દેશ ઉદ્યોગપતિઓ બનાવે છે, રાજનેતા લીડ કરે છે: વેદાંતા ગ્રુપના ચેરમેન

અબજોપતિ કારોબારી અને વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જે ધીમે ધીમે લોકોનું ધ્યાન આકર્ષી રહી છે. અનિલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર પોતાના જીવનથી જોડાયેલ કિસ્સાઓ શેર કરતા રહે છે. જોકે હાલમાં શેર કરેલી પોસ્ટમાં તેમણે એક રાષ્ટ્રના નિર્માણમાં ઉદ્યોગપતિઓની ભૂમિકા પર પ્રકાશ નાખ્યો છે. તેમણે ઉદ્યમીઓની અગત્યતાને શેર કરતા પોતાની પોસ્ટમાં લખ્યું કે, રાજનેતા દેશનું નેતૃત્વ કરે છે પણ ઉદ્યમી દેશને બનાવે છે.

પોસ્ટમાં શું લખ્યું

અનિલ અગ્રવાલે એક્સ પર પોસ્ટ શેર કરી લખ્યું કે, જ્યારે હું અમેરિકા, બ્રિટન, જાપાન કે પછી અન્ય કોઇ લોકતાંત્રિક દેશને જોઉ છું તો મને એ વાતનો અહેસાસ થાય છે કે જ્યાં રાજનેતા દેશનું નેતૃત્વ અને સશક્તિકરણ કરે છે. તો ઉદ્યમી તેને બનાવે છે. વેદાંતા ચેરમેને પોતાના વિચાર રજૂ કરતા અમેરિકાનું ઉદાહરણ પણ આપ્યું છે.

5 ઉદ્યોગપતિઓએ અમેરિકા બનાવ્યું

સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટમાં અમેરિકાનું ઉદાહરણ આપતા અબજોપતિ બિઝનેસમેન અનિલ અગ્રવાલે કહ્યું કે, અમેરિકાનું નિર્માણ 5 ઉદ્યમીઓએ કર્યું છે. જેમાં રોકફેલર, એન્ડ્રયૂ કાર્નેગી, જેપી મોર્ગન, ફોર્ડ અને વેંડરબિલ્ટ સામેલ છે. આ દરેક ઉદ્યમીઓએ પોતાની મોટાભાગની સંપત્તિ પરોપકારના માધ્યમથી દાન કરી છે. જેનાથી અમેરિકાને બનાવવામાં મદદ મળી છે. અનિલ અગ્રવાલની આ પોસ્ટને ખબર લખવા સુધીમાં 90 હજારથી વધારે વ્યૂ મળી ચૂક્યા હતા.

અમેરિકા, બ્રિટન અને જાપાન જેવા દેશોનું ઉદાહરણ આપતા અનિલ અગ્રવાલે ભારતને લઇ મોટી વાત કહી છે. તેમણે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, આપણા ભારતમાં ક્યારેક ક્યારેક ઘરેલૂ ઉદ્યમીઓની ભૂમિકાને ઓછી આંકવામાં આવે છે. પણ તેઓ દેશ માટે જે કરી શકે છે અને જે વિચારી શકે છે તે બીજુ કોઇ કરી શકતું નથી. તેઓ વિદેશી ટેક્નોલોજી અને ફંડોની સાથે મજબૂત પાર્ટનરશીપ કરી શકે છે અને સૌ કોઇની સમૃદ્ધિ માટે આવશ્યક ધન પેદા કરવાના મામલામાં આ અમારો સર્વોત્તમ દાંવ હોઇ શકે છે.

ઉદ્યોગપતિઓ પર વિશ્વાસ કરવો જરૂરી

પોસ્ટના અંતમાં તેમણે કહ્યું કે, જો ઘરેલૂ ઉદ્યમીઓની કમાણી થશે, તો તેઓ અમેરિકન બિઝનેસમેનોની જેમ જ પરોપકારના માધ્યમથી કમાણીનો હિસ્સો દાન કરવા માગશે. વેદાંતાના ચેરમેને આગળ લખ્યું કે, સરકારે ઘરેલૂ બિઝનેસમેનોને વધારે સન્માન અને માન્યતા આપવી જોઇએ. જેથી તેમને પ્રોત્સાહન મળશે. મારી ધારણા એ છે કે, તેઓ કેસ, ઓડિટ અને લાંબી સરકારી પ્રક્રિયાઓથી ડરે છે. બિઝનેસમેનો પર વિશ્વાસ કરવો અને લાભ આપવો મહત્વપૂર્ણ છે. પ્રત્યેક લોકતાંત્રિક દેશ જે અમીર બની ગયા છે તેઓ આવું એટલા માટે કરી શક્યા કારણ કે તેમણે ઉદ્યમીઓ પર પોતાનો વિશ્વાસ રાખ્યો છે અને તેમને માન્યતા આપી છે અને પ્રેરિત કર્યા છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.