39 મહિના પછી કોરોના અંગે WHOએ એવી જાહેરાત કરી કે તમે પણ ખુશ થઈ જશો

આખી દુનિયામાં મોતનું કેર વર્તાવનાર કોરોના વાયરસને લઈને હવે કંઈક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કોરોના વાયરસને લઈને મોટી જાહેરાત કરતા કહ્યું કે, કોરોના વાયરસ હવે પબ્લિક ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી રહ્યો નથી. એટલે કે હવે આ વૈશ્વિક મહામારી નથી. તેને લઈને ઇમરજન્સી કમિટીની 15મી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ શુક્રવારે કહ્યું કે, કોરોના વાયરસ જેણે આખી દુનિયામાં 6.9 મિલિયન કરતા વધુ લોકોના જીવ લઈ લીધા. તે હવે વૈશ્વિક સ્વાસ્થ્ય ઇમરજન્સી નથી.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું કે, 30 જાન્યુઆરી 2020ના રોજ કોરોના વાયરસને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરવામાં આવ્યો હતો. જો કે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ સ્પષ્ટ કયું છે કે, કોરોના વાયરસ અત્યારે ઓણ ગ્લોબલ હેલ્થ થ્રેટ બનેલો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ, જ્યારે કોરોના વાયરસને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરવામાં આવ્યો હતો, તો ચીનમાં 100 કરતા ઓછા કોરોનાના કેસ આવ્યા હતા અને કોઈનું મોત થયું નહોતું, પરંતુ 3 વર્ષ બાદ મૃત્યુ પામનારા લોકોનો આંકડો વધીને 70 લાખ પહોંચી ગયો, જે રિપોર્ટમાં થયો છે.

તેણે આગળ કહ્યું કે, અમને લાગે છે કે તેમાં લગભગ 2 કરોડ લોકોના જીવ ગયા હશે. વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ, કોરોના વાયરસ વૈશ્વિક સ્વાસ્થ્ય ઇમરજન્સી સમાપ્ત થઈ ગયો છે. જો કે, તેનો અર્થ એ નથી કે વૈશ્વિક સ્વાસ્થ્ય જોખમના રૂપમાં કોરોના વાયરસ સમાપ્ત થઈ ગયો. વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડાઓ મુજબ, મૃત્યુ દર જાન્યુઆરી 2021માં પ્રતિ સપ્તાહ 100,000 કરતા વધુ લોકોના શિખરથી ધીમો થઈ ગયો છે અને 24 એપ્રિલના સપ્તાહમાં 3500 કરતા વધુ થઈ ગયો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે, કોરોના વાયરસને પબ્લિક ગ્લોબલ હેલ્થ ઇમરજન્સીને હટાવવાનો નિર્ણય છેલ્લા એક વર્ષમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડાને જોતા લીધો છે. કોરોના વાયરસની એટલી મોટી અસર થઈ કે શાળાથી લઈને ઓફિસ સુધી બંધ રહ્યા. ઘણા લોકો આ દરમિયાન તણાવ અને ચિંતામાંથી પસાર થયા. તેણે દુનિયાની અર્થવ્યવસ્થાને પણ નષ્ટ કરી દીધી. લેન્સેન્ટના રિપોર્ટ મુજબ, 1 ડિસેમ્બર 2019ના રોજ કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યો હતો. તેના 5 દિવસ બાદ પહેલા દર્દીની પત્નીમાં પણ ન્યૂમોનિયા જેવા લક્ષણ દેખાયા હતા અને તેને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.