SEBIનો સુપ્રીમ કોર્ટમાં ખુલાસો- 2016થી નથી ચાલી રહી અદાણી ગ્રુપ પર કોઈ તપાસ

અદાણી-હિંડનબર્ગ મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા સોમવારે ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ SEBIએ પ્રતિઉત્તર એટલે કે રિજોઇન્ડર દાખલ કર્યો છે. તેમા SEBIએ અદાણી ગ્રુપના ક્રિયા-કલાપને લઇને તમામ રીતે સ્પષ્ટતા કરી છે. રિજોઇન્ડરમાં રેગ્યુલેટર તરફથી સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવ્યું છે કે, 2016થી અદાણી ગ્રુપની તપાસના દાવા તથ્યાત્મકરૂપે સંપૂર્ણરીતે નિરાધાર છે. કોર્ટમાં આપવામાં આવેલી એક એફિડેવિટ અનુસાર, અદાણી ગ્રુપની કોઈપણ લિસ્ટેડ કંપની આ અવધિમાં SEBI દ્વારા કરવામાં આવેલી 51 કંપનીઓની તપાસનો હિસ્સો નથી.

SEBI તરફથી સફાઈ આપતા કહેવામાં આવ્યું છે કે, જે 51 કંપનીઓની તપાસ વર્ષ 2016થી કરવામાં આવી, આ તપાસ એ લિસ્ટેડ કંપનીઓ દ્વારા ગ્લોબલ ડિપોઝીટરી રસીદો (GDR) જાહેર કરવા સાથે સંબંધિત છે, તેમાંથી એક પણ અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપની નહોતી. તેના પરથી સ્પષ્ટ છે કે, અદાણી ગ્રુપની કોઈપણ કંપની વિરુદ્ધ તપાસ પેન્ડિંગ અથવા પૂરી થવાની વાત પાયાવિહોણી છે. આ ઉપરાંત, હિંડનબર્ગ રિપોર્ટમાં જે 12 સંદિગ્ધ ટ્રાન્ઝેક્શનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ડાયરેક્ટ સપાટ નથી પરંતુ, ખૂબ જ જટિલ છે અને તેની સાથે સંકળાયેલી લેવડ-દેવડ ઘણા દેશોમાં સ્થિત ફર્મ્સ સાથે સંબંધિત છે.

બજાર નિયમકે કહ્યું કે, આ તમામ 12 દેવડ-દેવડ સાથે સંકળાયેલા આંકડા અને પરિણામોની તપાસ કરવામાં હજુ ઘણો સમય લાગશે. ઉલ્લેખનીય છે કે, આ તપાસ માટે SEBI એ સુપ્રીમ કોર્ટ પાસે વધુ સમય માંગ્યો છે. નિયામકે તેની પાછળનો ઈરાદો જણાવતા કહ્યું છે કે, નિવેશકોની સિક્યોરિટી અને માર્કેટની સાથે ન્યાય કરવા માટે આ જરૂરી છે. બાર એન્ડ બેન્ચ દ્વારા શેર કરવામાં આવેલા એક ટ્વિટ અનુસાર, હિંડનબર્ગ રિપોર્ટ મામલામાં સુનિશ્ચિત કરવા માટે તપાસ પૂરી કરવા માટે સમયના વિસ્તારની આવશ્યકતા છે.

રોયટર્સ અનુસાર, એફિડેવિટમાં એવુ પણ કહેવામાં આવ્યું છે કે, અબજોપતિ ગૌતમ અદાણીના નેતૃત્વવાળા ગ્રુપ દ્વારા વિનિયામક ખુલાસાની સંભવિત ખામીઓની તપાસનો કોઇપણ ખોટો કે સમય કરતા પહેલા આપવામાં આવેલો નિષ્કર્ષ ન્યાયના હિતમાં નહીં હશે અને કાયદાકીયરૂપે પણ અસ્થિર હશે. કોર્ટના ફાઇલિંગમાં SEBIએ કહ્યું કે, તેણે પહેલા જ 11 વિદેશી રેગ્યુલેટર્સ સાથે આ સંબંધમાં જાણકારી માટે સંપર્ક કર્યો છે કે, શું અદાણી ગ્રુપે પોતાના સાર્વજનિકરૂપથી ઉપલબ્ધ શેરોના સંબંધમાં કોઈપણ માનદંડનું ઉલ્લંઘન કર્યું છે?

SEBI તરફથી અદાણી-હિંડનબર્ગ મામલાની તપાસ માટે છ મહિનાના સમયની માંગ માટે અરજી દાખલ કરવામાં આવી છે. તેના પર આજે કોઈપણ નિર્ણય આવી શકે છે. મુખ્ય જજ ડી વાઈ ચંદ્રચૂડ અને જજ પી એસ નરસિમ્હા અને જે બી પારદીવાલાની બેન્ચ આ મામલાને સાંભળી રહી છે. આ પહેલા CJIએ એક અરજીકર્તાના વકીલને કહ્યું કે, અમે નિવેશકોના હિતો માટે એક કમિટીનું ગઠન કર્યું છે. સાથે જ મુખ્ય જજે કહ્યું કે, SEBIને પહેલા જ બે મહિનાનો સમય આપ્યો છે અને વધુ છ મહિનાનો સમય ના આપી શકાય.

ગત 24 જાન્યુઆરીએ હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર શેરોમાં હેરફેર અને દેવા સાથે સંકળાયેલા 88 સવાલ ઉઠાવતા પોતાનો રિસર્ચ રિપોર્ટ પબ્લિશ કર્યો હતો. તે જાહેર થવાના બીજા કારોબારી દિવસે જ અદાણીની કંપનીઓના શેર ધરાશાયી થઈ ગયા હતા અને બે મહિના સુધી તેમા સતત ઘટાડો જ જોવા મળ્યો હતો. અદાણી ગ્રુપની કંપનીઓના શેર 80 ટકા કરતા વધુ તૂટી ગયા હતા. 24 જાન્યુઆરી પહેલા દુનિયાના ટોપ અબજોપતિઓમાં ચોથા નંબર પર રહેલા ગૌતમ અદાણી નેટવર્થમાં ઘટાડાથી લિસ્ટમાં નીચે સરકીને 37માં નંબર પર પહોંચી ગયા હતા. દરમિયાન ગૌતમ અદાણીની નેટવર્થમાં 60 અબજ ડૉલર કરતા વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.