જે હવેલીમાં રાજ કપૂરનો જન્મ થયો, તેને લઈને કેમ થઈ રહ્યો છે પાક.માં હોબાળો?

પાકિસ્તાનની એક કોર્ટે પેશાવરમાં બોલિવુડ એક્ટર રાજ કપૂરની ઐતિહાસિક ‘કપૂર હવેલી’ પર માલિકી હકને લઈને દાખલ કરેલી અરજી ફગાવી દીધી છે. રાજ કપૂરની આ હવેલીને વર્ષ 2016માં પાકિસ્તાનની પ્રાંતિય સરકારે રાષ્ટ્રીય ધરોહર જાહેર કરી દીધી હતી. પેશાવર હાઇકોર્ટની 2 સભ્યોની પીઠે હવેલી પર માલિકી હકને લઈને અરજીકર્તાની અરજી ફગાવી દીધી છે. આ પીઠમાં જસ્ટિસ ઇશ્તિયાક ઇબ્રાહિમ અને અબ્દુલ શકૂર સામેલ હતા. કોર્ટે આ અરજીને પેશાવરના લોકપ્રિય કિસ્સા ખ્વાની બજારમાં દિગ્ગજ એક્ટર દીલિપ કુમારની હવેલીની અધિગ્રહણ પ્રક્રિયાથી જોડાયેલા એક આદેશને ધ્યાનમાં લઈને ફગાવી દીધી છે.

દીલિપ કુમારની હવેલીને પણ તાત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફની આગેવાનીવાળી સરકારે રાષ્ટ્રીય ધરોહર જાહેર કરી દીધી હતી. ખૈબર પખ્તુનખ્વાના એડિશનલ એડવોકેટ જનરલે કોર્ટને જણાવ્યું કે, પ્રાંતિય આર્કિયોલોજી વિભાગે વર્ષ 2016માં એક અધિસૂચના જાહેર કરીને રાજ કપૂરની હવેલીને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરી દીધી હતી. તેના પર જસ્ટિસ શકૂરે આર્કિયોલોજી વિભાગને પૂછ્યું કે, શું તેમની પાસે કોઈ દસ્તાવેજ કે કોઈ પુરાવા છે જેથી ખબર પડે કે રાજ કપૂરનો પરિવાર ક્યારેય આ હવેલીમાં રહ્યો હતો?

અરજીકર્તા સઇદ મૂહમ્મદના વકીલ સબાહુદ્દીન ખત્તાકે કોર્ટને જણાવ્યું કે, અરજીકર્તાના પિતાએ વર્ષ 1969ના એક ઓક્શન દરમિયાન આ હવેલી ખરીદી લીધી હતી. તે ત્યારથી આ સંપત્તિના માલિક છે. તેમણે દાવો કર્યો કે, કોઈ પણ વિભાગ પાસે એવા કોઈ દસ્તાવેજ નથી, જેનાથી ખબર પડી શકે કે રાજ કપૂર અને તેનો પરિવાર ક્યારેય આ હવેલીમાં રહ્યો હતો કે નહીં. ઉલ્લેખનીય છે કે, હવે આ હવેલી ખૂબ જર્જરિત અવસ્થામાં છે અને તેના હાલના માલિક એ હવેલીને ધ્વસ્ત કરીને એક કોમર્શિયલ પ્લાઝા બનાવવા માગે છે, પરંતુ આર્કિયોલોજી વિભાગ તેની વિરુદ્ધ છે.

તે આ હવેલીના ઐતિહાસિક મહત્ત્વને ધ્યાનમાં રાખતા આ ધરોહરને સાચવીને રાખવા માગે છે. રાજ કપૂરના પૈતૃક આવાસને ‘કપૂર હવેલી’ના નામથી ઓળખાવામાં આવે છે. તે પેશાવરના લોકપ્રિય કિસ્સો ખ્વાની બજારમાં છે. તેનું નિર્માણ વર્ષ 1918 થી વર્ષ 1922 વચ્ચે રાજ કપૂરના દાદા દીવાન બશેશ્વરનાથ કપૂરે કરાવ્યું હતું. રાજ કપૂર અને તેના કાકા ત્રિલોક કપૂરનો જન્મ આ જ હવેલીમાં થયો હતો. ઋષિ કપૂર અને તેમના ભાઈ રણધીર કપૂર વર્ષ 1990ના દશકમાં આ હવેલોની મુલાકાત લઈ ચૂક્યા છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.