પૃથ્વીથી 22 કરોડ કિમી દૂર મળ્યા જીવનના પુરાવા, NASAએ ખોલ્યું બ્રહ્માંડનું સૌથી મોટું રહસ્ય

NASAના પર્સિવિયન્સ રોવરે મંગળ પર સંભાવિત જીવનના સૌથી મજબૂત પુરાવા શોધી કાઢ્યા છે. જુલાઈ 2024માં રોવરે જેજેરો ક્રેટરના બ્રાઇટ એન્જલ પ્રદેશમાં ચેવાયા ફોલ્સનામના ખડકમાંથી માટીનો નમૂનો લીધો હતો. આ નમૂનામાં ખનિજો અને બનાવટ મળી આવી છે, જે પૃથ્વી પરના સુક્ષ્મસજીવો સાથે જોડાયેલી છે. આ નમૂનામાં વિવિયનાઇટ (આયર્ન ફોસ્ફેટ) અને ગ્રેગાઇટ (આયર્ન સલ્ફાઇડ) જેવા ખનિજો મળી આવ્યા હતા, જે સામાન્ય રીતે પાણીથી ભરેલા અને ઓછા ઓક્સિજનવાળા વાતાવરણમાં બને છે. નમૂનામાં 'લિયપર્ડ સ્પોટ' જેવી રચના પણ જોવા મળી હતી, જે પ્રાચીન રાસાયણિક પ્રક્રિયાઓ તરફ ઈશારો કરે છે અને એ સંકેત આપે છે કે તેઓ સંભવતઃ માઇક્રોબિયલ જીવનને સહારો આપતી હતી. જોકે NASAએ સ્પષ્ટતા કરી છે કે આ જીવનનો પુરાવો નથી, પરંતુ આ શોધ મંગળ પર શક્ય જીવનને ઓળખવા માટે સૌથી નજીક છે.

પર્સિવિયરન્સ રોવરે મંગળના ખડકોમાંથી માટીનો એક કોર ખોદ્યો હતો, જેમાં સૂક્ષ્મ દાણાવાળા કાદવના પથ્થર મળ્યા હતા. તેમાં ગોળાકાર ડાઘ જેવા નિશાન હતા, જેને લિયપર્ડ સ્પોટ કહેવામાં આવે છે અને સ્તરવાળી માટીમાં નાના ગોળાકાર નોડ્યુલ્સ એમ્બેડેડ હતા. રોવરના ઉપકરણ SHERLOC અને PIXL  આ નમૂનાઓમાં કાર્બન, ફોસ્ફેટ, આયર્ન અને સલ્ફરની વિશેષ રૂપે પુનરાવર્તિત રચનાઓ પણ જોઈ.

NASA
earth.com

જોકે, ખાસ ખનિજો વિવિયનાઇટ અને ગ્રેગાઇટ હતા, જે ઘણીવાર પૃથ્વી પર સુક્ષ્મસજીવો ધરાવતા વાતાવરણમાં બને છે. આ ગોળાકાર પેટર્ન સૂક્ષ્મજીવાણુઓ દ્વારા ઓક્સિજન-રહિત માટીમાં થતી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ક્રિયાઓ સાથે મળે છે. મહત્ત્વની વાત એ છે કે આ રચનાઓ જ્વાળામુખીના ખડકમાં નથી, પાણીથી બનેલી માટીમાં રચાઈ હતી. એટલે એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીં એક સમયે રહેવા યોગ્ય વાતાવરણ હોઈ શકતું હતું. કારણ કે, વૈજ્ઞાનિકો પૃથ્વી પર ખનિજ રચનાઓ અને ઓર્ગેનિક કમ્પાઉન્ડસ ધરતી પર સુક્ષ્મજીવાણુ પ્રવૃત્તિ જેવા દેખાય છે, એ જગ્યાને લઈને વૈજ્ઞાનિક પૂરી રીતે સુનિશ્ચિત હોતા નથી. આવા સંકેતોને 'સંભવિત જીવનના સંકેતો' કહેવામાં આવે છે. એટલે કે તેઓ જીવનનો ઈશારો કરી શકે છે, પરંતુ તે બિન-જૈવિક રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા પણ રચાઈ શકે છે.

NASA આવી શોધોનું મૂલ્યાંકન કરવા માટે કોન્ફિડન્સ ઓફ લાઇફ ડિટેક્શન (CoLD) સ્કેલનો ઉપયોગ કરે છે. આમાં, સંકેતોને અલગ અલગ રીતે તપાસવામાં આવે છે અને અન્ય સંભવિત કારણોને નકારી કાઢવાના હોય છે. હાલમાં, બ્રાઇટ એન્જલ શોધ આ સ્કેલ પર ઓછું રેન્ક ધરાવે છે, પરંતુ તે એક મહત્ત્વપૂર્ણ પગલું છે. ભવિષ્યમાં પર્સિવિયન્સ મિશન દ્વારા પૃથ્વી પર લાવવામાં આવેલા સીલબંધ નમૂનાઓનું પરીક્ષણ અદ્યતન પ્રયોગશાળાઓમાં કરી શકાય છે, જેથી નક્કી કરી શકાય કે વાસ્તવમાં જીવન સામેલ હતું કે નહીં.

NASA1
amarujala.com

જો આ શોધ સાચી સાબિત થાય છે, તો તેનો અર્થ એ થશે કે મંગળ ગ્રહ અગાઉ પૃથ્વી જેવી સૂક્ષ્મજીવાણુ ગતિવિધિઓને સહારો આપી શકતો હતો. તેનો સમય તે સમયગાળા સુધી વધી જતો, જ્યારે જેજેરો ક્રેટરમાં નદીઓ અને તળાવો અસ્તિત્વમાં હતા. આ શોધ એ પણ બતાવે છે કે પ્રાચીન સમયમાં પાણીના સ્ત્રોત ક્યાં હોઈ શકતા હતા અને કયા પોષક Nutrient Stable હતા, જે સુક્ષ્મસજીવો માટે જિંદગી આપનાર બની શકતું હતું.

વૈજ્ઞાનિકો આશા રાખી રહ્યા છે કે આ માહિતી ભવિષ્યના રોવર મિશનને મંગળ પર સંભવિત જીવનના અન્ય ક્ષેત્રો શોધવામાં મદદ કરશે. જો આ ખનિજો અજૈવિક સાબિત થશે, તો પણ તે મંગળના રાસાયણિક ઉત્ક્રાંતિ અને જીવન માટે જરૂરી તત્વો જેમ કે લોખંડ, સલ્ફર અને ફોસ્ફરસ અંગે માહિતી પ્રદાન કરશે. પર્સિવિયન્સ રોવર આગળ શોધખોળ અને નમૂનાઓ એકત્રિત કરતું રહેશે, જ્યારે NASAનું માર્સ સેમ્પલ રીટર્ન મિશન જવાબ પ્રદાન કરવા માટે ચાવીરૂપ રહેશે. આ સાવધાનીપૂર્વક પરંતુ આશાસ્પદ શોધ પૃથ્વીની બહાર જીવનની માનવતાની શોધમાં એક મુખ્ય પગલું છે.

About The Author

Related Posts

Top News

સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આજના સમયમાં બાળકો પર પરીક્ષા અને ભણતરનું પ્રેશર ખૂબ વધી ગયું છે. સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો...
Gujarat 
સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે; ચેતવણી...

જો તમને કોઈ અજાણ્યા વોટ્સએપ અથવા ટેલિગ્રામ ગ્રુપમાં ઉમેરવામાં આવે અને કહેવામાં આવે કે તમારા પૈસા થોડા દિવસોમાં વધી જશે...
Tech and Auto 
આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે;  ચેતવણી...

'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને તેલ પુરવઠા અંગે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટર્વ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું...
World 
'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો

સોમવાર (14 જુલાઈ)ના રોજ, સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ધારમાં આવેલી ઐતિહાસિક ભોજશાળા અંગે ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય...
National 
ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.