ચીની વૈજ્ઞાનિકોએ નવો કોરોના વાયરસ શોધ્યો, જાણો આ કેટલો ખતરનાક છે

કોરોના વાયરસના પ્રકોપથી દુનિયા અત્યારે પણ પૂરી રીતે બહાર આવી શકી નથી કે ચીનથી વધુ એક પરેશાન કરનારા સમાચાર આવી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ, ચીની વિષાણું વૈજ્ઞાનિકોની એક ટીમે ચામાચીડિયામાં જોવા મળતો એક નવો કોરોના વાયરસ શોધી કાઢ્યો છે. મીડિયામાં આવેલા એક સમાચાર મુજબ, ખતરનાક વાત એ છે કે આ વાયરસ માણસોને પણ સંક્રમિત કરી શકે છે. આ સ્ટડીનું નેતૃત્વ વિવાદાસ્પદ વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, એટલે કે WIVના ચીની વિષાણું વૈજ્ઞાનિક શી ઝેંગલી દ્વારા કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે WIV થી જ કોવિડ-19  દુનિયાભરમાં ફેલાયો હતો.

HKU5 કોરોના વાયરસનું નવું રૂપ છે

ચામાચીડિયાથી ઉત્પન્ન થનારા વાયરસ પર પોતાના સંશોધન માટે "બેટ વુમન" નામથી ઓળખાતા શી અને ચીની સરકાર પણ એ વાતથી ઇનકાર કરે છે કે વાયરસ WIVમાંથી ફેલાવાનો શરૂ થયો હતો. સૌથી નવો વાયરસ 'HKU5' કોરોના વાયરસનો એક નવું રૂપ છે, જે પહેલી વખત હોંગકોંગમાં જાપાની પિપિસ્ટ્રેલ ચામાચીડિયામાં ઓળખાયો હતો. હોંગકોંગમાં સ્થિત સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ મુજબ, આ નવો વાયરસ મેરબેકોવાયરસ પેટાપ્રકારમાંથી આવ્યો છે, જેમાં મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (MERS)નું કારણ બનનારો વાયરસ પણ સામેલ થાય છે.

સમાચાર અનુસાર, મંગળવારે 'સેલ' મેગેઝિનમાં પ્રકાશિત થયેલા એક સ્ટડીમાં, શીની અધ્યક્ષતાવાળી વિષાણું વૈજ્ઞાનિકોની ટીમે લખ્યું કે, 'અમે HKU5-COV ના એક અલગ વંશાવલી (વંશ 2)ની ઓળખ કરી છે, જે ન માત્ર ચામાચીડિયા અને મનુષ્યોમાં, પરંતુ સમાન મૂળના એક જ આનુવંશિક ગુણોવાળા વિભિન્ન સ્તનધારી પ્રાણીઓમાં પણ ફેલાઈ શકે છે. સંશોધકોએ શોધી કાઢ્યું કે ચામાચીડિયાના નમૂનાઓમાંથી વાયરસને અલગ કરવામાં આવ્યો, તો જાણવા મળ્યું કે તે માનવ કોશિકાઓ સાથે-સાથે કૃત્રિમ રીતે વિકસિત કોશિકાઓને કે પેશીઓના નાના-નાના ગ્રુપોને પણ સંક્રમિત કરી શકે છે, જે નાના શ્વસન કે આંતરડાના અંગો જેવા દેખાતા હતા.

Related Posts

Top News

ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ ફૂડ સેફટીના કડક ઉલ્લંઘનને પગલે Zeptoની પેરન્ટ કંપની Kiranakart Technologies Pvt Ltdનું ફૂડ લાઇસન્સ...
Business 
ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ

કડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર જાહેર

કોંગ્રેસે કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. તેમણે વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં એક્ટર...
Politics  Gujarat 
કડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર જાહેર

ઓપરેશન સિંદૂર પછી PM મોદીના નિવેદનોથી વિપક્ષની ઉંઘ કેમ હરામ થઇ ગઇ?

ઓપરેશન સિંદૂર પછીના 20 દિવસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 6 નિવેદનોને કારણે  વિપક્ષની ઉંઘહરામ થઇ ગઇ છે. વિપક્ષનું માનવું છે કે ...
National 
ઓપરેશન સિંદૂર પછી PM મોદીના નિવેદનોથી વિપક્ષની ઉંઘ કેમ હરામ થઇ ગઇ?

IPL ફાઇનલ: સેનાની ત્રણેય પાંખના પ્રમુખોનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સન્માન થશે

BCCIએ એક પ્રસંશનીય પગલું લીધું છે.IPL 2025ની ફાઇનલ મેચ ગુજરાતના અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાવવાની છે અને...
Sports 
IPL ફાઇનલ: સેનાની ત્રણેય પાંખના પ્રમુખોનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સન્માન થશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.