- Business
- રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં
ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે આગામી થોડા અઠવાડિયામાં વિવિધ માધ્યમો દ્વારા કુલ 2 લાખ કરોડ રૂપિયાની રોકડ નાખવાની જાહેરાત કરી છે, તેમાં લોંગ ટર્મ રેપો ઓપરેશન્સ, ડોલર-રૂપિયા સ્વેપ અને સરકારી બોન્ડ ખરીદીનો સમાવેશ થાય છે. RBIનું કહેવું છે કે, આ પગલાંનો હેતુ નાણાકીય બજારોની સુગમ કામગીરી જાળવવા અને અચાનક વાધેલા દબાણને ઓછું કરવાનો છે.
RBIએ 30 જાન્યુઆરીએ 90-દિવસના વેરિએબલ રેપો ઓપરેશન કરવાવાનો નિર્ણય લીધો છે, જેની રકમ 25,000 કરોડ રૂપિયા હશે. આ કામગીરી હેઠ, બેન્ક બજાર દરે લાંબા સમય માટે ફંડ ઉધાર લઈ શકે છે. બેન્કો સામાન્ય રીતે ઓવરનાઈટ વિન્ડો દ્વારા રોકડ લે છે, પરંતુ લાંબા ગાળાના રેપો તેમને વધુ સારી યોજના બનાવવામાં મદદ કરે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ટૂંકા ગાળાના વ્યાજ દરો પર દબાણ ઓછું થશે અને બેન્કોને ધિરાણ આપવામાં સહુલિયત મળશે.
કેન્દ્રિય બેન્ક 4 ફેબ્રુઆરીએ 10 અબજ ડોલર-રૂપિયાના બાય-સેલ સ્વેપ હરાજી પણ કરશે, જેનો સમયગાળો 3 વર્ષ હશે. આ પ્રકારના સ્વેપથી ઘરેલુ સિસ્ટમમાં રૂપિયાની ઉપલબ્ધતા વધે છે અને વિદેશી વિનિમય બજારમાં વધઘટને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તાજેતરના દિવસોમાં ફોરેક્સ ઓપરેશન્સને કારણે લિક્વિડિટી પર અસર પડી હતી, એવામાં આ પગલું બજાર માટે રાહતભર્યું માનવામાં આવે છે.
આ ઉપરાંત, RBI ખુલ્લા બજારમાંથી સરકારી સિક્યોરિટીઝ ખરીદશે. કુલ 1 લાખ કરોડ રૂપિયાની ખરીદી બે તબક્કામાં થશે: 5 ફેબ્રુઆરી અને 12 ફેબ્રુઆરીએ 50-50 હજાર કરોડ રૂપિયાની હરાજી થશે. બજાર નિષ્ણાતોના મતે, સરકારના ઊંચા કેશ બેલેન્સ, ટેક્સ આઉટફ્લો અને ફોરેક્સ ગતિવિધિઓને કારણે તાજેતરમાં રોકડ સખત થઈ હતી. RBIના આ પગલાથી ટકાઉ લિક્વિડિટ વધવા, ક્રેડિટ પ્રવાહ સુધારવા અને મની માર્કેટ દરમાં સ્થિરતા આવવાની અપેક્ષા છે. સેન્ટ્રલ બેન્કે સ્પષ્ટતા કરી છે કે, તે પરિસ્થિતિ પર સતત નજર રાખશે અને જરૂરી હોય તો વધુ પગલાં ઉઠાવશે.

