13 મહિલાઓ પર બળાત્કાર કરનાર જેલમાંથી બહાર આવ્યો

13 મહિલાઓ પર બળાત્કારના ગુનામાં દોષિત પુરૂષને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. આ કુખ્યાત ગુનેગારનું નામ એન્ડ્રુ બાર્લો છે. તે 1988માં અનેક ગુનાઓ કર્યા બાદ પકડાયો હતો. આ મામલો UKના ગ્રેટર માન્ચેસ્ટરનો છે. ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં તેની મુક્તિની જાહેરાત કરવામાં આવી હતી. તત્કાલીન DyPM ડોમિનિક રાબે પણ તેની મુક્તિની જાહેરાતનો વિરોધ કર્યો હતો. 66 વર્ષીય બાર્લોએ 13 મહિલાઓ પર બળાત્કાર કર્યો અને આ ઉપરાંત અન્ય ઘણા ગુનાઓ પણ કર્યા હતા.

એન્ડ્રુ બાર્લોને 13 આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તેણે 34 વર્ષ જેલમાં વિતાવ્યા છે. તેને જેલમાંથી સીધો એક હોસ્ટેલમાં લઈ જવામાં આવ્યો છે. અગાઉ તેઓ એન્ડ્રુ લોન્ગમાયર તરીકે જાણીતા હતા. પછી તેણે પોતાનું નામ બદલીને એન્ડ્રુ બાર્લો કરી નાખ્યું હતું.

લાંબો સમય જેલમાં વિતાવવાને કારણે તેને છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પેરોલ બોર્ડે કહ્યું હતું કે, તેણે 34 વર્ષની સજા પૂરી કરી લીધી છે, તેથી તેને જેલમાંથી મુક્ત કરવામાં આવશે. પરંતુ તે નિરીક્ષણ હેઠળ રહેશે. તે ગ્રેટર માન્ચેસ્ટર જઈ શકશે નહિ. તે એક નિશ્ચિત સરનામે જ રહેશે. તેણે પોતાના નવા સંબંધો વિશે માહિતી આપવી પડશે. આ ઉપરાંત, તેણે નિયમિતપણે ડ્રગ ટેસ્ટ પાસ કરવો પડશે. અને GPS દ્વારા પણ તેની દેખરેખ રાખવામાં આવશે.

આ બળાત્કારીના જેલમાંથી છૂટ્યા બાદ એક પીડિતાએ કહ્યું, 'મને ડર છે કે તે ફરી એકવાર પોતાનું નામ બદલી નાખશે. હું માનું છું કે એવી કેટલીક વધુ પીડિતાઓ છે કે જેઓ આગળ આવી નથી. તેણે 34 વર્ષ જેલમાં વિતાવ્યા છે, પરંતુ તે હજી પણ તેવો જ દુષ્ટ માણસ છે. મને તો લાગે છે કે તે હજુ પણ એવો જ ખતરનાક છે.'

જો કે, તે 66 વર્ષનો છે, પરંતુ હવે તે ખભા પર 34 વર્ષ જેલમાં રહેવાનું લેબલ લગાવીને આવ્યો છે.' બાર્લોને 1988માં 11 મહિલાઓ પર બળાત્કાર માટે 11 આજીવન કેદની સજા અને અન્ય ગુનાઓ માટે વધારાની 56 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ત્યાર પછી પણ તેને અન્ય કેટલાક કેસમાં સજા ફટકારવામાં આવી હતી.

2010માં અને ફરીથી 2017માં તેને વધુ બે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ સજા 1981 અને 1982ના ગુનાઓ માટે આપવામાં આવી હતી.

ન્યાય મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, 'અમે જાણીએ છીએ કે પીડિતો માટે આ મુશ્કેલ સમય હશે, પરંતુ એન્ડ્રુ બાર્લો તેના બાકીના જીવન માટે દેખરેખ હેઠળ રહેશે અને જો તે તેની મુક્તિની કડક શરતોનો ભંગ કરશે તો તેને ફરીથી જેલ થઈ શકે છે.'

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.