યોગરાજ BCCI પર ભડાશ કાઢી, કહ્યું- તમે 7 ખેલાડીનું કરિયર બર્બાદ કરી દીધું

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યોગરાજ સિંહે ફરી એકવાર ભૂતપૂર્વ પસંદગીકારો પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે, જે ખેલાડીઓએ ભારતીય ટીમ માટે 2011નો વર્લ્ડ કપ જીત્યો હતો, તમે તે જ ખેલાડીઓને બાજુ પર રાખ્યા હતા. 1983 પછી, ભારતે બીજી વખત ODI વર્લ્ડ કપ જીત્યો, પરંતુ આશ્ચર્યજનક વાત એ હતી કે ફક્ત 3 ખેલાડીઓને જ આગામી વર્લ્ડ કપમાં રમવાની તક મળી. યોગરાજે ધોની વિશે એવો પણ દાવો કર્યો હતો કે તેમની પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ જવાની હતી.

Yograj Singh
economictimes.indiatimes.com

વિરાટ કોહલી, MS ધોની અને R. અશ્વિન એ ત્રણ જ ખેલાડીઓ હતા, જેમણે 2011નો વર્લ્ડ કપ રમ્યો અને પછી 2015નો વર્લ્ડ કપ રમ્યો. બાકીના 12 ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં રમાયેલા વર્લ્ડ કપમાં રમ્યા ન હતા. એક સ્પોર્ટ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં યોગરાજ સિંહે તે સમયના પસંદગીકારો પર નિશાન સાધતા કહ્યું, 'તમે (BCCI પસંદગીકારો) આ ખેલાડીઓને કોઈ કારણ વગર બરબાદ કરી દીધા. ગૌતમ ગંભીર, યુવરાજ સિંહ, હરભજન સિંહ, ઝહીર ખાન, મોહમ્મદ કૈફ, VVS લક્ષ્મણ, રાહુલ દ્રવિડ જેવા ખેલાડીઓને 2011 પછી બહાર કરી દીધા. તમે 2011ના વર્લ્ડ કપ પછી ટીમને બરબાદ કરી દીધી. 7 ખેલાડીઓની કારકિર્દીને બરબાદ કરી દીધી.'

Yograj Singh
livehindustan.com

યોગરાજે વધુમાં દાવો કર્યો કે, તે સમયે ધોનીને બદલી શકાયો હોત, કારણ કે ભારત સતત હારતું રહ્યું. તેમણે કહ્યું, 'જ્યારે MS ધોની કેપ્ટન હતો, ત્યારે આપણે 5 શ્રેણી હારી ગયા અને તેને કહેવામાં આવ્યું કે, તેમની જગ્યાએ બીજાને લેવામાં આવશે. આ વાત મોહિન્દર અમરનાથે કહી હતી.' યોગરાજ સિંહે એવો પણ દાવો કર્યો હતો કે, તેમણે યુવરાજ સિંહને નિવૃત્તિ ન લેવાનું વિચારવા કહ્યું હતું અને કહ્યું હતું કે, તેઓ તેમને ટીમ ઇન્ડિયાના કેપ્ટન બનાવશે અને બધાને બહાર કાઢી નાખશે.

Yograj Singh
msn.com

યોગરાજે કહ્યું, 'જ્યારે યુવરાજ નિવૃત્તિ લઈ રહ્યો હતો, ત્યારે મેં પણ તેને વચન આપ્યું હતું કે, હું તેને ભારતીય ટીમના કેપ્ટન બનવામાં મદદ કરીશ અને અમને બધાને ટીમમાંથી બહાર કાઢીશ, પરંતુ તેમણે ટીમ છોડી દીધી.' 2014ના T20 વર્લ્ડ કપ પછી યુવરાજને ભારતીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો, પરંતુ 2016ની શરૂઆતમાં તે પાછો ફર્યો હતો. જોકે, તે 2017ના મધ્ય સુધી માત્ર દોઢ વર્ષ રમ્યો અને 2019માં તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી.

About The Author

Related Posts

Top News

CRPF પોલીસ અધિકારી રાત્રે 2 વાગ્યે તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો, લોકોએ માર માર્યો

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાંથી પ્રેમ પ્રકરણનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવક તેની પરિણીત પ્રેમિકાના ઘરે રાત્રે 2 વાગ્યે...
National 
CRPF પોલીસ અધિકારી રાત્રે 2 વાગ્યે તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો, લોકોએ માર માર્યો

આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુંગનુર શહેરમાં એક ગોઝારી ઘટના બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. આ ઘટનામાં...
National 
આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મધ્ય પૂર્વમાં તણાવ વધાર્યો છે. મધ્ય પૂર્વ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને...
Business 
LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઘણીવાર પોતાના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં છવાયેલો રહે છે. તાજેતરમાં, તે તેની નવી...
Sports 
હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...
Copyright (c) Khabarchhe All Rights Reserved.