BR ચોપરાએ 33 વર્ષ પહેલા આટલા રૂપિયામાં ‘મહાભારત’ બનાવેલી, આટલી સંપત્તિ છોડી ગયા

મહાકાવ્ય ‘મહાભારત’ની કથાને ટી વી પર આબેહુબ ચિત્રણ કરનાર બી. આર. ચોપરાએ એ જમાનામા ધારાવાહિક બનાવી હતી જ્યારે કોઇ આધુનિક ટેકનોલોજી પણ નહોતી. ચોપરાએ 1980માં 9 કરોડ રૂપિયામાં મહાભારત બનાવી હતી.પાંડવોના વનવાસ, કુરુક્ષેત્રનું યુદ્ધ અને કૃષ્ણનો અર્જૂનને ગીતાસાર આ બધું જ ચોપરાએ મહાભરત ધારાવાહિકમાં બતાવ્યું હતું. જાણો. તેઓ પરિવાર પાછળ કેટલાં રૂપિયાની સંપત્તિ છોડીને ગયા હતા.

દિવંગત બલદેવ રાજ ચોપરા ઉર્ફે બી.આર.ચોપરાનું સિનેમા પત્રકારથી માંડીને જાણીતા નિર્માતા અને ફિલ્મ નિર્દેશક તરીકે સફર ખાસ્સી દિલચસ્પ રહી હતી. તેમની ફિલ્મ નયા દોર, કાનૂન, વક્ત, હમરાજની સાથે સાથે તેમને 80ના દશકમાં ટીવી ધારાવાહિક મહાભારત માટે ખાસ ઓળખવામાં આવે છે. બી. આર.ચોપરા વર્ષ 2008માં દુનિયાને અલવીદા કહી ગયા હતા, પરંતુ આજે પણ લોકો તેમના કામને યાદ કરે છે.

80ના દશકમાં ટીવી પર મહાભારતને આટલું સારી રીતે દર્શાવવું આસાન નહોતુ, પરંતુ પોતાના કલાકારો અને ચિત્રણ દ્રારા બી. આર. ચોપરાએ આ કરી બતાવ્યું હતું. એ જમાનમા જ્યારે VFS  કે ગ્રાફીક્સ જેવી કોઇ ટેક્નોલોજી નહોતી, આમ છતા બી.આર.ચોપરાએ મહાભારત સિરીયલમાં કમાલ કરી હતી.

મીડિયા રિપોર્ટસમાં જણાવ્યા મુજબ 80ના દાયકામાં જ્યારે બી.આર. ચોપરાએ મહાભારત બનાવી હતી ત્યારે 9 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ ધારાવાહિકમાં નિતીષ ભારદ્વાજે કૃષ્ણમી ભૂમિકા નિભાવી હતી. ઉપરાંત રૂપા ગાંગુલીએ દ્રોપદીની, મુકેશ ખન્નાએ ભીષ્મની ભૂમિકા અદા કરી હતી. સાથે પુનીત ઇસ્સાર, પંકજ ધીર, ગજેન્દ્ર ચૌહાણ,ગુફી પેન્ટલ, સુમીત રાઘવન જેવા કલાકારોએ ઉત્કૃષ્ટ અભિનય કર્યા હતા.

મહાભારત ધારાવાહિકમાં દ્રોપદીનો રોલ રૂપા ગાંગુલીએ નિભાવ્યો હતો, પરંતુ એવું કહેવામાં આવ્યું હતું કે બી.આર.ચોપરા આ રોલ બોલિવુડ અભિનેત્રી જૂહી ચાવલાને આપવા માંગતા હતા. જૂહીને રોલ પણ ઓફર કરવામાં આવ્યો હતો. પરંતુ ફિલ્મ કયામતસે કયામતમાં જૂહી વ્યસ્ત હોવાને કારણે તે રોલ સ્વીકારી શકી નહોતી. ઉપરાંત અજૂર્નનો રોલમાં જે કી શ્રોફને સાઇન કરવા માંગતા હતા, પરંતુ એ શક્ય બન્યુ નહોતું.

પોતાની ફિલ્મો અને મહાભારત સિરિયલ માટે બી.આર. ચોપરાને 1998માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એ પછી વર્ષ 2001માં તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.5 નવેમ્બર, 2008ના દિવસે બી. આર. ચોપરા આ ફાની દુનિયા છોડી ગયા હતા. પરંતુ તેઓ તેમની પાછળ કરોડો રૂપિયાની સંપત્તિ છોડીને ગયા હતા.

બી. આર. ચોપરાનો મુંબઇના જૂહુ વિસ્તારમાં એક આલીશાન બંગલો હતો જેને તાજેતરમાં 183 કરોડ રૂપિયામાં વેચી દેવામાં આવ્યો છે. આ બંગલો 25,000 સ્કવેર ફટ વિસ્તારમાં ફેલાયેલો છે અને તેને રહેજા કોર્પોરેશને ખરીદી લીધો છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.