વડોદરામાં ફરજ દરમિયાન સર્વિસ રાઇફલથી ગોળી મારીને SRP જવાને જીવન ટૂંકાવ્યું

વડોદરામાં SRP ગ્રુપ-1માં તૈનાત જવાને પોતાની ફરજ દરમિયાન સર્વિસ રાઇફલથી પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લેતા હાહાકાર મચી જવા પામ્યો છે. આ ઘટનાને લઇને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. SRP જવાન છેલ્લા કેટલાય સમયથી ફરજ બજાવતા હતા. પરિવારનું કહેવું છે કે તેઓ છેલ્લાં ઘણાં વર્ષોથી બીમાર હોવાથી આ પગલું ભર્યું છે. હાલમાં SRP જવાનનો શબ સયાજી હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે.

મૂળ નર્મદા જિલ્લાના ટીલકવાળા તાલુકાના ફતેપુરા ગામના અને છેલ્લાં 28 વર્ષથી SRPમાં નોકરી કરતા પ્રવીણભાઈ બારિયાએ ફરજ દરમિયાન પોતાની સર્વિસ રાઇફલથી આત્મહત્યા કરી લેતા હાહાકાર મચી જવા પામ્યો હતો. પરિવારજનનું કહેવું છે કે, તેમણે બીમારીના કારણે જીવન ટૂંકાવ્યું છે. તેઓ છેલ્લાં 13-14 વર્ષથી બીમારીથી પીડાતા હતા. હાલમાં SRP જવાનનું શબ સયાજી હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યું છે. આ આત્મહત્યા કયા કારણોસર કરી છે એનું સાચું કારણ અકબંધ છે.

મૃતક SRP જવાન શહેરના લાલબાગમાં આવેલા SRP કેમ્પસમાં ફરજ બજાવતા હતા અને ત્યાં ફરજ દરમિયાન આત્મહત્યા કરી લેતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મૃતક SRP જવાન પ્રવીણ બારિયાના સ્વજન મોહનભાઈ બારિયાએ જણાવ્યું કે પ્રવીણભાઈ બારિયા છેલ્લાં 28 વર્ષથી SRPમાં ફરજ બજાવતા હતા. તેઓ છેલ્લાં 14 વર્ષથી બીમારીના કારણે પરેશાન હતા. ફરજ દરમિયાન સર્વિસ રાઇફલથી ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે.

આ પગલું બીમારીથી કંટાળીને ભર્યું હશે એવું પ્રાથમિક તારણ છે. હાલમાં પરિવારમાં પત્ની અને ત્રણ સંતાન નિરાધાર બન્યા છે. પોતાના ઘરનો મોભી ગુમાવતા પરિવાર આઘાતમાં છે. હાલ SSG હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતક જવાનના અંતિમસંસ્કાર પોતાના માદરે વતન નર્મદા જિલ્લાના ફતેપુર ગામે કરાશે.

થોડા દિવસ અગાઉ અમદાવાદમાં પણ એક પોલીસકર્મીએ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કિરણભાઈ દેવજીભાઈ લકુમ નામના પોલીસકર્મીએ વહેલી સવારે ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. રામોલ વિસ્તારમાં આવેલી આમ્રપાલી સોસાયટીમાં રહેતા કિરણભાઈ લકુમ હવેલી પોલીસ સ્ટેશનમાં PCR વાન ચલાવતા હતા. છેલ્લા ચારેક વર્ષથી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. સવારે જ્યારે ઘરના સભ્યો તેમને ઉઠાડવા માટે રૂમમાં ગયા ત્યારે કિરણભાઈએ પંખામાં લટકીને ફાંસો ખાઈ લીધેલી હાલતમાં મળી આવ્યા હતા.

About The Author

Related Posts

Top News

એપલ સાથે તીવ્ર સ્પર્ધા માટે ગૂગલની તૈયારી, લાવી રહ્યું છે એક નવું પ્લેટફોર્મ, એન્ડ્રોઇડ અને ક્રોમOS મર્જ થઇ જશે

ગુગલ એક મોટી યોજના તૈયાર કરી રહ્યું છે અને આગામી દિવસોમાં એન્ડ્રોઇડ અને ક્રોમOSને જોડીને એક શક્તિશાળી સિંગલ...
Tech and Auto 
એપલ સાથે તીવ્ર સ્પર્ધા માટે ગૂગલની તૈયારી, લાવી રહ્યું છે એક નવું પ્લેટફોર્મ, એન્ડ્રોઇડ અને ક્રોમOS મર્જ થઇ જશે

ટેસ્લા મોડેલ Y ભારતમાં 60 લાખમાં થશે ઉપલબ્ધ, જાણો અન્ય દેશોમાં તે કેટલી કિંમતમાં વેચાય છે

આખરે, વિશ્વની લોકપ્રિય ઇલેક્ટ્રિક વાહન કંપની ટેસ્લાએ સત્તાવાર રીતે ભારતમાં પગ મૂક્યો છે. ટેસ્લાએ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (...
Tech and Auto 
ટેસ્લા મોડેલ Y ભારતમાં 60 લાખમાં થશે ઉપલબ્ધ, જાણો અન્ય દેશોમાં તે કેટલી કિંમતમાં વેચાય છે

રેલવેના ડબ્બામાં 75 સીટ અને 400 મુસાફરો, હવે આ નહીં ચાલે... ભીડ ઘટાડવા જનરલ કોચ માટે ફક્ત 150 ટિકિટ જ અપાશે!

લોકોની મુસાફરીને સરળ બનાવવા માટે રેલ્વે સતત ફેરફારો કરી રહ્યું છે. આ અંતર્ગત, છેલ્લા કેટલાક દિવસોમાં રેલ્વેએ ઘણા મોટા...
Business 
રેલવેના ડબ્બામાં 75 સીટ અને 400 મુસાફરો, હવે આ નહીં ચાલે... ભીડ ઘટાડવા જનરલ કોચ માટે ફક્ત 150 ટિકિટ જ અપાશે!

દિલ્હી હાઈકોર્ટે 'ઉદયપુર ફાઇલ્સ' પર સ્ટે મૂક્યો, નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટનો કર્યો સંપર્ક

2022નો ચર્ચિત કન્હૈયા લાલ હત્યા કેસ પર આધારિત ક્રાઈમ ડ્રામા થ્રિલર ફિલ્મ 'ઉદયપુર ફાઇલ્સ' આજકાલ તેના સંવેદનશીલ વિષયોને કારણે સમાચારમાં...
National 
 દિલ્હી હાઈકોર્ટે 'ઉદયપુર ફાઇલ્સ' પર સ્ટે મૂક્યો, નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટનો કર્યો સંપર્ક
Copyright (c) Khabarchhe All Rights Reserved.