પણ સૂર્યકુમાર યાદવ અને સલમાન અલી આગાએ હાથ મિલાવ્યા ન હતા.

ક્રિકેટ દ્વારા, ભારતે ફરી એકવાર આખી દુનિયાને સંદેશ આપ્યો કે, પાકિસ્તાન સામે રમવું અમારી મજબૂરી છે, પરંતુ અમે ક્યારેય આતંકવાદને સહન કરીશું નહીં અને દુશ્મન દેશને ગળે લગાવવાની ભૂલ કોઈપણ સંજોગોમાં કરવામાં આવશે નહીં. આ મેચમાં, ભારતીય ટીમના ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓની સંપૂર્ણ અવગણના કરી. તેઓ મેદાન પર આવ્યા, રમ્યા અને કોઈપણ વિવાદ વિના ચાલ્યા ગયા.

India Pakistan Handshake Issue
sportsyaari.com

હવે ભારતીય ટીમનું આ વર્તન પાકિસ્તાનને યોગ્ય લાગતું નથી અને તેના વિશે ફરિયાદ પણ કરવામાં આવી હતી. પાકિસ્તાન ટીમના મેનેજરે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ સામે ફરિયાદ પણ નોંધાવી હતી અને એવું કહેવામાં આવ્યું છે કે, તેમણે બંને દેશોના કેપ્ટનોને હાથ ન મિલાવવા વિનંતી કરી હતી. હવે પ્રશ્ન એ છે કે, શું આ ફરિયાદ પછી ભારત પર કોઈ પ્રકારનો દંડ લાદવામાં આવશે, જવાબ ના છે.

India Pakistan Handshake Issue
thechronicle.com.au

ICC કે ACCના કોઈપણ નિયમ બુકમાં એવું લખાયેલું નથી કે, જો કોઈ ટીમનો ખેલાડી બીજી ટીમના ખેલાડી સાથે હાથ નહીં મિલાવે તો તેના પર કોઈપણ પ્રકારનો દંડ લાદવામાં આવશે. હાથ મિલાવવા એ કોઈ નિયમ નથી, પણ તેને ફક્ત ખેલદિલી તરીકે જોવામાં આવે છે. આ જ કારણ છે કે, મેચ પછી બંને ટીમોના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવતા હોય છે. જો કોઈ કોઈની સાથે હાથ ન મિલાવે તો તેને ફક્ત ખેલદિલીની વિરુદ્ધ જ ગણી શકાય અને તેનાથી વધુ કંઈ નહીં.

About The Author

Related Posts

Top News

અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

અમદાવાદના બહુચર્ચિત મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા અને કરોડો રૂપિયાના જુગારધામના પર્દાફાશ બાદ પોલીસ...
Gujarat 
અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.