મહાકાલના શહેર ઉજ્જૈનમાં પહેલીવાર ઉજવાશે શિવદિવાળી- 21 લાખ દીવાઓથી ઝળહળશે

દેવ દિવાળી બાદ હવે શિવ દિવાળી ફરી એક વખત ધાર્મિક નગરી ઉજ્જૈનને વૈશ્વિક પાતાળ પર ચમકાવવા જઇ રહી છે. મહાશિવ રાત્રિના પાવન પર્વ પર ઉજ્જૈનમાં 21 લાખ દીવા સળગાવીને શિવ દિવાળી મનાવવામાં આવશે. આ મુખ્ય આયોજનમાં સામેલ થવા માટે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ આવવાના છે. ધાર્મિક નગરી ઉજ્જૈનમાં મહાશિવરાત્રિનો પર્વ ખૂબ જ ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે. એવી માન્યતા છે કે મહાશિવ રાત્રિના પર્વ પર ભગવાન શિવ અને પર્વતીના લગ્ન થયા હતા.

મહાકાલેશ્વર મંદિર સમિતિના અધ્યક્ષ અને કલેક્ટર કુમાર પુરુષોત્તમે જણાવ્યું હતું કે ધાર્મિક નગરી ઉજ્જૈનમાં શિવ દિવાળી પર્વને લઈને મોટા પ્રમાણમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉજ્જૈનમાં શિવ દિવાળીને લઈને ખૂબ ઉત્સાહ છે. આ દિવસે મહાકાલેશ્વર મંદિર, રામઘાટ, દત્ત અખાડા ઘાટ, નરસિંહ ઘાટ, સોનેરી ઘાટ, મંગળનાથ મંદિર, કાળ ભૈરવ મંદિર, 84 મહાદેવ અને ઉજ્જૈનના ઘર મોટા પ્રમાણમાં દીવા સળગાવવામાં આવશે. જિલ્લા પ્રશાસન ઉજ્જૈન જ નહીં, પરંતુ આસપાસના જિલ્લાઓથી પણ 20 લાખ દીવા મંગાવ્યા છે.

આ આયોજનાને ‘શિવ જ્યોતિ અર્પણમ’ નામ આપવામાં આવ્યું છે. આ આયોજનમાં સામેલ થવા માટે મહાશિવરાત્રિ પર મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ આવશે. ઉજ્જૈનના કલેક્ટર કુમાર પુરુષોત્તમે જણાવ્યું હતું કે, આમ તો અયોધ્યાથી કોઈ પ્રતિસ્પર્ધા નથી, પરંતુ ગયા વર્ષે ઉજ્જૈનમાં 11 લાખ 75 હજાર દીવા સળગાવવામાં આવ્યા હતા. તેની તુલનામાં અયોધ્યામાં 15 લાખ 75 હજાર દીવા સળગાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ વખત મહાશિવરાત્રિના પાવન પર્વ પર ઉજ્જૈનમાં 21 લાખ દીવા સળગાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

આ લક્ષ્યમાં સફળતા મળતા જ ઉજ્જૈનનું નામ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ જશે. મ્યુનિસિપલ કમિશનર રોશન સિંહે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશાન મતથી રકમ ખર્ચ કરવામાં આવી રહી છે. એ સિવાય મહાકાલેશ્વર મંદિર સમિતિ તરફથી પણ સહયોગ કરવામાં આવી રહ્યો છે. આ આયોજન પર એક અનુમાન મુજબ, 4-5 કરોડ રૂપિયાની રકમ ખર્ચ થઈ રહી છે. કહેવામાં આવે છે કે આ આયોજનને લઈને અયોધ્યામાં 20 કરોડની રકમ ખર્ચ કરવામાં આવી હતી. તેની તુલનામાં ઉજ્જૈનમાં ઘણી રકમ ખર્ચ કરવામાં આવી ચૂકી છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.