ગુજરાતના આ મંદિરમાં મુસ્લિમ કપલના નિકાહ થયા, કોમી એકતાનું ઉદાહરણ જાણો

ગુજરાતના જુનાગઢમાં એક મસ્જિદને નોટીસના મુદ્દે જ્યાં  ભારે હંગામો મચી ગયો હતો અને હિંસા ફાટી નિકળી હતી એ જ જુનાગઢમાં  કોમી એકતાનું એક ઉદાહરણ પણ સામે આવ્યું છે. એક મુસ્લિમ કપલના નિકાહ હિંદુ મંદિરમાં કરવામાં આવ્યા, કુરાન પણ વાંચવમાં આવી અને ઇસ્લામિક રીતિરિવાજ પ્રમાણે નિકાહ થયા અને મહત્ત્વની વાત એ રહી કે કોઇ બબાલ પણ ન થઇ.જુનાગઢના આ મંદિરમાં અનેક લગ્નો થઇ ચૂક્યા છે, પરંતુ મુસ્લિમ કપલના નિકાહનો પ્રસંગ પહેલીવાર બન્યો છે. નિકાહ મંદિરમાં શું કામ કરવામાં આવ્યા તેનું કારણ પણ લગ્ન કરાવાનાર સંસ્થાએ કહ્યું છે.

ગુજરાતના જુનાગઢમાં દરગાહ વિવાદમાં થયેલી હિંસા બાદ હવે કોમી એકતાને મજબૂત કરવાનો કિસ્સો સામે આવ્યો છે. એક મુસ્લિમ યુગલે મંદિરમાં નિકાહ કર્યા. આ પ્રસંગે કાઝી પણ હાજર હતા. તેમણે આખા નિકાહ સંપન્ન કરાવ્યા હતા.મુસ્લિમ દંપતીએ મંદિરની અંદર ઇસ્લામિક રીતિ-રિવાજ મુજબ નિકાહ કર્યા હતા. જૂનાગઢમાં આ નિકાહ એવા સમયે થયા છે જ્યારે શહેરના મજેવડી દરવાજા પાસે આવેલી ગેબન શાહ પીરની દરગાહનો મામલો ગરમાયેલો છે. થોડા દિવસો પહેલા અહીં હિંસા પણ થઇ હતી.

મુસ્લિમ યુગલના જુનાગઢમાં આવેલા અખંડ રામનામ સંકીતર્ન મંદીરમાં નિકાહ થયા છે. મંદિરમાં નિકાહ સમયે મુસ્લિમ અને હિંદુ સમાજના અગ્રણી લોકો હાજર રહ્યા હતા. આ મંદિરમાં 24 કલાક રામધૂન વાગે છે. અત્યાર સુધીમાં આ મંદિરમાં અનેક લગ્નો થઇ ચૂક્યા છે, પરંતુ પહેલીવાર મુસ્લિમ કપલના નિકાહ થયા. આ મંદિરમાં ગોંડલમાં રહેતા અબ્દુલ કાદિર કુરેશીએ હીનાની સાથે મંદિરમં ઇસ્લામિક રીતિ રિવાજ મુજબ નિકાહ કબુલ કર્યા અને નવી જિંદગીની શરૂઆત કરી.જુનાગઢના સત્યમ સેવા યુવક મંડળ દ્રારા બંને ધર્મોના કુલ 1800 લગ્નો કરાવાયા છે.

સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજાએ કહ્યું કે, સાંપ્રદાયિક એકતા અને હિંદુ-મુસ્લિમ સમાજ વચ્ચે ભાઇચારો વધે એવા આશયથી મુસ્લિમ કપલના નિકાહ અખંડ રામનામ સંકીર્તન મંદિરમાં કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અનેક હિંદુ અને મુસ્લિમ નેતાઓએ ભાગ લીધો હતો.

મંદિરમાં નિકાહ કરાવનાર મૌલાના મોહમંદ જાવેદે કહ્યુ કે દેશમાં શાંતિ અને સદભાવ બની રહે અને લોકોને એવી શીખ મળે કે હિંદુ અને મુસ્લિમ એક છે. આનું ઉદાહરણ પુરુ પાડવા માટં મંદિરમાં નિકાહ રાખવામાં આવ્યા.નવયુગલને લોકોએ ભેટસોગાદ પણ આપી હતી

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.