અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ ભૂકંપના આંચકા પર કાર્યવાહી કરવા CMને લેટર લખ્યો

અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકમાં આવી રહેલા વારંવાર ભૂકંપના પગલે તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરવા બાબતે અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખીત રજુઆત કરી છે.

સાંસદે કરેલી રજુઆત મુજબ અમરેલી જીલ્લાના મીતીયાળા પંથકમાં ગત તા. 23 તારીખને ગુરુવારના રોજ સવારે અને ત્યારબાદ રાત્રે ભૂકંપનો આંચકો નોંધાયા બાદ બીજા દિવસે એટલે કે તા. 24 ના રોજ પણ બપોર પછી ફરીથી ભૂકંપનો આંચકો નોંધાયેલો હતો. ફકત બે દિવસમાં જ ત્રણ વખત 3 થી વધુની તીવ્રતાવાળા આંચકાઓ અનુભવાયેલા હોવાના લીધે સાવરકુંડલા અને ખાંભા તાલુકાના મીતીયાળા પંથક આસપાસના ગામોના ગ્રામજનોમાં ખૂબ જ ભયની લાગણી વ્યાપી જવા પામી છે.

મીતીયાળા પંથકમાં છેલ્લા ત્રણ માસથી સતત ભૂકંપના આંચકોઓ નોંધાઈ રહ્યા છે અને એક જ દિવસમાં છ જેટલા આંચકાઓ આવેલા હોવાનું પણ બન્યું છે. તેમજ આ પંથકમાં ભૂકંપ અનુભવાયેલા ન હોય તેવુ એક પણ અઠવાડિયું ખાલી ગયેલું નથી. જેના લીધે લોકો રાત્રે નીરાંતે ઉંઘી પણ શકતા નથી. સાંસદે રજુઆત કરતા વધુમાં જણાવેલું હતુ કે, છેલ્લા બે દિવસમાં આંચકોઓની તીવ્રતામાં થયેલા વધારાને લીધે મીતીયાળા તેમજ આસપાસના ગામોના લોકોમાં ખૂબ જ ગભરાટ ફેલાયેલો છે.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.