બિલ વખતે વેપારી મોબાઇલ નંબર માંગે તો આપવું જરૂરી છે? જાણો શું છે કાયદો

ઘણા વેપારીઓ જ્યારે ગ્રાહકો ખરીદી કરે ત્યારે બિલ બનાવતી વખતે મોબાઇલ નંબર માંગતા હોય છે, પરંતુ કન્ઝયુમર અફેર્સ મંત્રાલયે નવી એડવાઇઝરી બહાર પાડીને કહ્યું છે કે કોઇ પણ વેપારી ગ્રાહકની મંજૂરી વગર મોબાઇલ નંબર માંગી શકશે નહીં. જો ગ્રાહકની પરવાનગી વગર ફોન નંબર માંગવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. એટલે ગ્રાહકો ધ્યાન રાખે કે તમે કોઇ ખરીદી કરો અને વેપારી તમારો મોબાઇલ નંબર માંગે તો આપવો ફરજિયાત નથી.

કન્ઝયુમર અફેર્સ મંત્રાલયને આવી અનેક ફરિયાદ મળી હતી કે ખરીદી કરતી વખતે જ્યારે બિલ બનાવવામાં આવે છે ત્યારે મોબાઇલ નંબર માંગવામાં આવે છે અને જો મોબાઇલ નંબર ન આપવામાં આવે તો વસ્તુ વેચવાની ના પાડે છે. આ વાતને ધ્યાનમાં રાખીને નવી એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે.

કન્ઝયુમર અફેર્સ સેક્રેટરી રોહિત કુમાર સિંઘે મીડિયાને માહિતી આપતા કહ્યું હતું કે, અનેક ગ્રાહકોની અમને ફરિયાદ મળી છે જેમાં તેમણે મોબાઇલ નંબર ફરજિયાત આપવો પડતો હોવાનું કહેવામાં આવ્યું હતું. એવા પણ કિસ્સા સામે આવ્યા હતો કે મોબાઇલ નંબર નહીં આપવા પર વેપારી બિલ પણ જનરેટ કરતો નથી.

સિંઘે કહ્યુ કે મોબાઇલ નંબર માંગવાની વેપારીઓની નીતિ ખોટી છે અને તેમાં કોઇ તથ્ય નથી. ગ્રાહકની  પરવાનગી વગર મોબાઇલ નંબર માંગી શકાતો નથી.ગ્રાહકોની પ્રાઈવસીને ધ્યાનમાં રાખી તેમના હિત માટે રિટેલ ઉદ્યોગ અને CII, FICCI અને ASSOCHAM જેવી સંસ્થાઓને એડવાઈઝરી મોકલાશે.

શોપિંગ કર્યા પછી, બિલ માટે ગ્રાહકનો મોબાઈલ નંબર પૂછવા પર, ગ્રાહકનો નંબર દુકાનદારના ડેટાબેઝમાં ફીડ થઈ જાય છે, જેના કારણે આવનારા સમયમાં ગ્રાહકોને ઓફર વગેરે માટે કોલ અને મેસેજ આવવા લાગે છે. ઘણી વખત આ કોલ અને મેસેજને કારણે ગ્રાહકો ખૂબ ગુસ્સે થઈ જાય છે, હવે સરકારે આ પ્રથા બંધ કરવા માટે એડવાઈઝરી જારી કરી છે.

અન્ય એક પગલામાં, મંત્રાલયે સ્માર્ટ ફોન, લેપટોપ અને ટેબ્લેટ માટે યુનિવર્સલ ચાર્જિંગ પોર્ટ - યુએસબી ટાઇપ-સી - ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયને રજૂ કરવા અંગે તેના મંતવ્યો મોકલ્યા છે, જે સૂચવે છે કે આ ચાર્જર્સનો રોલઆઉટ જૂન 2025 થી થઈ શકે છે. પૂર્ણ વાસ્તવમાં, મંત્રાલય ઈ-વેસ્ટ ઘટાડવા માટે માત્ર બે પ્રકારના ઈલેક્ટ્રોનિક ચાર્જિંગ ઉપકરણો માટે સામાન્ય ચાર્જરનો ઉપયોગ કરવાનો આગ્રહ કરી રહ્યું છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.