રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે આગામી થોડા અઠવાડિયામાં વિવિધ માધ્યમો દ્વારા કુલ 2 લાખ કરોડ રૂપિયાની રોકડ નાખવાની જાહેરાત કરી છે, તેમાં લોંગ ટર્મ રેપો ઓપરેશન્સ, ડોલર-રૂપિયા સ્વેપ અને સરકારી બોન્ડ ખરીદીનો સમાવેશ થાય છે. RBIનું કહેવું છે કે, આ પગલાંનો હેતુ નાણાકીય બજારોની સુગમ કામગીરી જાળવવા અને અચાનક વાધેલા દબાણને ઓછું કરવાનો છે.

RBI30 જાન્યુઆરીએ 90-દિવસના વેરિએબલ રેપો ઓપરેશન કરવાવાનો નિર્ણય લીધો છે, જેની રકમ 25,000 કરોડ રૂપિયા હશે. આ કામગીરી હેઠ, બેન્ક બજાર દરે લાંબા સમય માટે ફંડ ઉધાર લઈ શકે છે. બેન્કો સામાન્ય રીતે ઓવરનાઈટ વિન્ડો દ્વારા રોકડ લે છે, પરંતુ લાંબા ગાળાના રેપો તેમને વધુ સારી યોજના બનાવવામાં મદદ કરે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ટૂંકા ગાળાના વ્યાજ દરો પર દબાણ ઓછું થશે અને બેન્કોને ધિરાણ આપવામાં સહુલિયત મળશે.

RBI
indiancooperative.com

કેન્દ્રિય બેન્ક 4 ફેબ્રુઆરીએ 10 અબજ ડોલર-રૂપિયાના બાય-સેલ સ્વેપ હરાજી પણ કરશે, જેનો સમયગાળો 3 વર્ષ હશે. આ પ્રકારના સ્વેપથી ઘરેલુ સિસ્ટમમાં રૂપિયાની ઉપલબ્ધતા વધે છે અને વિદેશી વિનિમય બજારમાં વધઘટને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તાજેતરના દિવસોમાં ફોરેક્સ ઓપરેશન્સને કારણે લિક્વિડિટી પર અસર પડી હતી, એવામાં આ પગલું બજાર માટે રાહતભર્યું માનવામાં આવે છે.

RBI
outlookmoney.com

આ ઉપરાંત, RBI ખુલ્લા બજારમાંથી સરકારી સિક્યોરિટીઝ ખરીદશે. કુલ 1 લાખ કરોડ રૂપિયાની ખરીદી બે તબક્કામાં થશે: 5 ફેબ્રુઆરી અને 12 ફેબ્રુઆરીએ 50-50 હજાર કરોડ રૂપિયાની હરાજી થશે. બજાર નિષ્ણાતોના મતે, સરકારના ઊંચા કેશ બેલેન્સ, ટેક્સ આઉટફ્લો અને ફોરેક્સ ગતિવિધિઓને કારણે તાજેતરમાં રોકડ સખત થઈ હતી. RBIના આ પગલાથી ટકાઉ લિક્વિડિટ વધવા, ક્રેડિટ પ્રવાહ સુધારવા અને મની માર્કેટ દરમાં સ્થિરતા આવવાની અપેક્ષા છે. સેન્ટ્રલ બેન્કે સ્પષ્ટતા કરી છે કે, તે પરિસ્થિતિ પર સતત નજર રાખશે અને જરૂરી હોય તો વધુ પગલાં ઉઠાવશે.

About The Author

Related Posts

Top News

તારિક રહેમાને બાંગ્લાદેશમાં PM મોદીના ફોર્મ્યૂલાનો ઉપયોગ કરીને બાંગ્લાદેશની ચૂંટણી જીતી, દીકરીએ આપ્યો આઈડિયા

બાંગ્લાદેશ ફરી એકવાર નિર્ણાયક રાજકીય વળાંક પર છે. હવે, તારિક રહેમાનની લીડરશિપ એ નક્કી કરશે કે, ઢાકા કયા...
World 
તારિક રહેમાને બાંગ્લાદેશમાં PM મોદીના ફોર્મ્યૂલાનો ઉપયોગ કરીને બાંગ્લાદેશની ચૂંટણી જીતી, દીકરીએ આપ્યો આઈડિયા

‘એક સમાજ, એક જાજમ, એક રિવાજ’, ગુજરાતમાં વધુ એક સમાજે બનાવ્યું સામાજિક બંધારણ

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં અલગ-અલગ સમાજો દ્વારા સામાજિક બંધારણ બનાવવામાં આવી રહ્યું છે, જેમાં સમાજમાં પ્રવર્તતા કુરિવાજો નાથવા અને...
Gujarat 
‘એક સમાજ, એક જાજમ, એક રિવાજ’, ગુજરાતમાં વધુ એક સમાજે બનાવ્યું સામાજિક બંધારણ

કરોડો ખેડૂતો માટે ખુશીના સમાચાર! KCCમાં થવાના છે આ 4 મોટા ફેરફાર, RBIએ કરી જાહેરાત

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજનામાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી છે. RBIએ...
Business 
કરોડો ખેડૂતો માટે ખુશીના સમાચાર! KCCમાં થવાના છે આ 4 મોટા ફેરફાર, RBIએ કરી જાહેરાત

મંત્રીજીએ કહ્યું- પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરો, SPએ કહ્યું- મારી પાસે અધિકાર નથી, મંત્રીજીએ કહ્યું- પાવર નથી તો અહીંથી ઉઠી જાવ

હરિયાણાના કૈથલમાં એક સમિતિની બેઠક દરમિયાન એ સમયે તણાવપૂર્ણ સ્થિતિ બની ગઈ, જ્યારે મંત્રી અનિલ વિજ અને કૈથલના SP...
Politics 
મંત્રીજીએ કહ્યું- પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરો, SPએ કહ્યું- મારી પાસે અધિકાર નથી, મંત્રીજીએ કહ્યું- પાવર નથી તો અહીંથી ઉઠી જાવ

Opinion

હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં પાટીદાર આંદોલનનું નેતૃત્વ કરવામાં આગળ રહેલા યુવાનો હાલ ગુજરાતની રાજનીતિમાં સતત ચર્ચામાં રહે છે. આંદોલનના અંતે પાટીદાર...
એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું?
ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.