પૃથ્વીથી 22 કરોડ કિમી દૂર મળ્યા જીવનના પુરાવા, NASAએ ખોલ્યું બ્રહ્માંડનું સૌથી મોટું રહસ્ય

NASAના પર્સિવિયન્સ રોવરે મંગળ પર સંભાવિત જીવનના સૌથી મજબૂત પુરાવા શોધી કાઢ્યા છે. જુલાઈ 2024માં રોવરે જેજેરો ક્રેટરના બ્રાઇટ એન્જલ પ્રદેશમાં ચેવાયા ફોલ્સનામના ખડકમાંથી માટીનો નમૂનો લીધો હતો. આ નમૂનામાં ખનિજો અને બનાવટ મળી આવી છે, જે પૃથ્વી પરના સુક્ષ્મસજીવો સાથે જોડાયેલી છે. આ નમૂનામાં વિવિયનાઇટ (આયર્ન ફોસ્ફેટ) અને ગ્રેગાઇટ (આયર્ન સલ્ફાઇડ) જેવા ખનિજો મળી આવ્યા હતા, જે સામાન્ય રીતે પાણીથી ભરેલા અને ઓછા ઓક્સિજનવાળા વાતાવરણમાં બને છે. નમૂનામાં 'લિયપર્ડ સ્પોટ' જેવી રચના પણ જોવા મળી હતી, જે પ્રાચીન રાસાયણિક પ્રક્રિયાઓ તરફ ઈશારો કરે છે અને એ સંકેત આપે છે કે તેઓ સંભવતઃ માઇક્રોબિયલ જીવનને સહારો આપતી હતી. જોકે NASAએ સ્પષ્ટતા કરી છે કે આ જીવનનો પુરાવો નથી, પરંતુ આ શોધ મંગળ પર શક્ય જીવનને ઓળખવા માટે સૌથી નજીક છે.

પર્સિવિયરન્સ રોવરે મંગળના ખડકોમાંથી માટીનો એક કોર ખોદ્યો હતો, જેમાં સૂક્ષ્મ દાણાવાળા કાદવના પથ્થર મળ્યા હતા. તેમાં ગોળાકાર ડાઘ જેવા નિશાન હતા, જેને લિયપર્ડ સ્પોટ કહેવામાં આવે છે અને સ્તરવાળી માટીમાં નાના ગોળાકાર નોડ્યુલ્સ એમ્બેડેડ હતા. રોવરના ઉપકરણ SHERLOC અને PIXL  આ નમૂનાઓમાં કાર્બન, ફોસ્ફેટ, આયર્ન અને સલ્ફરની વિશેષ રૂપે પુનરાવર્તિત રચનાઓ પણ જોઈ.

NASA
earth.com

જોકે, ખાસ ખનિજો વિવિયનાઇટ અને ગ્રેગાઇટ હતા, જે ઘણીવાર પૃથ્વી પર સુક્ષ્મસજીવો ધરાવતા વાતાવરણમાં બને છે. આ ગોળાકાર પેટર્ન સૂક્ષ્મજીવાણુઓ દ્વારા ઓક્સિજન-રહિત માટીમાં થતી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ક્રિયાઓ સાથે મળે છે. મહત્ત્વની વાત એ છે કે આ રચનાઓ જ્વાળામુખીના ખડકમાં નથી, પાણીથી બનેલી માટીમાં રચાઈ હતી. એટલે એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીં એક સમયે રહેવા યોગ્ય વાતાવરણ હોઈ શકતું હતું. કારણ કે, વૈજ્ઞાનિકો પૃથ્વી પર ખનિજ રચનાઓ અને ઓર્ગેનિક કમ્પાઉન્ડસ ધરતી પર સુક્ષ્મજીવાણુ પ્રવૃત્તિ જેવા દેખાય છે, એ જગ્યાને લઈને વૈજ્ઞાનિક પૂરી રીતે સુનિશ્ચિત હોતા નથી. આવા સંકેતોને 'સંભવિત જીવનના સંકેતો' કહેવામાં આવે છે. એટલે કે તેઓ જીવનનો ઈશારો કરી શકે છે, પરંતુ તે બિન-જૈવિક રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા પણ રચાઈ શકે છે.

NASA આવી શોધોનું મૂલ્યાંકન કરવા માટે કોન્ફિડન્સ ઓફ લાઇફ ડિટેક્શન (CoLD) સ્કેલનો ઉપયોગ કરે છે. આમાં, સંકેતોને અલગ અલગ રીતે તપાસવામાં આવે છે અને અન્ય સંભવિત કારણોને નકારી કાઢવાના હોય છે. હાલમાં, બ્રાઇટ એન્જલ શોધ આ સ્કેલ પર ઓછું રેન્ક ધરાવે છે, પરંતુ તે એક મહત્ત્વપૂર્ણ પગલું છે. ભવિષ્યમાં પર્સિવિયન્સ મિશન દ્વારા પૃથ્વી પર લાવવામાં આવેલા સીલબંધ નમૂનાઓનું પરીક્ષણ અદ્યતન પ્રયોગશાળાઓમાં કરી શકાય છે, જેથી નક્કી કરી શકાય કે વાસ્તવમાં જીવન સામેલ હતું કે નહીં.

NASA1
amarujala.com

જો આ શોધ સાચી સાબિત થાય છે, તો તેનો અર્થ એ થશે કે મંગળ ગ્રહ અગાઉ પૃથ્વી જેવી સૂક્ષ્મજીવાણુ ગતિવિધિઓને સહારો આપી શકતો હતો. તેનો સમય તે સમયગાળા સુધી વધી જતો, જ્યારે જેજેરો ક્રેટરમાં નદીઓ અને તળાવો અસ્તિત્વમાં હતા. આ શોધ એ પણ બતાવે છે કે પ્રાચીન સમયમાં પાણીના સ્ત્રોત ક્યાં હોઈ શકતા હતા અને કયા પોષક Nutrient Stable હતા, જે સુક્ષ્મસજીવો માટે જિંદગી આપનાર બની શકતું હતું.

વૈજ્ઞાનિકો આશા રાખી રહ્યા છે કે આ માહિતી ભવિષ્યના રોવર મિશનને મંગળ પર સંભવિત જીવનના અન્ય ક્ષેત્રો શોધવામાં મદદ કરશે. જો આ ખનિજો અજૈવિક સાબિત થશે, તો પણ તે મંગળના રાસાયણિક ઉત્ક્રાંતિ અને જીવન માટે જરૂરી તત્વો જેમ કે લોખંડ, સલ્ફર અને ફોસ્ફરસ અંગે માહિતી પ્રદાન કરશે. પર્સિવિયન્સ રોવર આગળ શોધખોળ અને નમૂનાઓ એકત્રિત કરતું રહેશે, જ્યારે NASAનું માર્સ સેમ્પલ રીટર્ન મિશન જવાબ પ્રદાન કરવા માટે ચાવીરૂપ રહેશે. આ સાવધાનીપૂર્વક પરંતુ આશાસ્પદ શોધ પૃથ્વીની બહાર જીવનની માનવતાની શોધમાં એક મુખ્ય પગલું છે.

About The Author

Related Posts

Top News

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

કેન્દ્ર સરકારે વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) અધિનિયમ 1974માં સુધારો કરીને નિયમો બદલ્યા છે. પહેલા એવી જોગવાઇ હતી કે...
National 
પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે
Copyright (c) Khabarchhe All Rights Reserved.