ભારતમાં 10 લાખ નોકરીઓ જોખમમાં, આશરે 8 લાખ કરોડ દાવ પર, ટ્રમ્પના ટેરીફથી આ ક્ષેત્રો...

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ કરતાં વધુ જિદ્દી ઉદ્યોગપતિ જેવું વર્તન કરી રહ્યા છે. જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળી છે, ત્યારથી તેમના આ વલણની દુનિયાના દેશો અને વૈશ્વિક અર્થતંત્ર પર ખરાબ અસર પડી રહી છે. ટ્રમ્પે તેમની જીદને કારણે વૈશ્વિક વેપાર વ્યવસ્થાને બગાડી નાખી છે. ભારત સાથે અમેરિકાના બગડતા સંબંધો ટ્રમ્પના ઘમંડનું પરિણામ છે. રશિયા પાસેથી તેલ ખરીદવાના બહાને અમેરિકાએ પહેલા ભારત પર 25 ટકા ટેરિફ અને પછી 25 ટકા દંડ લાદ્યો, જેનાથી કુલ 50 ટકા ટેરિફ થયો. આજથી ભારતે અમેરિકાને માલ વેચવા પર 50 ટકા ટેક્સ ચૂકવવો પડશે. ટ્રમ્પના આ પગલાથી ભારતને નુકસાન થશે. ભારતની નિકાસ પ્રભાવિત થશે. કોઈપણ દેશની પ્રગતિમાં સૌથી મોટી ભૂમિકા તેની નિકાસની હોય છે. જો નિકાસ ઘટશે, તો ઉદ્યોગો પ્રભાવિત થશે, નોકરીઓ જોખમમાં આવશે.

US-Tariff1
timesofindia.indiatimes.com

ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) અનુસાર, 50 ટકા ટેરિફને કારણે ભારતની 5.4 લાખ કરોડ રૂપિયાની નિકાસ પ્રભાવિત થશે. ભારત અમેરિકાને 7.5 લાખ કરોડ રૂપિયાની નિકાસ કરે છે, પરંતુ ટેરિફ વધારવાથી તેમાં ઘટાડો થઈ શકે છે. GTRI અનુસાર, ટેરિફને કારણે, એપ્રિલ 2027 સુધીમાં ભારતથી અમેરિકામાં નિકાસ ઘટીને 4.3 લાખ કરોડ રૂપિયા થઈ શકે છે.

50 ટકા ટેરિફને કારણે અમેરિકામાં વેચાતા કપડાં, રત્ન-ઝવેરાત, ફર્નિચર, સીફૂડ જેવા ભારતીય ઉત્પાદનો મોંઘા થઈ જશે, જેના કારણે તેની માંગ 70 ટકા ઘટી શકે છે. ભારતીય માલ પર ટેરિફ વધારવાથી માલની કિંમતમાં વધારો થશે. જ્યારે, ચીન, વિયેતનામ અને મેક્સિકો જેવા ઓછા ટેરિફ ધરાવતા દેશો આ માલ સસ્તા ભાવે વેચશે, જેના કારણે ભારતીય માલની માંગ ઘટશે. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ બ્રિજેશ કોયલ કહે છે કે, 50 ટકા US ટેરિફ કાપડ, ચામડું, રત્ન અને ઝવેરાત વગેરે ક્ષેત્રો પર ખરાબ અસર કરશે.

US-Tariff2
economictimes.indiatimes.com

US ટેરિફ દેશમાં 10 લાખ નોકરીઓને જોખમમાં મૂકી શકે છે. ઉદ્યોગ પર અસર થવાને કારણે આવક ઘટશે, કામ ઘટશે, જેના કારણે નોકરીઓ પણ ઘટશે. CTIના ચેરમેન બ્રિજેશ ગોયલે PM નરેન્દ્ર મોદીને પત્ર લખીને કહ્યું છે કે, ભારતે પણ અમેરિકાથી આયાત થતી વસ્તુઓ પર 50 ટકા પ્રતિશોધક ટેરિફ લાદવો જોઈએ. નિકાસકારોને અમેરિકાને બદલે અન્ય વિકલ્પો શોધવાની સલાહ આપવામાં આવી છે.

બ્રિજેશ ગોયલે કહ્યું કે, વધેલા ટેરિફને કારણે, ભારતીય માલ અમેરિકામાં અન્ય દેશોની તુલનામાં 35 ટકા વધુ મોંઘો થશે, જેના કારણે ત્યાંના ખરીદદારો ભારત કરતાં અન્ય દેશોને પ્રાધાન્ય આપશે. CTIના ચેરમેન બ્રિજેશ ગોયલના જણાવ્યા અનુસાર, 48 અબજ ડૉલરથી વધુ મૂલ્યની ભારતીય નિકાસ આનાથી પ્રભાવિત થઈ શકે છે. CTIના જનરલ સેક્રેટરી રાહુલ અદલખા અને રાજેશ ખન્નાના જણાવ્યા અનુસાર, ભારત 53 ટકા ફાર્માસ્યુટિકલ્સ, 53 ટકા કાપડ અને વસ્ત્રો, 37 ટકા રત્નો અને ઝવેરાત, 28 ટકા ઓટો ઘટકો, 13 ટકા રસાયણો, 22 ટકા સીફૂડ વગેરે અમેરિકામાં નિકાસ કરે છે.

વેપારી વર્ગમાં એક મોટી મૂંઝવણ છે કે જે કંપનીઓએ અહીં ઓર્ડર લીધા છે અથવા જે માલ રસ્તામાં છે અને જે માલ મોકલવામાં થોડો સમય લેશે તેનું શું થશે.

US-Tariff4
timesofindia.indiatimes.com

CTI મુજબ, ભારતે 2024માં અમેરિકામાં 1.7 લાખ કરોડ રૂપિયાના એન્જિનિયરિંગ માલની નિકાસ કરી હતી, જેમાં સ્ટીલ ઉત્પાદનો, મશીનરી, ઓટોમોબાઈલ ભાગો વગેરેનો સમાવેશ થાય છે, હાલમાં આ માલ પર 10 ટકા ટેરિફ લાદવામાં આવ્યો હતો. તેવી જ રીતે, અગાઉ રત્નો અને ઝવેરાત પર 10 ટકા ટેરિફ હતો, જે ભારતે ગયા વર્ષે 90 હજાર કરોડ રૂપિયામાં નિકાસ કર્યો હતો, જ્યારે કાપડ પર 10 ટકા ટેરિફ હતો, જે હવે વધારીને 50 ટકા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ફાર્મા ક્ષેત્રમાં 92 હજાર કરોડ રૂપિયાની દવાઓની નિકાસ કરવામાં આવી હતી.

બ્રિજેશ ગોયલે કહ્યું કે, આજે અમે PM નરેન્દ્ર મોદીને પત્ર લખીને માંગ કરી છે કે, જર્મની, બ્રિટન, સિંગાપોર, મલેશિયા જેવા દેશોમાં એન્જિનિયરિંગ માલની માંગ વધી રહી છે, આવી સ્થિતિમાં, ભારતે આ દેશોમાં માલ વેચવા માટે વિકલ્પો શોધવા જોઈએ. આ સાથે, અમે કહ્યું છે કે, ભારતે પણ આ ખતરાથી ડરવાની જરૂર નથી. અમેરિકાથી ખનીજ, મોંઘા રત્નો, ઝવેરાત, સિક્કા, ધાતુઓ, પરમાણુ રિએક્ટર અને વિમાનના સાધનો, વિદ્યુત ઉપકરણો, ઓપ્ટિકલ ઉપકરણો, પ્લાસ્ટિક, રસાયણો, બદામ, સૂકા ફળો, લોખંડ, સ્ટીલ વગેરે મોટા પાયે ભારતમાં આવે છે. ભારતે આ બધી બાબતોમાં અમેરિકા પરની નિર્ભરતા ઘટાડવી જોઈએ અને અન્ય દેશો પાસેથી વિકલ્પો શોધવા જોઈએ. ભારતે પણ અમેરિકા પર જવાબી ટેરિફ લાદવા જોઈએ, કારણ કે અમેરિકાને પાઠ ભણાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.