NSDC અને AM/NS ઈન્ડિયાએ 800 લોકોને સફળતાપૂર્વક ડિજિટલ સ્કીલથી સજ્જ કર્યા

નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએસડીસી) અને આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) એ આજે જાહેરાત કરી છે કે વર્ષ 2022માં શરૂ કરાયેલી તેમની રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ ભાગીદારીએ 800 મહત્વાકાંક્ષી યુવાનો માટે તેનો પ્રારંભિક તાલીમ કાર્યક્રમ પૂર્ણ કર્યો છે, જેમાંથી 70% તાલીમાર્થીઓ અત્યાર સુધી નોકરીઓ મેળવી ચૂક્યા છે. આ વિશિષ્ટ રીતે તૈયાર કરાયેલો કાર્યક્રમ ડિજિટલ અને વ્યાપક ટેકનોલોજી કૌશલ્ય તાલીમ પર કેન્દ્રિત છે જેથી સહભાગીઓને વિવિધ ઉદ્યોગોમાં વર્કફોર્સમાં તેમના પ્રવેશને સરળ બનાવવા માટે સાધનો અને જ્ઞાન પ્રદાન કરી શકાય. નોકરી મેળવનાર 561 તાલીમાર્થીઓમાં 60 ટકાથી વધુ મહિલાઓ છે.

એનએસડીસી અને એએમ/એનએસ ઈન્ડિયા આગામી વર્ષોમાં વધુ 800 લોકોને તાલીમ આપીને કાર્યક્રમની સફળતાને આગળ વધારવાનો ઇરાદો ધરાવે છે. આમાં ઓડિશાના કેન્દ્રાપારા, સુંદરગઢ અને કેઓંઝર જિલ્લામાં ત્રણ નવા કૌશલ્ય વિકાસ કેન્દ્રો તેમજ છત્તીસગઢના દાંતેવાડામાં એક કેન્દ્રની સ્થાપનાનો સમાવેશ થાય છે.

એનએસડીસીના સીઈઓ તથા એનએસડીસી ઈન્ટરનેશનલના એમડી વેદ મણિ તિવારીએ જણાવ્યું હતું કે, “ભારત પ્રચંડ યુવા વસ્તી ધરાવે છે. આથી એ જરૂરી છે કે તેઓ વ્યવસાયની ગતિશીલ માંગને પહોંચી વળવા આવશ્યક ડોમેન-વિશિષ્ટ કૌશલ્યોથી સજ્જ હોય. આઈટી /આઈટી એનેબલ્ડ સર્વિસીઝ અને ટેલિકોમ ક્ષેત્રોમાં પ્લેસમેન્ટ-લિંક્ડ કૌશલ્ય પ્રશિક્ષણ પ્રદાન કરવું એ યુવા ક્ષમતાઓને પ્રોત્સાહન આપવાનું એક મહત્વપૂર્ણ પગલું છે અને આ પહેલ યુવાનોને લાભદાયી કારકિર્દીની સંભાવનાઓને ખોલવા અને ગતિશીલ જોબ માર્કેટમાં આગળ વધવા માટે સશક્ત બનાવે છે. પ્રતિષ્ઠિત કંપનીઓમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હું એએમ/એનએસ ઈન્ડિયા સાથેની અમારી ભાગીદારી માટે વધુ ને વધુ ખાનગી ક્ષેત્રને સાંકળવા માટે પ્રોત્સાહિત કરવા, ક્ષેત્રની ક્ષમતાઓને વધારવા, ઈનોવેશનને પ્રોત્સાહિત કરવા અને વર્કફોર્સમાં તેમના સંક્રમણને સરળ બનાવવા માટે ઉત્સાહી છું.”

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા)ના એચઆર તથા એડમિનિસ્ટ્રેશન ડેપ્યુટી ડિરેક્ટર કેઇજી કુબોતાએ જણાવ્યું હતું કે “યુવાનોની આકાંક્ષાઓને વાસ્તવિકતામાં ફેરવવામાં મદદ કરવા માટે આ પહેલની સ્થાપના પછીથી જે પ્રગતિ થઈ છે તેનાથી અમે રોમાંચિત છીએ. પ્રોગ્રામની સફળતાના કેન્દ્રમાં યુવાનોને કૌશલ્યોથી સજ્જ કરવાની એવી ક્ષમતા રહેલી છે જે ખાસ કરીને ટેક અને ટેલિકોમ સહિતના ઉદ્યોગોની શ્રેણીમાં ઉપલબ્ધ જોબ પ્લેસમેન્ટ સાથે જોડાયેલી છે. અમારા પાર્ટનર એનએસડીસી સાથે મળીને, અમે હજુ પણ વધુ યુવાનોને સશક્ત બનાવવા અને રાષ્ટ્ર માટે ટેકનોલોજી આધારિત ઉજ્જવળ ભવિષ્યને આકાર આપવા માટે આતુર છીએ.”

એએમ/એનએસ ઇન્ડિયાએ વર્ષ 2022માં એનએસડીસી સાથે સૌપ્રથમ વખત ભાગીદારી કરી હતી અને તે સમયે ગુજરાત, ઓડિશા, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં ચાર કૌશલ્ય વિકાસ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી હતી. આ કેન્દ્રોના વિદ્યાર્થીઓને વાસ્તવિક-જીવનના કાર્ય વાતાવરણથી વાકેફ કરવામાં આવ્યા હતા અને તેમને પ્રોફેશનલ સેટિંગ્સમાં તેમની કુશળતા લાગુ કરવાની તક મળી. સેક્ટર સ્કીલ કાઉન્સિલમાં સમાવિષ્ટ એજન્સીઓ એક મજબૂત આકારણી અભિગમ અમલમાં મૂકે છે અને પ્લેસમેન્ટની તકો સાથે તાલીમ પૂરી થયાના પ્રમાણપત્રો પણ એનાયત કરે છે.

 

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.