પાકિસ્તાને ફરી એકવાર પોતાની મજાક ઉડાવી, રક્ષા મંત્રીએ નકલી પિત્ઝા હટ ફ્રેન્ચાઇઝીનું ઉદ્ઘાટન કરી દીધું

ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન ઘણીવાર ચર્ચામાં રહે છે. તેનું કારણ પણ અજીબોગરીબ હોય છે. ક્યારેક આતંકવાદને કારણે તો ક્યારેક ત્યાંના ભૂખમરાને કારણે, આ દેશ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બને છે. પરંતુ આ વખતે પાકિસ્તાને પોતાની જ મજાક ઉડાવી છે.

Khawaja-Asif1
x.com/MDUmairKh

હકીકતમાં, પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે સિયાલકોટમાં નકલી પિત્ઝા હટ ફ્રેન્ચાઇઝીનું ઉદ્ઘાટન કર્યું. ત્યારબાદ પિત્ઝા હટે સ્પષ્ટતા જાહેર કરતા જ સોશિયલ મીડિયા પર યુઝર્સ પાકિસ્તાનને લઈને ખૂબ મજાક ઉડાવવા લાગ્યા.

આખો મામલો શું છે?

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ પોતાના નસીબને કોસતા હશે કે, એ કયો સમય હતો, જ્યારે તેઓ પિત્ઝા હટ ફ્રેન્ચાઇઝીનું ઉદ્ઘાટન કરવા સહમત થઈ ગયા. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ પિત્ઝા હટ ફ્રેન્ચાઇઝીનું ઉદ્ઘાટન કરવા માટે સિયાલકોટ પહોંચ્યા હતા. તેમણે રિબન પણ કાપી અને ઘટનાની તસવીરો સામે આવી.

બાદમાં આ ઉદઘાટનને લઈને એ સમયે વિવાદ ઉભો થયો, જ્યારે પિત્ઝા હટએ સ્પષ્ટતા જાહેર કરી કે, ‘સિયાલકોટ કેન્ટોનમેન્ટ રેસ્ટોરન્ટને પિત્ઝા હટ નામ અથવા બ્રાન્ડિંગ હેઠળ કામ કરવાની કોઈ મંજૂરી નથી. પિત્ઝા હટ પાકિસ્તાન, પોતાના સન્માનિત ગ્રાહકોને સૂચિત કરે છે કે તાજેતરમાં સિયાલકોટ કેન્ટોનમેન્ટમાં એક અનધિકૃત આઉટલેટ ખુલ્યું છે, જે પિત્ઝા હટ નામ અને બ્રાન્ડિંગનો ખોટી રીતે ઉપયોગ કરી રહ્યું છે.

Khawaja-Asif3
x.com/MDUmairKh

કંપનીએ એ પણ સ્પષ્ટતા કરી કે પિત્ઝા હટ પાકિસ્તાન હાલમાં દેશભરમાં 16 સત્તાવાર આઉટલેટ ચલાવે છે, જેમાં 14 લાહોરમાં અને 2 ઇસ્લામાબાદમાં છે, અને ગ્રાહકોને તેની સત્તાવાર વેબસાઇટ દ્વારા સ્ટોરનું લોકેશન વેરિફાઇ કરવાનો આગ્રહ કર્યો છે.

એટલે કે એ સ્પષ્ટ થઇ ગયું કે, પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે સિયાલકોટમાં જે પિત્ઝા હટ ફ્રેન્ચાઇઝીનું ઉદ્ઘાટન કર્યું, તે નકલી હતી. આ ઘટના સામે આવ્યા બાદ, ખ્વાજા આસિફને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

દિલ્હીમાં ખાડામાં પડતા કમલે જીવ ગુમાવ્યો, પરિવાર રાત્રે પોલીસ સ્ટેશન ગયો તો પોલીસે સવારે બોલાવ્યા

નોઈડાના યુવરાજની જેમ જ, દિલ્હીના કમલનું પણ ખાડામાં પડી જવાથી મૃત્યુ થયું. સોમવારે મોડી રાત્રે કમલ રોહિણી સ્થિત તેની...
National 
દિલ્હીમાં ખાડામાં પડતા કમલે જીવ ગુમાવ્યો, પરિવાર રાત્રે પોલીસ સ્ટેશન ગયો તો પોલીસે સવારે બોલાવ્યા

સાણંદ દારૂ પાર્ટીમાં પકડાયેલા આરોપીઓ માટે પોલીસ સ્ટેશન બન્યું પિકનિક સ્પોટ, સ્ટેશનની અંદર પણ મજા કરતા હતા

4 ફેબ્રુઆરીની મોડીરાત્રે નિર્વાણ ગ્રીન્સ વીકેન્ડ હોમમાં હાઇપ્રોફાઇલ દારૂ-હુક્કા મહેફિલ ચાલી રહી હતી, જેના પર સાણંદ પોલીસે પર દરોડો...
Gujarat 
સાણંદ દારૂ પાર્ટીમાં પકડાયેલા આરોપીઓ માટે પોલીસ સ્ટેશન બન્યું પિકનિક સ્પોટ, સ્ટેશનની અંદર પણ મજા કરતા હતા

આ દેશે પાકિસ્તાનને વિનંતી કરી, ભારત સાથે રમો, નહિતર અમારું નુકસાન થઈ જશે

શ્રીલંકા ક્રિકેટ (SLC) એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ને ભારત સામે T20 વર્લ્ડ કપ મેચનો બહિષ્કાર કરવાના તેના નિર્ણય પર...
Sports 
આ દેશે પાકિસ્તાનને વિનંતી કરી, ભારત સાથે રમો, નહિતર અમારું નુકસાન થઈ જશે

પાકિસ્તાનના બહિષ્કાર છતા ટોસ માટે મેદાન પર જશે કેપ્ટન સૂર્યકુમાર યાદવ? જાણો ICCના નિયમ

પાકિસ્તાને એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે T20 વર્લ્ડ કપ 2026માં 15 ફેબ્રુઆરીએ ભારત સામેની હાઇ-વોલ્ટેજ મેચનો...
Sports 
પાકિસ્તાનના બહિષ્કાર છતા ટોસ માટે મેદાન પર જશે કેપ્ટન સૂર્યકુમાર યાદવ? જાણો ICCના નિયમ

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.