જૂનાગઢની ઈમારત પડતા 2 દીકરા અને પતિનું મોત થયુ તો પત્નીએ એસિડ પીને કરી આત્મહત્યા

જૂનાગઢ બિલ્ડિંગ અકસ્માતમાં પોતાના બે દીકરાઓ અને પતિને ગુમાવ્યા બાદ મહિલાએ એસિડ પીને આત્મહત્યા કરી લીધી. જર્જરિત ઇમારત પડી જવાની ઘટનામાં પોતાના પતિ અને બે સગીર દીકરાઓના મોતના આઘાતમાં 30 વર્ષીય એક મહિલાએ એડિસ પી લીધું હતું. ત્યારબાદ મહિલાને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી હતી, જ્યાં 26 જુલાઇના રોજ સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું. શહેરના કાડિયાવાદ વિસ્તારમાં એક બે માળની બિલ્ડિંગ પડી ગઈ હતી.

આ ઘટનામાં કુલ 4 લોકોના મોત થઈ ગયા હતા, તેમાં એક વૃદ્ધ સહિત મહિલાનો પતિ અને બે દીકરા સામેલ હતા. પરિવાર શાકભાજી લેવા ગયો હતો. ત્યારે આ ઇમારતના કાટમાળ નીચે દબાઈ ગયા હતા. મહિલાના ભાઈએ જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર અને ટાઉન પ્લાનિંગ અધિકારી વિરુદ્ધ બિન ઇરાદે હત્યાનો કેસ દાખલ કરવાની માગ કરી છે. પોલીસે જણાવ્યું કે, મહિલાની ઓળખ મયૂરી ડાભીના રૂપમાં થઈ છે. જેનું મોત એડિસ પીવાના થોડા કલાકો બાદ 26 જુલાઇના રોજ હૉસ્પિટલમાં થયું.

પોલીસના જણાવ્યા મુજબ, મહિલાનો પતિ સંજય ડાભી (ઉંમર 33 વર્ષ) અને દીકરા તરુણ (ઉંમર 13 વર્ષ) અને દક્ષ (ઉંમર 7 વર્ષ)ના મોતનો આઘાત સહન ન કરી શકી અને તેણે એસિડ પી લીધું. શહેરના એ ડિવિઝનના પોલીસ સ્ટેશનના અધ્યક્ષ નીરવ શાહે જણાવ્યું કે, 25 જુલાઈની સાંજે આ મહિલાએ પોતાના પતિ અને બાળકોના મોતના આઘાતમાં આત્મહત્યા કરવા માટે શૌચાલેને સાફ કરવા માટે ઉપયોગ થતું એસિડ પી લીધું હતું.

મૃતિકાનો પતિ એક ઓટોરિક્ષા ચાલક હતી અને સોમવારે શહેરના દાતાર માર્ગમાં 2 માળની એક જર્જરિત ઇમારત પડી જવાની ઘટનામાં જીવ ગુમાવનારા ચાર લોકોમાંથી એક હતો. અન્ય ત્રણ લોકોમાં મહિલાના દીકરા તરુણ અને દક્ષ તેમજ એક ચાની દુકાનદાર સામેલ હતી. મહિલા શાકભાજી લેવા ગઈ હતી તેમજ તેનો પતિ અને બંને દીકરા આ ઇમારત નીચે ઓટોરિક્ષામાં બેસીને તેની રાહ જોઈ રહ્યા હતા. હવે શહેરમાં જર્જરિત ઇમારત પડવા અને ચારના મોત બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઊંઘ ઊડી છે.

તેણે જર્જરિત દુકાનો અને ઇમારતો વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. એટલું જ નહીં, જૂની ઇમરતોમાં ચાલી રહેલા કાર્યાલયોને ખાલી કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. પ્રશાસન તરફથી એવા કાર્યાલયોનો સામાન અન્ય સ્થળ પર લઈ જવામાં આવી રહ્યો છે. તેની સાથે જ શહેરમાં જર્જરિત ઇમારતોને ધ્વસ્ત કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. મ્યુનિસિપાલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું કે, 100 કરતા વધુ જર્જરિત ઇમરતોની ઓળખ કરવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

પહેલા વેનેઝુએલા... હવે ઈરાન... ચીન માટે માથાનો દુખાવો બન્યું છે અમેરિકા

અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર શ્રેણીબદ્ધ હુમલાઓ શરૂ કર્યા, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીની હત્યા કરવામાં આવી. તાજેતરના...
Business 
પહેલા વેનેઝુએલા... હવે ઈરાન... ચીન માટે માથાનો દુખાવો બન્યું છે અમેરિકા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -03-03-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

દિલ્હીના વઝીરાબાદમાં એક મહિલાએ તેના પ્રેમી, 22 વર્ષીય નકલી ડોક્ટર વિસરજીતના ગુપ્તાંગ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. મહિલાને...
National 
ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ PM કીર સ્ટોર્મર પ્રત્યે ખુબ ગુસ્સો વ્યક્ત કર્યો...
World 
ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.