ચોમાસા પહેલા ગટર લાઇન સહિતના કામો ઝડપથી પૂર્ણ કરવા કહેતા મંત્રી કુંવરજી હળપતિ

સુરત જિલ્લાના માંડવી તાલુકા પંચાયત કચેરી ખાતે આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. તેમણે બેઠકમાં શિક્ષણ, આરોગ્ય, બાંધકામ સહિત વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરી વધુ પારદર્શક બનાવવાની સાથે વિકાસ કામોની સમીક્ષા કરી હતી.

બેઠકમાં વિવિધ વિભાગના કર્મચારીઓને વિકાસ કાર્યો ઝડપી પૂર્ણ કરવા માટે તેમણે તાકીદ કરતા જણાવ્યું હતું કે, ચોમાસાની ઋતુ પૂર્વે રોડ-રસ્તા, સિંચાઈ, આરોગ્ય, શિક્ષણ અને ગટર લાઇન, શૌચાલય, પીવાના પાણીની લાઈન, પેવર બ્લોક, હેડ પમ્પ, નદી નાળા પરના પુલ, એલઈડી સ્ટ્રીટ લાઈટ, ગ્રામ તળાવ, સી.સી.ટીવી કેમેરા સહિત વિવિધ ક્ષેત્રના ચાલી રહેલા કાર્યો ઝડપી પુર્ણ થાય તે જરૂરી છે. પ્રાથમિક સુવિધાના કાર્યોને પ્રાથમિકતા આપીને પૂર્ણ કરવા માટે સંબધિત અધિકારીઓને સુચના આપી હતી.

વધુમાં તેમણે કુંવરજી હળપતિએ અધિકારીઓને સત્વરે પ્રજાના પડતર પ્રશ્નો ઝડપથી ઉકેલી લાવી સમસ્યાઓ દૂર કરવા જણાવ્યું હતું.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.