રિલિફ ફંડમાં આમીર ખાને 25 લાખ દાન કરી દીધા પણ કંગના કહે છે મારા 5 લાખ જ થાય છે

હિમાચલ પ્રદેશ આપત્તિ રિલિફ ફંડમાં ઓનલાઇન ડૉનેશનમાં પરેશાની આવવા પર બૉલિવુડ ક્વીન કંગના રણૌત હિમાચલની સરકાર પર ગુસ્સે થઈ ગઈ. કંગના રણૌતે સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર પર પ્રહાર કર્યો અને કહ્યું કે, એ શરમની વાત છે કે સરકારથી આપત્તિનું સંચાલન પણ સંભાળી શકાતું નથી. જો કે, કંગના રણૌતે ઓનલાઇન ટ્રાન્ઝેક્શનમાં માધ્યમથી 5 લાખ રૂપિયા જરૂર દાન કર્યા, પરંતુ તે તેનાથી વધારે રકમ દાન આપવા માગતી હતી, જે ટ્રાન્સફર ન થઈ શકી.

કંગના રણૌતને કયા કારણે પરેશાની આવી, એ તો તે જ કહી શકે છે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે એ ટેક્નિકલી સમસ્યાના કારણે એમ થયું કેમ કે એ અગાઉ પણ ઘણા લોકોએ 10 લાખ રૂપિયાથી વધુનું દાન ઓનલાઇન જ આપ્યું છે. હિમાચલ આપત્તિ રાહતને સંભાળનાર વિભાગના એક અધિકારીને જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, બોલિવુડ એક્ટર આમીર ખાને પણ ઓનલાઇન જ દાન આપ્યું છે. તેણે 25 લાખ રૂપિયાની રકમ જમા કરાવી છે.

આ પ્રકારે ઘણા અન્ય લોકોએ પણ 10 લાખ રૂપિયા કરતા વધુની રકમ રિલિફ ફંડમાં આપી છે અને તેમને કોઈ પરેશાની ન થઈ, પરંતુ કંગનાને શું પરેશાની થઈ એ જાણકારી નથી. કંગના રણૌતે ગત સાંજે સોશિયલ મીડિયા પર કોંગ્રેસ સરકાર પર પ્રહાર કર્યો અને પોતાના CA સાથેના સ્ક્રીન શૉટ પણ શેર કર્યા. કંગના રણૌતે કહ્યું કે, તેમણે આપત્તિ કોષમાં દાન આપવા માટે 50-60 પ્રયાસ કર્યા, પરંતુ 5 લાખ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર ન થઈ.

કંગના રણૌતે પોતાના CA સાથે થયેલી વાતચીત પણ શેર કરી, જેમાં CAએ કહ્યું કે, 10 લાખની રકમ ટ્રાન્સફર થઈ રહી નથી. ઉલ્લેખનીય છે કે હાલમાં જ બૉલિવુડ એક્ટર આમીર ખાને હિમાચલ પૂર પીડિતો માટે આપત્તિ રિલિફ ફંડમાં 25 લાખ રૂપિયા દાન કર્યા હતા. ત્યારબાદ સતત કંગના રણૌત, અનુપમ ખેર, યામી ગૌતમ સહિત હિમાચલ સાથે સંબંધ રાખનારા બોલિવુડ સ્ટાર્સ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા કે આમીર ખાન મદદ કરી રહ્યો છે તો પછી આ સ્ટાર ક્યાં ગુમ છે. નોંધનીય છે કે, કંગના રણૌત મૂળ મંડી જિલ્લાના ભાંબલાની રહેવાસી છે. તેણે કુલ્લૂમાં આલીશાન ઘર બનાવ્યું છે, જ્યાં તે મોટા ભાગે જતી રહે છે.

About The Author

Top News

ગુજરાતીઓએ ઝાડ નીચે ભેગા થઇને શરૂ કરેલું BSE 150 વર્ષનું થયું

જયાં રોજના અબજો રૂપિયાના સોદા થાય છે અને જેને દેશના અર્થતંત્રની ધરી કહેવામાં આવે છે તેવું બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (...
Business 
ગુજરાતીઓએ ઝાડ નીચે ભેગા થઇને શરૂ કરેલું BSE 150 વર્ષનું થયું

બિહાર પછી હવે મધ્ય પ્રદેશમાં મતદાર યાદીને લઈને થયો રાજકીય હોબાળો, MPમાં 50થી વધુ મતદારો ધરાવતા 779 ઘર..

બિહાર પછી હવે મધ્યપ્રદેશમાં પણ નગર પાલિકા અને પંચાયતની મતદાર યાદીમાં છેતરપિંડીની શક્યતાને કારણે રાજકીય ગરમી વધી ગઈ છે. રાજ્ય...
National 
બિહાર પછી હવે મધ્ય પ્રદેશમાં મતદાર યાદીને લઈને થયો રાજકીય હોબાળો, MPમાં 50થી વધુ મતદારો ધરાવતા 779 ઘર..

ચૈતર વસાવાને હજુ ક્યાં સુધી જેલમાં રહેવું પડશે?

આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવીની મુશ્કેલી વધી શકે છે. 5 જુલાઇએ નર્મદા જિલ્લામાં સંકલન બેઠક મળી હતી જેમાં...
Gujarat 
ચૈતર વસાવાને હજુ ક્યાં સુધી જેલમાં રહેવું પડશે?

‘પેગ, બાઇટિંગ અને કારમાં..’, ગ્રામજનોએ TMC નેતા અને BJPના મહિલા નેતાને દા*રૂ પીતા પકડ્યા

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં મોડી રાત્રે કારમાં 2 અલગ-અલગ રાજનીતિક પાર્ટીઓના નેતાઓ દ્વારા દારૂની પાર્ટી કરવાની વાત સામે આવતા વિવાદ છેડાઈ...
National  Politics 
‘પેગ, બાઇટિંગ અને કારમાં..’, ગ્રામજનોએ TMC નેતા અને BJPના મહિલા નેતાને દા*રૂ પીતા પકડ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.