શાળાના પ્રવેશ દ્વાર માટે 10 લાખનો ચેક આપતા ભામાસા ઈશ્વરભાઈ

25 નવેમ્બરને શનિવારના રોજ દાંતીવાડા તાલુકામાં સરકારી માધ્યમિક શાળા આકોલીના દાતા ઇશ્વરભાઇ માળી દ્વારા બનાવવામાં આવેલા નવીન પ્રવેશ દ્વારનો ઉદ્ઘાટન કાર્યક્રમ અને ભૂમિ દાતાની તકતી અનાવરણનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, ડીસાના યુવા ધારાસભ્ય પ્રવીણ માળી, બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પી.જે. ચૌધરી, બનાસ બેંકના ચેરમેન સવસિ ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક ગીતાબેન ચૌધરી અને AEI હરેશભાઈ, BRC દશરથભાઇ તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ પ્રસંગે ગામના આગેવાન અને હંમેશા શિક્ષણની ચિંતા કરતા ઉદ્યોગપતિ અને ભામાસા એવા ઇશ્વરભાઇ દ્વારા શાળાને પ્રવેશ દ્વારના ખર્ચ પેટે 10 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો તેમજ આગામી સમયમાં શાળાની કમ્પાઉન્ડ વોલ માટે 5 લાખ રૂપિયા આપવા જાહેરાત કરી હતી તેમજ ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય દ્વારા પણ શાળા કમ્પાઉન્ડ વોલ માટે 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આ રીતે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

About The Author

Related Posts

Top News

સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આજના સમયમાં બાળકો પર પરીક્ષા અને ભણતરનું પ્રેશર ખૂબ વધી ગયું છે. સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો...
Gujarat 
સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે; ચેતવણી...

જો તમને કોઈ અજાણ્યા વોટ્સએપ અથવા ટેલિગ્રામ ગ્રુપમાં ઉમેરવામાં આવે અને કહેવામાં આવે કે તમારા પૈસા થોડા દિવસોમાં વધી જશે...
Tech and Auto 
આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે;  ચેતવણી...

'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને તેલ પુરવઠા અંગે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટર્વ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું...
World 
'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો

સોમવાર (14 જુલાઈ)ના રોજ, સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ધારમાં આવેલી ઐતિહાસિક ભોજશાળા અંગે ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય...
National 
ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.