ફરી હાર્ટ એટેકથી 2 લોકોએ જીવ ગુમાવ્યો. એક 38 વર્ષનો બીજા 53 વર્ષના

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક મહિનાઓથી હાર્ટ એટેકનો સિલસિલો અટકવાનું નામ જ નથી લેતો.નવરાત્રિના તહેવારમાં માત્ર 3 દિવસમાં 10 લોકોના મોત થયા હતા. યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકને કારણે ચિંતા વધેલી છે. હજુ હાર્ટ એટેકને કારણે 2 લોકોના મોત થયા છે.તાજેતરમાં આનંદી બેન પટેલના નિવેદન પછી ગુજરાત સરકાર સફાળી જાગી હતી.

છેલ્લાં આઠેક મહિનાથી આપણને ગુજરાતમા જોવા મળી રહ્યું છે કે પહેલાં ક્રિક્રેટ રમતા રમતા કે પ્રેકટીસ કરતી વખતે અથવા વરઘોડામાં નાચતી વખતે યુવાનોના મોતના સમાચારો આવી રહ્યા હતા. એ પછી નવરાત્રીના સમયે પ્રેકટિસ કરતી વખતે અને ગરબા રમતી વખતે યુવાનો હાર્ટ એટેકને કારણે ઢળી પડતા હોવાની વાત સામે આવી હતી.

જાણવા મળેલી વિગત મુજબ રાજકોટના નવા થોરાળા વિસ્તારમાં આવેલા ગોકુલપરામાં રહેતો 38 વર્ષનો યુવાન ફળિયામા જ અચાનક ઢળી પડ્યો હતો. તો બીજી તરફ ગાંધીગ્રામના ગોવિંદનગરમાં રહેતા એક 53 વર્ષના પ્રોઢનું પણ મોત થયુ છે.

નવા થોરાળા વિસ્તારમાં રહેતા 38 વર્ષના ગુણવંતભાઇ ચાવડા બરફના કારખાનમાં કામ કરતા હતા અને તેમને બે ભાઇ અને એક બહેન છે જેમાં ગુણવત સૌથી મોટો હતો.

ગોવિંદ નગરમાં રહેતા પરસોતમભાઇ જાદવ અચાનક ઢળી પડ્યા હતા, તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત થયું હતું. તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. તેઓ સેન્ટીંગનું કામ કરતા હતા.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર ગુજરાતના રાજ્યપાલ આનંદીબેન પટેલ તાજેતરમાં પાટણના એક કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે તેમણે કહ્યુ હતું કે, મેં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે વાત કરી હતી તેમણે કહ્યું હતુ કે કોરાનાને કારણે કે વેક્સીનને કારણે હાર્ટ એટેકના બનાવો બનતા નથી. એ પછી આનંદીબેન પટેલ ગુજરાતના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલને કહ્યું હતું કે, ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો કેમ વધી રહ્યા છે તેનું રિસર્ચ કરાવવું જોઇએ.

એ પછી આરોગ્ય મંત્રીએ હદયરોગના નિષ્ણાત તબીબો સાથે એક બેઠક કરી હતી અને તેમની સાથે હાર્ટ એટેક વિશે ચર્ચા કરી હતી. ગુજરાતના તબીબોનું કહેવું છે કે, કોરાના પહેલાં પણ હાર્ટ એટેકથી મોતના બનાવો બનતા જ હતા, પરંતુ ત્યારે નોંધ નહોતી લેવાતી, હવે એક મોત થાય છે તો પણ નોંધ લેવામાં આવે છે. તબીબોનું કહેવું છે કે જંકફુડ અને બદલાયેલી જીવન શૈલીને કારણે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધેલું છે.

About The Author

Related Posts

Top News

કાંધલ જાડેજાની કાકી હિરલબા તો ડિજિટલ અરેસ્ટ ગેં*ગની લીડર નીકળી

પોરબંદરના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની  કાકી હિરલબા જાડેજા અત્યારે ખંડણી અને અપહરણ કેસમાં જેલમાં છે. પોલીસે આ કેસની તપાસ હાથ...
Gujarat 
કાંધલ જાડેજાની કાકી હિરલબા તો ડિજિટલ અરેસ્ટ ગેં*ગની લીડર નીકળી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-03-2025 દિવસ: શનિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ સાવધાન રહેવું પડશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.