14કે 15 જાન્યુઆરી, ક્યારે ઉજવાશે મકરસંક્રાંતિ? જાણો તારીખ, મુહૂર્ત અને પૂજા વિધિ

હિંદુ ધર્મમાં મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ તહેવારથી વસંત ઋતુનું આગમન થવા લાગે છે. પૌષ મહિનામાં જ્યારે સૂર્ય ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં ગોચર કરે છે ત્યારે આ તહેવાર ઉજવવામાં આવે છે.

વર્ષ 2023મા, આ તહેવાર 15 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે. ઘણી જગ્યાઓ પર તેને ખીચડી, ઉત્તરાયણ અને લોહરી પણ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિથી ઋતુ બદલાવા લાગે છે. સાથે જ મકરસંક્રાંતિના દિવસે ખીચડી બનાવવાનું એક ખાસ મહત્વ પણ માનવામાં આવે છે. આ દિવસે સૂર્ય પૂજા, સ્નાન, દાનનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. મકરસંક્રાંતિના દિવસે ખરમાસના અંતની સાથે નવા મહિનાની શરૂઆત પણ થાય છે.

મકરસંક્રાંતિ વર્ષ 2023નું શુભ મુહૂર્ત

પંડિત અરુણેશ કુમાર શર્માના જણાવ્યા મુજબ, આ વખતે મકરસંક્રાંતિ 15 જાન્યુઆરી 2023ના રોજ ઉજવવામાં આવશે. મકરસંક્રાંતિની શરૂઆત 14 જાન્યુઆરી 2023ના રોજ રાત્રે 08 વાગ્યેને 43 મિનિટે થશે. મકરસંક્રાંતિનો શુભ સમય 15 જાન્યુઆરીએ સવારે 06 વાગ્યેને 47 મિનિટ પર શરૂ થશે અને તેનું સમાપન સાંજે 05 વાગ્યેને 40 મિનિટે થશે. જ્યારે, મહાપુણ્ય કાળ સવારે 07 વાગ્યેને 15 મિનિટથી સવારે 09 વાગ્યેને 06 મિનિટ સુધી રહેશે. ઉદય તિથિ મુજબ, આ વખતે મકરસંક્રાંતિ 15 જાન્યુઆરી, 2023ના રોજ જ ઉજવવામાં આવશે. પુણ્યકાળ અને મહાપુણ્યકાળમાં સ્નાન કરવું અને દાન કરવું શુભ હોય છે.

મકરસંક્રાંતિ પૂજન વિધિ

આ દિવસે વહેલી સવારે સ્નાન કર્યા પછી લોટામાં લાલ ફૂલ અને અક્ષત એટલે કે ચોખા નાખીને સૂર્યને અર્ઘ્ય ચઢાવો. સૂર્યના બીજ મંત્રનો જાપ કરો. શ્રીમદ ભાગવદના એક અધ્યાયનો પાઠ કરો અથવા ગીતાનો પાઠ કરો. નવા અનાજ, ધાબળા, તલ અને ઘીનું દાન કરો. ભોજનમાં નવા અનાજની ખીચડી બનાવો. ભોજન ભગવાનને અર્પણ કરીને તેને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો. સાંજના સમયે અન્નનું સેવન નહીં કરો. આ દિવસે કોઈ ગરીબ વ્યક્તિને વાસણની સાથે તલનું દાન કરવાથી શનિ સાથે જોડાયેલી દરેક પીડામાંથી મુક્તિ મળે છે.

મકરસંક્રાંતિનું મહત્વ

મકરસંક્રાંતિના તહેવારને કેટલીક જગ્યાઓ પર ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે ગંગા સ્નાન, ઉપવાસ, કથા, દાન અને ભગવાન સૂર્યની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે કરવામાં આવેલુ દાન અક્ષય ફળદાયી હોય છે. આ દિવસે શનિદેવ માટે પ્રકાશનું દાન કરવું પણ ખૂબ જ શુભ હોય છે. પંજાબ, UP, બિહાર અને તમિલનાડુમાં આ સમય નવા પાકની લણણીનો હોય છે. આથી ખેડૂત આ દિવસને આભાર દિવસના રૂપમાં પણ ઉજવે છે. આ દિવસે તલ અને ગોળની બનેલી મીઠાઈઓ વહેંચવામાં આવે છે. આ સિવાય મકરસંક્રાંતિના દિવસે પતંગ ઉડાવવાની પણ પરંપરા છે.

પૌરાણિક માન્યતાઓ મુજબ, મકરસંક્રાંતિના દિવસે, સૂર્ય દેવ તેમના પુત્ર શનિના ઘરે પણ જાય છે. એટલે કે, આ તહેવાર પુત્ર અને પિતાના મિલનનો પણ સંકેત આપે છે. એક અન્ય કથા મુજબ, રાક્ષસો પર ભગવાન વિષ્ણુના વિજય તરીકે પણ મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે.

એવું કહેવાય છે કે, મકરસંક્રાંતિના દિવસે ભગવાન વિષ્ણુએ પૃથ્વી લોક પર રાક્ષસોનો સંહાર કરીને તેમના માથા કાપીને મંદરા પર્વત પર દાટી દીધા હતા. ત્યારથી ભગવાન વિષ્ણુની આ જીતને મકરસંક્રાંતિ તહેવાર તરીકે ઉજવવામાં આવવા લાગ્યો. સાથે જ આ દિવસે ગોળ સિવાય તલનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે તલનું દાન અને ઉપયોગ કરવામાં આવે છે અને આ પ્રક્રિયા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે કેટલીક જગ્યાએ પતંગ ઉડાવવાની પરંપરા પણ હોય છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.