ભારતનો ‘ચંદ્રવિજય’, વૈજ્ઞાનિકોને સલામ, સાઉથ પોલમાં લેન્ડિંગ કરનારો પહેલો દેશ

જેની દેશ અને દુનિયાના લોકો ઘણા દિવસોથી આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે ઐતિહાસિક  ઘટના 23 ઓગસ્ટે સાંજે 6 વાગ્યે અને 4 મિનિટે પુરી થઇ. ભારતે ચંદ્રયાન-3નું સફળતા પૂર્વક લેન્ડિંગ કરીને અભૂતપૂર્વ સિદ્ધી હાંસલ કરી છે. દરેક દેશવાસીઓ માટે આ ગૌરવની ક્ષણ હતી. ભારતભરના લોકોએ આ સિદ્ધીને વધાવી છે અને વૈજ્ઞાનિકોની સરાહના કરી છે.

ચંદ્રયાન- 3એ ચાંદની સપાટી પર સફળ લેન્ડિંગ કરી દીધું છે. આવી સફળતા હાંસલ કરનારો ભારત દુનિયાનો ચોથો દેશ બની ચૂક્યો છે. ભારતના 140 કરોડ લોકોની પ્રાર્થના અને 16500 વૈજ્ઞાનિકોની 4 વર્ષની મહેનત રંગ લાવી છે. ખરેખર. ચંદ્રયાન-3 સાથે જોડાયેલા દેશના દરેક વૈજ્ઞાનિકોને લાખ લાખ સલામ. હવે પુરી દુનિયા જ નહી, ચંદ્ર પણ ભારતની મુઠ્ઠીમાં છે.

 આખરે ISRO ચંદ્ર પર ઝંડો લહેરાવી દીધો છે. વૈજ્ઞાનિકોની દિવસ રાતની મહેનત સફળ થઇ છે અને ભારતનું નામ હવે દુનિયામાં એ 4 દેશો સાથે જોડાઇ ગયું છે ,જે સોફ્ટ લેન્ડિંગમાં એક્સપર્ટ છે. 

કુલ મળીને વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર મળીને ચંદ્રના વાયુમંડળ, સરફેસ, રસાયણ, ભૂકંપ, ખનિજ વગેરેની તપાસ કરશે. તેનાથી ઇસરો સહિત વિશ્વભરના વૈજ્ઞાનિકોને ભવિષ્યનું સ્ટડી કરવા માટે જાણકારી મળશે. રિસર્ચ કરવામાં સરળતા રહેશે. આ તો થઇ વૈજ્ઞાનિકોના ફાયદાની વાત.

દેશને શું ફાયદો થશે

તેના વિશે વાત કરીએ તો વિશ્વમાં અત્યાર સુધી ફક્ત ત્રણ દેશો જ ચંદ્ર પર સફળતા પૂર્વક પહોંચી શક્યા છે. અમેરિકા, રશિયા અને ચીન. ભારતનું ચંદ્રયાન - 3 સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળ થતા ભારત આમ કરનારો વિશ્વનો ચોથો દેશ બની  ગયો છે.દક્ષિણી ધ્રુવના વિસ્તારમાં લેન્ડિંગ કરનારો વિશ્વનો પહેલો દેશ બની જશે.

ISROને શું ફાયદો થશે તેના વિશે વાત કરીએ તો,

ઇસરો આખી દુનિયામાં સસ્તા કોમર્શિયલ લોન્ચિંગ માટે જાણીતું છે. અત્યાર સુધી 34 દેશોના 424 વિદેશી સેટેલાઇટ્સને છોડી ચુક્યું છે. 104 સેટેલાઇટ્સ એક સાથે છોડ્યા છે. તે પણ ફક્ત એક જ રોકેટથી. ચંદ્રયાન - 1એ ચંદ્ર પર પાણી શોધ્યું હતું. ચંદ્રયાન - 2 ઓર્બિટર આજે પણ કામ કરી રહ્યું છે. તેણે જ ચંદ્રયાન - 3 માટે લેન્ડિંગ સાઇટ શોધી હતી. મંગળયાનનો પરચો તો આખી દુનિયા જોઇ ચૂકી છે. ચંદ્રયાન - 3ની સફળતા ઇસરોના નામને આખી દુનિયાની મોટી સ્પેસ એજન્સીઓમાં સામેલ કરી દેશે.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.