ટ્રેનની મુસાફરીમાં એરલાઇન્સવાળા નિયમ, લિમિટથી વધારે સામાન હશે તો લાગશે ભારે પેનલ્ટી

ભારતીય રેલવે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષા અને સુવિધાઓ માટે તમામ પ્રયાસો કરી રહી છે, ત્યારે હવે રેલવેએ એક નિયમ  કડકાઈથી લાગૂ કરવાની તૈયારી કરી છે, જે બિલકુલ વિમાનમાં મુસાફરી કરનારા મુસાફરો જેવો જ હશે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ, મુસાફરી દરમિયાન લઈ જવામાં આવતા સામાનના વજન બાબતે, જે હવે એરલાઇન્સની જેમ રેલવે દ્વારા નિયંત્રિત કરશે. જોકે આ નિયમ પહેલાથી જ છે, પરંતુ તેને પૂરી રીતે લાગૂ કરી શકાયો નહોતો.

હવે, મુસાફરો ભારતીય રેલવેમાં મુસાફરી કરવા દરમિયાન માત્ર નિર્ધારિત ધોરણો અનુસાર જ સામાન પોતાની સાથે લઈ જઈ શકશે. દેશના કેટલાક મુખ્ય રેલવે સ્ટેશનો પર સામાનના વજન પર તેની સાથે સંબંધિત મર્યાદાને કડકાઈથી લાગૂ કરવામાં આવશે. એરલાઇન્સની જેમ, ટ્રેન મુસાફરી માટે પણ આ નિયમને પૂરી રીતે લાગૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. નિયમ અનુસાર, મુસાફરીની વિવિધ કેટેગરીઓ માટે મફત સામાનની મંજૂરી અલગ-અલગ હોય છે.

indian-Railway1
x.com/i/grok

જેમ કે ફર્સ્ટ ક્લાસ AC કોચમાં મુસાફરી કરનારાઓને 70 કિલો સુધીનો સામાન લઈ જવાની મંજૂરી આપવામાં આવશે. AC સેકન્ડ ક્લાસના મુસાફરો માટે આ મર્યાદા 50 કિલો અને થર્ડ AC અને સ્લીપર ક્લાસના મુસાફરો માટે આ મર્યાદા 40 કિલો સુધી રહેશે. તો જનરલ ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરોની વાત કરીએ, તો તેઓ જે સામાન પોતાની સાથે લઈ જઈ શકે છે તેનું વજન 35 કિલો સુધી હોઈ શકે છે.

હાલમાં  ઉત્તર રેલવે અને ઉત્તર મધ્ય રેલવેએ લખનૌ અને પ્રયાગરાજ વિભાગના મુખ્ય સ્ટેશનોથી આ વ્યવસ્થાની શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. જે રેલવે સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે તેમાં પ્રયાગરાજ, મિર્ઝાપુર, કાનપુર અને અલીગઢ જંકશનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, લખનૌ ચારબાગ, બનારસ, પ્રયાગરાજ છિવકી, સુબેદારગંજ, મિર્ઝાપુર, ટૂંડલા, અલીગઢ, ગોવિંદપુરી અને ઇટાવા પણ લિસ્ટમાં સામેલ છે. રેલવે અધિકારીઓનું આ સંદર્ભમાં કહેવું છે કે, આ નિયમો રેલવે મુસાફરોની સુરક્ષા અને સુવિધા બંને માટે જરૂરી છે, કારણ કે ઘણી વખત મુસાફરો તેમની સાથે વધુ પડતો સામાન લઈ જાય છે, જેના કારણે કોચમાં બેસવામાં અને ચાલવામાં સમસ્યા થાય છે. તેમણે વધારાના સામાનને સુરક્ષા જોખમ ગણાવ્યું છે.

indian-Railway2
x.com/i/grok

એરપોર્ટની જેમ જ રેલવે સ્ટેશન પર પણ સામાન બુક કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. જો બેગ કે બ્રીફકેસનું વજન નિર્ધારિત મર્યાદા કરતા વધુ હશે અને તેનાથી બોર્ડિંગ સ્પેસમાં અવરોધ ઉભો થાય છે, તો તેમના પર દંડ લગાવવાની પણ જોગવાઈ છે. રેલવે અનુસાર, જો ચેકિંગ દરમિયાન નિર્ધારિત મર્યાદા કરતા વધુ અને બૂક ન કરાયેલ સામાન મળી આવે, તો સામાન્ય દર કરતા વધુ ચાર્જ ચૂકવવો પડશે. તમને જણાવી દઈએ કે મુસાફરોને તેમની સાથે 10 કિલો સુધીનો વધારાનો સામાન લઈ જવાની મંજૂરી આપવામાં આવશે, તેનાથી વધુ સામાન બૂક કરાવવો પડશે.

ભારતીય રેલવે મુસાફરોના સામાનને લઈને નિયમો લાગૂ કરવા અને તેને સરળતાથી ચલાવવા માટે સ્ટેશનો પર ઇલેક્ટ્રોનિક લગેજ મશીનો પણ લગાવશે. રેલવે પ્લેટફોર્મ પર પ્રવેશતા પહેલા મુસાફરોની બેગનું વજન અને સાઇઝ ચેક કરવામાં આવશે. બીજી ખાસ વાત એ છે કે મુસાફરોના સામાનનું માત્ર વજન જ નહીં, પરંતુ તેમની ટ્રાવેલ બેગની સાઇઝ પણ આ દાયરામાં રાખવામાં આવશે. મતલબ સ્પષ્ટ છે કે, જો બેગની સાઇઝ જરૂરિયાત કરતા મોટી હોય તો પેનલ્ટી લાગી શકે છે, ભલે વજન લિમિટ કરતા ઓછું કેમ ન હોય. લખનૌ ઉત્તર રેલવેના સીનિયર DCM કુલદીપ તિવારીના જણાવ્યા અનુસાર, મુસાફરોની સુવિધા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે.

About The Author

Related Posts

Top News

ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, વરસાદની પેટર્ન હવે વધુ અસંતુલિત બની

ભારતમાં ચોમાસું હજુ પૂરું થયું નથી, પરંતુ વરસાદની પેટર્ન હવે વધુ અસંતુલિત અને પસંદગીયુક્ત બની રહી છે. ઉત્તર-પૂર્વ મધ્ય...
National 
ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, વરસાદની પેટર્ન હવે વધુ અસંતુલિત બની

સરકારે વચન તોડ્યું... CJPએ જંતર-મંતર જેવા વિરોધ પ્રદર્શનોની ચેતવણી આપતા કહ્યું, અમે યુવાનોને...

રવિવારે (23 ઓગસ્ટ) કોકરોચ જનતા પાર્ટીએ કેન્દ્ર સરકારને જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને સમાપ્ત કરતી વખતે આપેલા વચનો...
National 
સરકારે વચન તોડ્યું... CJPએ જંતર-મંતર જેવા વિરોધ પ્રદર્શનોની ચેતવણી આપતા કહ્યું, અમે યુવાનોને...

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 24-08-2026 દિવસ: સોમવાર મેષ: કાર્યક્ષેત્રમાં અવનવી તકો જણાય, સાવચેતી રાખીને આગળ વધવું, આવનારા વિઘ્નો હળવા થતા જણાય. વૃષભ: દિવસ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

વાઘા-અટારી બોર્ડર બંધ હતી તો પણ 'સિંદૂર'નો થયો વિજય; 150 પાકિસ્તાની દુલ્હનો ભારત પહોંચી

એપ્રિલ 2025માં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે અનેક કાર્યવાહી કરી હતી. પહેલગામ આતંકવાદી હુમલા પછી...
World 
વાઘા-અટારી બોર્ડર બંધ હતી તો પણ 'સિંદૂર'નો થયો વિજય; 150 પાકિસ્તાની દુલ્હનો ભારત પહોંચી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.