ફરી હાર્ટ એટેકથી 2 લોકોએ જીવ ગુમાવ્યો. એક 38 વર્ષનો બીજા 53 વર્ષના

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક મહિનાઓથી હાર્ટ એટેકનો સિલસિલો અટકવાનું નામ જ નથી લેતો.નવરાત્રિના તહેવારમાં માત્ર 3 દિવસમાં 10 લોકોના મોત થયા હતા. યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકને કારણે ચિંતા વધેલી છે. હજુ હાર્ટ એટેકને કારણે 2 લોકોના મોત થયા છે.તાજેતરમાં આનંદી બેન પટેલના નિવેદન પછી ગુજરાત સરકાર સફાળી જાગી હતી.

છેલ્લાં આઠેક મહિનાથી આપણને ગુજરાતમા જોવા મળી રહ્યું છે કે પહેલાં ક્રિક્રેટ રમતા રમતા કે પ્રેકટીસ કરતી વખતે અથવા વરઘોડામાં નાચતી વખતે યુવાનોના મોતના સમાચારો આવી રહ્યા હતા. એ પછી નવરાત્રીના સમયે પ્રેકટિસ કરતી વખતે અને ગરબા રમતી વખતે યુવાનો હાર્ટ એટેકને કારણે ઢળી પડતા હોવાની વાત સામે આવી હતી.

જાણવા મળેલી વિગત મુજબ રાજકોટના નવા થોરાળા વિસ્તારમાં આવેલા ગોકુલપરામાં રહેતો 38 વર્ષનો યુવાન ફળિયામા જ અચાનક ઢળી પડ્યો હતો. તો બીજી તરફ ગાંધીગ્રામના ગોવિંદનગરમાં રહેતા એક 53 વર્ષના પ્રોઢનું પણ મોત થયુ છે.

નવા થોરાળા વિસ્તારમાં રહેતા 38 વર્ષના ગુણવંતભાઇ ચાવડા બરફના કારખાનમાં કામ કરતા હતા અને તેમને બે ભાઇ અને એક બહેન છે જેમાં ગુણવત સૌથી મોટો હતો.

ગોવિંદ નગરમાં રહેતા પરસોતમભાઇ જાદવ અચાનક ઢળી પડ્યા હતા, તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત થયું હતું. તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. તેઓ સેન્ટીંગનું કામ કરતા હતા.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર ગુજરાતના રાજ્યપાલ આનંદીબેન પટેલ તાજેતરમાં પાટણના એક કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે તેમણે કહ્યુ હતું કે, મેં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે વાત કરી હતી તેમણે કહ્યું હતુ કે કોરાનાને કારણે કે વેક્સીનને કારણે હાર્ટ એટેકના બનાવો બનતા નથી. એ પછી આનંદીબેન પટેલ ગુજરાતના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલને કહ્યું હતું કે, ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો કેમ વધી રહ્યા છે તેનું રિસર્ચ કરાવવું જોઇએ.

એ પછી આરોગ્ય મંત્રીએ હદયરોગના નિષ્ણાત તબીબો સાથે એક બેઠક કરી હતી અને તેમની સાથે હાર્ટ એટેક વિશે ચર્ચા કરી હતી. ગુજરાતના તબીબોનું કહેવું છે કે, કોરાના પહેલાં પણ હાર્ટ એટેકથી મોતના બનાવો બનતા જ હતા, પરંતુ ત્યારે નોંધ નહોતી લેવાતી, હવે એક મોત થાય છે તો પણ નોંધ લેવામાં આવે છે. તબીબોનું કહેવું છે કે જંકફુડ અને બદલાયેલી જીવન શૈલીને કારણે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધેલું છે.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.