અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો માટે હવે વધુ મોટી જગ્યા

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસીત કરવાનું કાર્ય અવિરત જારી છે. સતત વધી રહેલા પેસેન્જર ટ્રાફિક વચ્ચે મુસાફરોના ઉત્કૃષ્ટ અનુભવને સુનિશ્ચિત કરવા ઘણા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ખુલ્લા મુકવામાં આવ્યા છે. ગુરુવારે SVPI એરપોર્ટ પર હાલની ક્ષમતા કરતાં બમણી કરતાં બમણી ક્ષમતા ધરાવતા ડોમેસ્ટિક ટર્મિનલ પર નવો સિક્યોરિટી હોલ્ડ એરિયા (SHA) ખુલ્લો મુકવામાં આવ્યો છે.

SVPI એરપોર્ટ પર 19 ફેબ્રુઆરી 2023ના રોજ 37960થી વધુ મુસાફરોના આવાગમન સાથે ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું. કોવિડ બાદ મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે. SVPI એરપોર્ટ પર છેલ્લા બે વર્ષથી ક્ષમતા વધારવા માટે કેટલીય સેવાઓ નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યા છે. ડોમેસ્ટિક ટર્મિનલ ગ્રાઉન્ડ ફ્લોર પર તમામ નવા SHA અગાઉના SHA વિસ્તારની તુલનામાં બમણી ક્ષમતા ધરાવે છે. તાજેતરમાં બે નવા બસ બોર્ડિંગ ગેટ કાર્યરત થયા છે અને નવા SHA સાથે કનેક્ટેડ છે. વળી 1400 જેટલા SQM સિક્યોરિટી હોલ્ડ એરિયામાં ઝડપી પેસેન્જર વેરિફિકેશન માટે ચાર ઈ-ગેટ છે, વધારાના એક્સ-રે મશીનો સાથે સિક્યોરીટી ચેક માટે મોટો વિસ્તાર અને મેટલ ડિટેક્ટર દરવાજા છે.મુસાફરોની સરળ અવરજવર માટે કતારનો વિસ્તાર લગભગ 50% સુધી વધારવામાં આવ્યો છે. સુરક્ષા તપાસ બાદ બેઠક ક્ષમતા ચાર ગણી વધીને 160થી 648 થઈ ગઈ છે. બહોળી કાર્યક્ષમતા સાથે ઉન્નત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડોમેસ્ટિક ટર્મિનલથી બહુવિધ પ્રસ્થાનોને સમાવવામાં મદદરૂપ થશે.



તાજેતરમાં SVPI એરપોર્ટે છ લેન નવા આગમન પિક-અપ વિસ્તારને કાર્યરત કર્યો છે. એટલું જ નહીં, પીકઅપ ડ્રોપ વિસ્તાર હવે ટર્મિનલના નવા વોકવે સાથે જોડાયેલો છે. બંને ટર્મિનલ પર ઘણા નવા પેસેન્જર વિસ્તારો વધારવામાં આવ્યા છે. અગ્રેસર ઔદ્યોગિક રાજ્ય તરીકે ઓળખાતું ગુજરાત, રાષ્ટ્રીય વિકાસમાં અગ્રેસર છે. વળી અમદાવાદ સ્ટ્રેટર્જીક લોકેશન તેમજ છેલ્લા બે દાયકાઓથી ઝડપી અને સમાવેશી વિકાસનાં કારણે કેન્દ્ર સ્થાને છે. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રસ્તાવિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ માટેનો પ્રયાસ એક વ્યવહારુ અને સ્થાયી બિઝનેસ ઈકોસિસ્ટમ સ્થાપિત કરવાનો છે. જેમાં બ્રાન્ડના ધ્યેય વાક્ય સાથે એરપોર્ટના કેચમેન્ટ એરિયાને વધારવો, અંદાજિત ટ્રાફિક અનુસાર એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવું, સલામત અને કાર્યક્ષમ એરપોર્ટ ઓપરેશન્સ સુનિશ્ચિત કરવા વગેરે સામેલ છે.

 

 

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.