આપણે બહોળા પણ અને ભોળા પણ, જરૂર પડે તો મુંછના આંકડાનો ઉપયોગ કરજો: નરેશ પટેલ

ગુજરાતમાં પટેલ સમાજની લગભગ સવા કરોડની વસ્તી છે,આપણે અને આપનો સમાજ બહોળો પણ છે અને ભોળો છે પણ ભોળાનો સમય નથી, અત્યારે મુંછના આંકડા રાખવાની ફેશન છે, રાખવાના અને જરૂર પડે ઉપયોગ પણ કરવાનો. આ વાત ખોડલધામના ટ્રસ્ટી અને અગ્રણી પાટીદાર નેતા નરેશ પટેલે રાજકોટમાં ખોડલધામ આયોજિત એક કાર્યક્રમમાં હુંકાર કરતા કહી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે પોતે રાજકારણમાં આવશે કે નહીં આવશે તે વિશે નરેશ પટેલની ખુબ ચર્ચા ચાલી હતી. ગુજરાતની ચૂંટણીઓમાં પાટીદાર સમાજનું ખાસ્સું વર્ચસ્વ રહેતું હોય છે.

લેઉઆ પટેલ સમાજના આસ્થાના પ્રતિક ગણાતા અને રાજકોટમાં આવેલા ખોડલધામ મંદિરમાં ખોડલધામ વિદ્યાર્થી સમિતી (KDVS)2023ની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું અધ્યક્ષ સ્થાન નરેશ પટેલને સોંપવામાં આવ્યું હતું. આ બેઠકમાં KDVS દ્વારા એક એડવાન્સ લેવલ એપ્લીકેશન લોંચ કરવામાં આવી હતી. આ એપ્લીકેશનથી ગુજરાતના કોઇ પણ ખુણેથી KDVS સાથે જોડાયેલા દરેક સભ્યો ખોડલધામ ટ્રસ્ટ વિશેની તમામ માહિતી મેળવી શકશે અને મહત્ત્વના સંપર્કો સાધી શકશે.

ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્રારા ઘણા સમયથી શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સમાજના વિદ્યાર્થીઓને 3P થીયરી હેટળ પોલીસ અને સરકારી નોકરી, પ્રેસ અને પોલિટિક્સ અને લીડરશીપ ડેવલપમેન્ટ માટે માર્ગદર્શન અને સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. જાણવા મળેલી માહિતી મુજબ આ યોજના હેઠળ પાટીદાર સમાજના 475 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરીને સરકારી નોકરી મેળવી છે.

રાજકોટ ખાતે આયોજિત ખોડલધામના કાર્યક્રમમાં નરેશ પટેલે કહ્યુ હતુ કે, ગુજરાતમાં પટેલ સમાજની સવા કરોડની વસ્તી છે, જ્યારે જરૂર પડે ત્યારે આપણે ભેગા થ જવાનું, પણ ખોટી રીતે નહીં. પટેલે કહ્યું કે આપણો સમાજ બહોળો પણ છે અને ભોળો પણ છે.પણ આજનો જમાનો ભોળા રહેવાનો નથી.તેમણે કહ્યુ કે આજકાલ એવું જોવા મળે છે કે કેટલાંક યુવાનો મુછો સાવ કાઢી નાંખે છે તો કેટલાંક યુવાનો મુછોને વળ આપે છે. પટેલે કહ્યું કે મુછોના વળ રાખવા જોઇએ અને જરૂર પડે તો તેનો ઉપયોગ પણ કરવો જોઇએ.

ખોડલધામ ટ્રસ્ટ આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના દરેક જિલ્લા,તાલુકા અને ગામે-ગામથી KDVSનાં કન્વીનરો, સહકન્વીનરો તથા સોશિયલ મીડિયા સહિતનાં 1200 જેટલા યુવાનોની ટીમે હાજરી આપી હતી

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.