આ કંપનીનો શેર 75 ટકા તૂટી ચૂક્યો છે છતા નિષ્ણાતો ખરીદવાની સલાહ આપી રહ્યા છે

Paytmના IPOમાં રોકાણકારો હજુ સુધી રાતા પાણીએ રડી રહ્યા છે. IPOના ઇતિહાસમાં કદાચ Paytm એવો શેર હશે જેણે રોકાણકારોને સૌથી વધારે નુકશાન કરાવ્યું હોય. IPOમાં 2150 રૂપિયાના ભાવે શેર આપવામાં આવ્યો હતો, જે આજે 547 રૂપિયા પર  પહોંચ્યો છે. જો કે, શેરબજારના નિષ્ણાતોનું માનવું છે કે આ ભાવથી શેર ખરીદવા જેવો લાગે છે. લગભગ 1400 રૂપિયા સુધી પહોંચી શકે છે.

Paytmના શેરો માટેનો લોક-ઇન પિરિયડ પુરો થયા પછી આ શેરમાં વેચવાલીનું દબાણ વધ્યું છે. ઉપરાંત નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓ ફ ઇન્ડિયા UPI પેમેન્ટ્ દ્રારા થતા વહેવારોની મર્યાદા નક્કી કરવાનું વિચારી રહી છે એટલે પણ Paytmના શેરોમાં વેચવાલી નિકળી છે.

Paytmની પેરન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સના શેરોમાં રોકાણ અત્યાર સુધીમાં IPO રોકાણકારો માટે સૌથી વધારે ખરાબ રોકાણ સાબિત થયું છે. જે ભાવે શેરો ઇશ્યૂ થયા હતા તેનાથી શેરનો ભાવ 75 ટકા

75 ટકા જેટલો ડાઉન છે. જો કે શેરબજારના નિષ્ણાતો હજુ પણ આ શેર પર ભરોસો બતાવી રહ્યા છે.શેરબજારના જાણકારોનું કહેવું છે કે Paytmના શેરનો ભાવ 1400 રૂપિયા સુધી પહોંચી શકે છે.

Paytm કંપનીએ રોકાણકારોને IPOમાં2150 રૂપિયાના ભાવે શેર આપ્યો હતો.Paytmના શેરનો ભાવ અત્યારે 547ની આજુબાજુ છે. મતલબ કે હાલના ભાવથી નિષ્ણાતોના 1400ના ટાર્ગેટ સુધી કમાણી થઇ શકે, પરંતુ અસલ રોકાણકારોને તો 1400 રૂપિયા પર પહોંચે તો પણ નુકશાન જ રહેવાનું છે.

શેરબજારના એનાલિસ્ટ્સનું  આ શેર ખરીદવાની ભલામણ કરી રહ્યા છે તેનું કારણ એવું છે કે Paytm 810 રૂપિયાના ભાવે શેરો બાયબેક કરશે. બાયબેકના નિર્ણયને કારણે નફો અને કેશ જનરેશન રોડમેપ અને મોટા રોકાણો સાથે જોડાયેલી ચિંતા  દુર થશે. ઉપરાંત  કેપિટલ એલોકેશનની લઇને મેનેજમેન્ટનો વિશ્વાસ વધશે. જે પી મોર્ગન રિસર્ચના કહેવા મુજબ નાણાંકીય વર્ષ 2023-24ના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીએ બ્રેક ઇવન હાંસલ કરવાનો જે લક્ષ્યાંક હાંસલ કર્યો છે તે પુરો થઇ શકે છે.

તો જે એમ ફાયનાન્સિઅલનું માનવું છ કે Paytm EBIDTA બ્રેક ઇવન 2026માં પહોંચી શકે છે. દોલત કેપિટલે આ શેર માટે 1400 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. જે પી મોર્ગેને 1100 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે. શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા રોકાણારોની સલાહ મુજબ જ રોકાણ કરવું હિતાવહ છે.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.