મોરક્કોમાં ભૂકંપથી તબાહી, અત્યાર સુધીમાં 600થી વધુ લોકોના મોત, જુઓ વીડિયો

ઉત્તરી આફ્રિકાના મોરક્કો શહેરમાં 6.8 તીવ્રતાના ભૂકંપના ભારે ઝટકાના કારણે ઘણી ઇમરતો ધ્વસ્ત થઈ ગઈ છે. મોરક્કો મીડિયા મુજબ, આ ભૂકંપની ઝપેટમાં આવવાથી અત્યાર સુધી 600થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. મૃતકોનો આંકડો હજુ વધવાનું અનુમાન છે. બીજી તરફ ભૂકંપ બાદ મોટા પ્રમાણ પર રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું કે, ભૂકંપની કેન્દ્ર મારકેશ શહેરથી 75 કિલોમીટર દૂર પશ્ચિમમાં સ્થિત હતું. ભૂકંપના ઝટકા એટલા તેજ હતા કે મોટી સંખ્યામાં ઇમારતો પડી ગઈ.

તો ઘણી ઇમારતો પૂરી રીતે ક્ષતિગ્રસ્ત થવાના સમાચાર પણ સામે આવ્યા છે. રિપોર્ટ્સ મુજબ કાટમાળમાં અત્યારે પણ ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે. જેથી મોતનો આંકડો હજુ વધી શકે છે. હાલમાં રાહત અને બચાવ કર્યા ચાલી રહ્યું છે. US જિયોલોજીકલ સર્વે મુજબ, સ્થાનિક સમય મુજબ, મોડી રાત્રે લગભગ 11:11 વાગ્યે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ ભૂકંપના એપી સેન્ટર મારકેશથી 75 કિલોમીટર દૂર 18.5 કિલોમીટરની ઊંડાઈમાં હતું,

મોરક્કોમાં ભૂકંપના કારણે થયેલી તબાહી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરતા દરેક સંભવિત સહાયતાનો ભરોસો આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર લખ્યું કે, મોરક્કોમાં ભૂકંપના કારણે થયેલા જાનમાલની હાનિથી અત્યંત દુઃખ થયું. આ દુઃખદ સમયમાં મારી સંવેદનાઓ મોરક્કોના લોકો સાથે છે. એ લોકો પ્રત્યે સંવેદના જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. ઇજાગ્રસ્તો જલદી જ સારા થવાની કામના કરતા કહ્યું કે, ભારત યોગ્ય સમયે આ મુશ્કેલ સમયમાં મોરક્કોની દરેક સંભવિત સહાયતા આપવા માટે તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે, આફ્રિકન અને યુરેશિયાઈ પ્લેટો વચ્ચે સ્થિત હોવાના કારણે મોરક્કોના ઉત્તરી હિસ્સામાં ભૂકંપ આવતા રહે છે. વર્ષ 2004માં પૂર્વોત્તર મોરક્કોના અલ હોસેઇમામાં ભૂકંપમાં ભારે જાનમાલનું નુકસાન થયું હતું. તેની ઝપેટમાં આવવાથી 600 કરતા વધારે લોકો માર્યા ગયા, જ્યારે 900 કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અગાઉ વર્ષ 1980માં મોરક્કોના પાડોશી અલ્જિરિયામાં 7.3 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. તેમાં 2500 લોકો માર્યા ગયા હતા અને લગભગ 3 લાખ લોકો બેઘર થઈ ગયા હતા.

About The Author

Related Posts

Top News

ભારતના ખેડૂતનો પુત્ર લંડનના આ શહેરનો મેયર બની ગયો

ઉત્તર પ્રદેશના એક ગામડામાં જન્મેલો છોકરો UKના એક શહેરનો મેયર બની ગયો છે. મિર્ઝાપુરના ભટેવરા ગામમાં જન્મેલા રાજકુમાર મિશ્રાને...
World 
ભારતના ખેડૂતનો પુત્ર લંડનના આ શહેરનો મેયર બની ગયો

ગુજરાતના ગામડામાં પ્લાસ્ટર વગરના મકાનમાં રહેતા છોકરાને IIMમાં પ્રવેશ મળ્યો

પડકારોને વીંધીને સફળતાના શિખરો સર કરનારા અનેક સફળ લોકોની ગાથા છે. 2 વર્ષ પહેલા 12th  ફેઇલ ફિલ્મ આવેલીIPS ...
Education 
ગુજરાતના ગામડામાં પ્લાસ્ટર વગરના મકાનમાં રહેતા છોકરાને IIMમાં પ્રવેશ મળ્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-05-2025 દિવસ: મંગળવાર મેષ: આજે તમારે અતિશય ખર્ચ કરવાથી બચવું પડશે, નહીં તો તમે તમારી સંચિત સંપત્તિ પણ ખતમ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

ઓપરેશન સિંદુરમાં ભારતે પાકિસ્તાન સાથે શું કર્યું તેની વાત દુનિયાના દેશો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર સર્વપક્ષીસ સાંસદોની ટીમ બનાવી...
Politics 
શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.