યોગરાજ BCCI પર ભડાશ કાઢી, કહ્યું- તમે 7 ખેલાડીનું કરિયર બર્બાદ કરી દીધું

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યોગરાજ સિંહે ફરી એકવાર ભૂતપૂર્વ પસંદગીકારો પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે, જે ખેલાડીઓએ ભારતીય ટીમ માટે 2011નો વર્લ્ડ કપ જીત્યો હતો, તમે તે જ ખેલાડીઓને બાજુ પર રાખ્યા હતા. 1983 પછી, ભારતે બીજી વખત ODI વર્લ્ડ કપ જીત્યો, પરંતુ આશ્ચર્યજનક વાત એ હતી કે ફક્ત 3 ખેલાડીઓને જ આગામી વર્લ્ડ કપમાં રમવાની તક મળી. યોગરાજે ધોની વિશે એવો પણ દાવો કર્યો હતો કે તેમની પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ જવાની હતી.

Yograj Singh
economictimes.indiatimes.com

વિરાટ કોહલી, MS ધોની અને R. અશ્વિન એ ત્રણ જ ખેલાડીઓ હતા, જેમણે 2011નો વર્લ્ડ કપ રમ્યો અને પછી 2015નો વર્લ્ડ કપ રમ્યો. બાકીના 12 ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં રમાયેલા વર્લ્ડ કપમાં રમ્યા ન હતા. એક સ્પોર્ટ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં યોગરાજ સિંહે તે સમયના પસંદગીકારો પર નિશાન સાધતા કહ્યું, 'તમે (BCCI પસંદગીકારો) આ ખેલાડીઓને કોઈ કારણ વગર બરબાદ કરી દીધા. ગૌતમ ગંભીર, યુવરાજ સિંહ, હરભજન સિંહ, ઝહીર ખાન, મોહમ્મદ કૈફ, VVS લક્ષ્મણ, રાહુલ દ્રવિડ જેવા ખેલાડીઓને 2011 પછી બહાર કરી દીધા. તમે 2011ના વર્લ્ડ કપ પછી ટીમને બરબાદ કરી દીધી. 7 ખેલાડીઓની કારકિર્દીને બરબાદ કરી દીધી.'

Yograj Singh
livehindustan.com

યોગરાજે વધુમાં દાવો કર્યો કે, તે સમયે ધોનીને બદલી શકાયો હોત, કારણ કે ભારત સતત હારતું રહ્યું. તેમણે કહ્યું, 'જ્યારે MS ધોની કેપ્ટન હતો, ત્યારે આપણે 5 શ્રેણી હારી ગયા અને તેને કહેવામાં આવ્યું કે, તેમની જગ્યાએ બીજાને લેવામાં આવશે. આ વાત મોહિન્દર અમરનાથે કહી હતી.' યોગરાજ સિંહે એવો પણ દાવો કર્યો હતો કે, તેમણે યુવરાજ સિંહને નિવૃત્તિ ન લેવાનું વિચારવા કહ્યું હતું અને કહ્યું હતું કે, તેઓ તેમને ટીમ ઇન્ડિયાના કેપ્ટન બનાવશે અને બધાને બહાર કાઢી નાખશે.

Yograj Singh
msn.com

યોગરાજે કહ્યું, 'જ્યારે યુવરાજ નિવૃત્તિ લઈ રહ્યો હતો, ત્યારે મેં પણ તેને વચન આપ્યું હતું કે, હું તેને ભારતીય ટીમના કેપ્ટન બનવામાં મદદ કરીશ અને અમને બધાને ટીમમાંથી બહાર કાઢીશ, પરંતુ તેમણે ટીમ છોડી દીધી.' 2014ના T20 વર્લ્ડ કપ પછી યુવરાજને ભારતીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો, પરંતુ 2016ની શરૂઆતમાં તે પાછો ફર્યો હતો. જોકે, તે 2017ના મધ્ય સુધી માત્ર દોઢ વર્ષ રમ્યો અને 2019માં તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી.

About The Author

Related Posts

Top News

સમાજ બહાર કરાયેલા ગબ્બર-અર્જૂનના સમર્થનમાં વિક્રમ ઠાકોર, બોલ્યો- ‘બંધારણ ઘડનારને જ નથી ખબર DJ શું છે'

ઉત્તર ગુજરાતના વાવ-થરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજે 16 મુદ્દાનું સામાજિક બંધારણ બનાવ્યું હતું, જેમાં એક મુદ્દો...
Gujarat 
સમાજ બહાર કરાયેલા ગબ્બર-અર્જૂનના સમર્થનમાં વિક્રમ ઠાકોર, બોલ્યો- ‘બંધારણ ઘડનારને જ નથી ખબર DJ શું છે'

દિલ્હીમાં ખાડામાં પડતા કમલે જીવ ગુમાવ્યો, પરિવાર રાત્રે પોલીસ સ્ટેશન ગયો તો પોલીસે સવારે બોલાવ્યા

નોઈડાના યુવરાજની જેમ જ, દિલ્હીના કમલનું પણ ખાડામાં પડી જવાથી મૃત્યુ થયું. સોમવારે મોડી રાત્રે કમલ રોહિણી સ્થિત તેની...
National 
દિલ્હીમાં ખાડામાં પડતા કમલે જીવ ગુમાવ્યો, પરિવાર રાત્રે પોલીસ સ્ટેશન ગયો તો પોલીસે સવારે બોલાવ્યા

સાણંદ દારૂ પાર્ટીમાં પકડાયેલા આરોપીઓ માટે પોલીસ સ્ટેશન બન્યું પિકનિક સ્પોટ, સ્ટેશનની અંદર પણ મજા કરતા હતા

4 ફેબ્રુઆરીની મોડીરાત્રે નિર્વાણ ગ્રીન્સ વીકેન્ડ હોમમાં હાઇપ્રોફાઇલ દારૂ-હુક્કા મહેફિલ ચાલી રહી હતી, જેના પર સાણંદ પોલીસે પર દરોડો...
Gujarat 
સાણંદ દારૂ પાર્ટીમાં પકડાયેલા આરોપીઓ માટે પોલીસ સ્ટેશન બન્યું પિકનિક સ્પોટ, સ્ટેશનની અંદર પણ મજા કરતા હતા

આ દેશે પાકિસ્તાનને વિનંતી કરી, ભારત સાથે રમો, નહિતર અમારું નુકસાન થઈ જશે

શ્રીલંકા ક્રિકેટ (SLC) એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ને ભારત સામે T20 વર્લ્ડ કપ મેચનો બહિષ્કાર કરવાના તેના નિર્ણય પર...
Sports 
આ દેશે પાકિસ્તાનને વિનંતી કરી, ભારત સાથે રમો, નહિતર અમારું નુકસાન થઈ જશે

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.