અમદાવાદ: ગલ્લાવાળાએ સિગારેટ આપવાનો ઇનકાર કરતા શખ્સે તેના ઘરને આગ ચાંપી

શહેરના પૂર્વ વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી છે. અહીં પાનનો ગલ્લો ધરાવતા વેપારીએ એક શખ્સને સિગારેટ આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે ઝઘડો કરી વેપારીના ઘરમાં આગ ચાંપી દીધી હતી, જેમાં ઘરનો સમાન બળીને ખાખ થઈ ગયો હતો. આ અંગે વેપારીએ શખ્સ સામે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નરોડામાં રહેતા અમિત મંગનાણી માતા-પિતા તથા ભાઈ સાથે રહે છે. તેઓ ઠક્કરનગર પોસ્ટ ઓફિસની પાસે જયશ્રી મહાકાલ નામથી પાનનો ગલ્લો ધરાવે છે. પાનના ગલ્લાની પાછળ તેમનું એક મકાન છે, જેમાં તેઓ ક્યારેક ક્યારેક રહે છે. દરમિયાન તેમનો મિત્ર તેમને મળવા માટે આવ્યો હતો. આથી અમિતભાઈ મિત્ર સાથે ગલ્લાની પાછળ આવેલા તેમના મકાનમાં બેઠા હતા. ત્યારે અનિકેત ખેરનાર નામનો શખ્સ અમિતભાઈ પાસે આવ્યો અને સિગારેટ માગી હતી, જેથી અમિતભાઈએ ગલ્લો બંધ થઈ ગયો હોવાનું કહી સિગારેટ આપવાનો ઇનકાર કર્યો હતો.

અમિતભાઈની આ વાત સાંભળીને અનિકેત ઉશ્કેરાયો હતો અને ઝઘડો કરવા લાગ્યો હતો. ત્યારબાદ તમે આ મકાનમાં ભેગા થઈ ભુવા ધુણાવો છો બલી ચઢાવો છો તેમ કહી ગાળો બોલવા લાગ્યો હતો, જેથી અમિતભાઈએ પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં આવી પહોંચી હતી. ત્યાર બાદ અમિતભાઈ નરોડા ખાતેના પોતાના મકાને ગયા હતા. દરમિયાન તેમને ફોન આવ્યો કે તમારા ઘરમાં આગ લાગી છે અને અનિકેત ત્યાં ઊભો હતો. અમિતભાઈ ત્યાં ગયા હતા ત્યારે અનિકેત ત્યાંથી ભાગી ગયો હતો. આગના કારણે અમિતભાઈના ઘરનો સમાન બળીને ખાખ થઈ ગયો હતો. આ અંગે અમિતભાઈએ અનિકેત ખેરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.