ટ્રમ્પનું ગાઝા માટે ‘બોર્ડ ઓફ પીસ’ શું છે? ભારતને આમંત્રણ, આપવા પડશે 1 અબજ ડોલર, જાણો મહત્ત્વ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ગાઝા માટે રચાયેલા બોર્ડ ઓફ પીસ'નો હિસ્સો બનવા આમંત્રણ આપ્યું છે. 'પીસ ઓફ બોર્ડ' ઇઝરાયલ અને હમાસ વચ્ચે અમેરિકાની મધ્યસ્થીમાં થયેલા યુદ્ધવિરામ કરારના બીજા તબક્કાનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. આ બોર્ડ ગાઝામાં પુનર્નિર્માણ, શાસન વ્યવસ્થા, રોકાણ અને મૂડી એકત્રીકરણની દેખરેખ કરશે.

modi-trump
facebook.com/PMOIndia

શું છે બોર્ડ ઓફ પીસ?

રોઇટર્સના અહેવાલ મુજબ, બોર્ડની અધ્યક્ષતા પોતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરશે. શરૂઆતમાં આ સંગઠન ગાઝા સંઘર્ષ પર ધ્યાન કેન્દ્રિત કરશે, પરંતુ પછીથી અન્ય વૈશ્વિક સંઘર્ષોને નીપટવા માટે પણ વિસ્તારિત કરવામાં આવશે. આ માહિતી અમેરિકન પત્ર અને ડ્રાફ્ટ ચાર્ટરના સંદર્ભે આપવામાં આવી છે. જો ભારત આ આમંત્રણ સ્વીકારે છે, તો તે અન્ય સભ્ય દેશોની જેમ 3 વર્ષના કાર્યકાળ માટે બોર્ડનો હિસ્સો બનશે.

અહેવાલો અનુસાર, જો કોઈ દેશ 3 વર્ષ બાદ પણ બોર્ડમાં સભ્યપદ ચાલુ રાખવા માંગે છે, તો તેણે 1 અબજ ડૉલર (લગભગ 8,300 કરોડ રૂપિયા)નું યોગદાન આપવું પડશે. તેના બદલામાં દેશને બોર્ડમાં કાયમી સભ્યપદ મળશે. આ રકમનો ઉપયોગ બોર્ડની ગતિવિધિઓ અને સંચાલન માટે કરવામાં આવશે. હાલમાં, શરૂઆતના 3 વર્ષના સભ્યપદ માટે કોઈ નાણાકીય યોગદાનની જરૂરિયાત નહીં રહે.

ગાઝામાં આગળ શું થશે?

APના અહેવાલ મુજબ, બોર્ડના સભ્ય દેશો ટ્રમ્પના યુદ્ધવિરામ પ્રસ્તાવના બીજા તબક્કા હેઠળ ગાઝામાં આગામી પગલાંઓનું નિરીક્ષણ કરશે. આ તબક્કામાં સામેલ છ:

ગાઝામાં નવી પેલેસ્ટિનિયન સમિતિની રચના

આંતરરાષ્ટ્રીય સુરક્ષા દળની તૈનાતી

હમાસનું નિઃશસ્ત્રીકરણ

ગાઝાનું પુનર્નિર્માણ અને પુનર્વસન,

ફાઉન્ડિંગ મેમ્બર્સ સભ્યો હશે સામેલ થયેલા દેશ.

ટ્રમ્પના વિશ્વ નેતાઓને લખેલા પત્રમાં જણાવાયું છે કે બોર્ડમાં સમાવિષ્ટ દેશો તેના સંસ્થાપક સભ્યો હશે અને તેઓ વૈશ્વિક સંઘર્ષોના ઉકેલ માટે એક સાહસિક અને નવા દૃષ્ટિકોણની શરૂઆત કરશે.

ajay banga
nationalheraldindia.com

ભારતીય મૂળના અજય બંગા, જે હાલમાં વર્લ્ડ બેન્કના અધ્યક્ષ છે, તેમને પણ બોર્ડ ઓફ પીસમાં સામેલ કરવામાં આવ્યા છે. તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા રજૂ કરાયેલા 20- સૂત્રીય રોડમેપના કેન્દ્રમાં રહેલા ટેક્નોક્રેટ્સમાં સામેલ હશે.

ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવેલ આ આમંત્રણ પત્ર શેર કર્યો. તેમણે લખ્યું કે, ‘શાંતિ બોર્ડમાં ભાગ લેવા માટે રાષ્ટ્રપતિ (POTUS) તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ રજૂ કરતા હું સન્માનિત અનુભાવી રહ્યો છું. આ બોર્ડ ગાઝામાં કાયમી શાંતિ લાવવાની દિશામાં કામ કરશે અને સ્થિર તેમજ સમૃદ્ધિ માટે અસરકારક શાસન વ્યવસ્થાને સમર્થન કરશે.

About The Author

Related Posts

Top News

36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

નેપાળના રાજકારણમાં એક ઐતિહાસિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. 'Gen-Z' આંદોલન બાદ યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામોમાં કાઠમંડુ મહાનગરના પૂર્વ મેયર...
World 
36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની સેમીફાઇનલમાં ભારત સામેની હાર બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુક ખૂબ જ નિરાશ...
Sports 
સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં ગરમીનું જોર વધવાની સાથે જ હવામાન...
Gujarat 
ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

ગુજરાતના સુરત શહેરમાંથી ખાદ્ય સુરક્ષાને લઈને એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત ખાદ્ય સુરક્ષા વિભાગ અને પોલીસે સંયુક્ત ઓપરેશન...
Gujarat 
સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.