શાળાના પ્રવેશ દ્વાર માટે 10 લાખનો ચેક આપતા ભામાસા ઈશ્વરભાઈ

25 નવેમ્બરને શનિવારના રોજ દાંતીવાડા તાલુકામાં સરકારી માધ્યમિક શાળા આકોલીના દાતા ઇશ્વરભાઇ માળી દ્વારા બનાવવામાં આવેલા નવીન પ્રવેશ દ્વારનો ઉદ્ઘાટન કાર્યક્રમ અને ભૂમિ દાતાની તકતી અનાવરણનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, ડીસાના યુવા ધારાસભ્ય પ્રવીણ માળી, બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પી.જે. ચૌધરી, બનાસ બેંકના ચેરમેન સવસિ ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક ગીતાબેન ચૌધરી અને AEI હરેશભાઈ, BRC દશરથભાઇ તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ પ્રસંગે ગામના આગેવાન અને હંમેશા શિક્ષણની ચિંતા કરતા ઉદ્યોગપતિ અને ભામાસા એવા ઇશ્વરભાઇ દ્વારા શાળાને પ્રવેશ દ્વારના ખર્ચ પેટે 10 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો તેમજ આગામી સમયમાં શાળાની કમ્પાઉન્ડ વોલ માટે 5 લાખ રૂપિયા આપવા જાહેરાત કરી હતી તેમજ ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય દ્વારા પણ શાળા કમ્પાઉન્ડ વોલ માટે 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આ રીતે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

About The Author

Related Posts

Top News

પૂર્વ મંત્રીની પુત્રીએ SBI મેનેજરને તમાચો મારી દીધો, FIR દાખલ કરાઈ

તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં સત્તાની દમદાટી અને ગેરવર્તણૂકનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના...
National 
પૂર્વ મંત્રીની પુત્રીએ SBI મેનેજરને તમાચો મારી દીધો, FIR દાખલ કરાઈ

કોણ છે નવા શિક્ષણ મંત્રી પ્રલહાદ જોશી? ધર્મેન્દ્ર પ્રધાનથી ઓછું ભણ્યા છે

NEET પરીક્ષાના પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યાના થોડા કલાકો બાદ જ નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રીના નામની જાહેરાત...
Politics 
કોણ છે નવા શિક્ષણ મંત્રી પ્રલહાદ જોશી? ધર્મેન્દ્ર પ્રધાનથી ઓછું ભણ્યા છે

ખેડૂતે જમીન, 2 માળનું મકાન... પોતાની બધી મિલકત ભગવાન સાંવલિયા શેઠને દાનમાં આપી દીધી

મંદિરોમાં લોકો શું પ્રસાદ ચઢાવે છે? કેટલાક નારિયેળ, કેટલાક મીઠાઈ, કેટલાક સોનું અને ચાંદી ચઢાવે છે. પરંતુ...
National 
ખેડૂતે જમીન, 2 માળનું મકાન... પોતાની બધી મિલકત ભગવાન સાંવલિયા શેઠને દાનમાં આપી દીધી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પંજાબમાં શિક્ષણમંત્રીને હટાવવાની માંગ કેમ થઈ રહી છે?

પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની અસર હવે પંજાબના રાજકારણ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પેપર લીક અને પરીક્ષા...
National 
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પંજાબમાં શિક્ષણમંત્રીને હટાવવાની માંગ કેમ થઈ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.