અમદાવાદઃ કાકાના દીકરા પાસે 2 લાખ વ્યાજે લીધા હતા, ચૂકવી દીધા પછી 11 લાખની માંગણી

ગુજરાતમાં વ્યાજખોરીના વિષચક્રના અજગરભરડામાં અનેક લોકો ફસાઇ ચૂક્યા છે ત્યારે પોલીસે વ્યાજખોરી દુરવા માટે એક મોટું અભિયાન શરૂ કર્યું હતું, પરંતુ લાગે છે કે હજુ પણ વ્યાજખોરોનું ચક્કર પુરી રીતે ખતમ નથી થયું. અમદાવાદામં એક પૌઢે કાકાના દીકરા પાસેથી 2 લાખ રૂપિયા 4 ટકાના વ્યાજે લીધા હતા, તેમનો દાવો છે કે તેમણે પુરેપુરી રકમ ચૂકવી દીધા પછી પણ તેમની પાસે 11 લાખ 54 હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી છે. પૌઢે પોલીસને ફરિયાદ કરી છે.

અમદાવાદના ગોમતીપુરમાં રહેતા જયંતિભાઇ નાડિયાએ 15 ઓકટોબર 2007માં તેમના કાકાના દીકરા તુલસીભાઇ ચાવડા પાસેથી 1.50 લાખ રૂપિયા 4 ટકાના વ્યાજે ઉછીના લીધા હતા. તે વખતે તેમને પૈસાની જરૂરિયાત હતી. જંયતિભાઇએ જ્યારે 1.50 લાખ ઉછીના લીધા ત્યારે તુલસીભાઇને સિક્યોરીટી પેટે  એક કોરો ચેક અને પોતાની જમીન ગીરવે મુકી હતી.

એ પછી વર્ષ 2009માં જયંતિભાઇને ફરી રૂપિયાની જરૂર પડી તો તેમણે તુલસીભાઇ પાસે બીજા 50,000 રૂપિયા ઉછીના લીધા હતા. એમ જયંતિભાઇએ કુલ 2 લાખ રૂપિયા ઉછીના લીધા હતા.

10 વર્ષ પછી એટલે કે 2017માં જયંતિભાઇ પાસે રૂપિયાની સગવડ થઇ જતા તેમણે તુલસીભાઇને 2 લાખ રૂપિયા આપી દીધા હતા. પૈસા આપી દીધા પછી જયંતિભાઇએ તુલસીભાઇ પાસે કોરા ચેક અને જમીનના દસ્તાવેજો માંગ્યા હતા.

તુલસીભાઇએ જયંતિભાઇને કોરા ચેક અને જમીનના દસ્તાવેજો તો આપ્યા નહીં, પરંતુ તેમની પાસે વ્યાજ પેટે 11 લાખ 54 હજાર રૂપિયાની ઉઘરાણી કરતા હતા. જયંતિભાઇના બનેવી અંબાલાલ પણ  વ્યાજના 11 લાખ 54 હજાર ચુકવી દેવા માટે પ્રેસર કરતા  હતા.એવામાં એક દિવસ એવું બન્યું કે જયંતિભાઇને 2021માં કોર્ટની ચેક રિટર્નની નોટિસ મળી હતી. તુલસીભાઇએ એ કોરો ચેક બેંકમાં ભરી દીધો હતો, પરંતુ રિટર્ન થયો હતો.

આખરે જયંતિભાઇએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં તુલસીભાઇ અને અંબાલાલ સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી છે.

વ્યાજખોરીનું વિષચક્ર ખતરનાક છે. નાના નાના લોકો જેમને ઘણી વખત રૂપિયાની જરૂર પડે અથવા નાના પાયે બિઝનેસ કરવા માટે બેંકોમાંથી સરળતાથી લોન મળતી નહીં હોવાને કારણે આવા વ્યાજે પૈસા આપતા લોકો પાસેથી ઉછીના રૂપિયા લે છે. એમનું વ્યાજ વર્ષે 24 ટકાથી 60 ટકા સુધીનું હોય છે. નાનો માણસ વ્યાજ ભરતા ભરતા જ તુટી જાય છે. ઘણા લોકો વ્યાજના ચક્કરમાં ખુંવાર થઇ ગયા છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.