ઈરાને કોરોનાકાળમાં થયેલા મોત માટે ચીન નહીં આ દેશને જવાબદાર ગણાવ્યો

અમેરિકન પ્રતિબંધોના કારણે હજારો ઈરાની લોકોના મોત કોવિડ-19 દરમિયાન થયા હતા. આ વાત ઈરાનના માનવાધિકાર આયોગના એક શીર્ષ અધિકારીએ કહેતા તેના માટે અમેરિકાને દોષી ઠેરવ્યું છે. ઈરાનની ઓફિશિયલ સમાચાર એજન્સીએ ન્યુયોર્કમાં ઈરાની મીડિયા સાથે વાતચીત દરમિયાન ઈરાની ઉચ્ચ માનવાધિકાર પરિષદના સચિવ અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ માટે ઈરાની ન્યાયપાલિકાના ઉપ પ્રમુખ કાઝેમ ગરીબાબાદીએ આ ટિપ્પણી કરી છે. ન્યુઝ એજન્સી અનુસાર, યાત્રા દરમિયાન તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકોમાં ભાગ લેશે.

સમાચાર એજન્સી રિપોર્ટ અનુસાર, ગરીબાબાદીએ કહ્યું કે, પ્રતિબંધોએ ઈરાનને નાણાંકીય ચેનલોના માધ્યમથી ધન હસ્તાંતરિત કરવાથી રોકી દીધું, જેનાથી દેશ માટે કોવિડ-19ની વેક્સીન અને આવશ્યક દવાની આયાત કરવી મુશ્કેલ થઇ ગઇ. તેમણે કહ્યું કે, અમેરિકા અને અમુક યુરોપીયન દેશોએ ઈરાનીઓના માનવાધિકારોનું સમર્થન કરવાનો દાવો કર્યો છે, ખાસકરીને ઈરાનમાં હાલના રમખાણો દરમિયાન, જ્યારે લાખો ઈરાનીઓનું જીવન અમેરિકાના પ્રતિબંધો અને અમુક યુરોપિયન દેશોના અનુપાલથી પ્રભાવિત થયું છે.

તેમનું માનવું છે કે, અમે જોઇએ છીએ કે, જે પોતે માનવાધિકારોનો પૈરોકાર માને છે, વિશેષ રૂપે અમેરિકા અને અન્ય પશ્ચિમી રાજ્ય, મોટા પાયે પોતાના ક્ષેત્રોમાં કે અન્ય દેશોમાં આ રીતના અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. પાછલા ચાર દાયકાઓમાં ઈરાન સતત અમેરિકન પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે. 2018 બાદ પ્રતિબંધો તેજ થઇ ગયા, જ્યારે વોશિંગ્ટને તહેરાન અને વિશ્વ શક્તિઓ વચ્ચે 2015ની પરમાણુ સમજૂતીથી હાથ ખેંચી લીધો હતો.

ઈરાની સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં અત્યાર સુધી લગભગ 7 લાખ 56 હજાર લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચૂક્યા છે, જેમાંથી 144609 લોકોનું કોરોના વાયરસથી મોત થઇ ચૂક્યું છે. અમેરિકન પ્રતિબંધોના કારણે, જેણે અપ્રત્યક્ષ રૂપે ઈરાનના દાવા અ અન્ય માનવીય વસ્તુઓની આયાતને પ્રભાવિત કરી છે, દેશ શરૂઆતમાં કોવિડ-19ની વેક્સીન અને અન્ય આવશ્યક દવાઓ ન ખરીદી શક્યા, 2021માં પ્રતિ દિન લગભગ 700 લોકોના મોત થયા હતા.

હાલ વિશ્વમાં કોરોના વાયરસ સંક્રમણ કાબુમાં રહેતું નજરે પડે છે. ચીન સિવાય આખા વિશ્વમાં કોરોના વાયરસની ગતિ ધીમી પડી રહી છે. હજુ પણ ચીનમાં કોરોના વાયરસ કાબુમાં આવ્યું નથી અને લોકડાઉન લાગી રહ્યા છે અને નવા પ્રતિબંધો સરકાર લાદી રહી છે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.