મનોજે રાહુલને આપી સલાહ- તમારી તુલના નાના-મોટા ગુનેગારો સાથે કરો સાવરકર સાથે નહીં

રાહુલ ગાંધીની લોકસભામાંથી સભ્યતા રદ્દ થાય બાદ 25 માર્ચના રોજ એક પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર પર પ્રહાર કર્યો હતો. આ દરમિયાન તેમને પત્રકારોએ માફી માગવા પર સવાલ પૂછ્યો તો તેમણે કહ્યું કે, મારું નામ રાહુલ ગાંધી છે, સાવરકર નહીં. સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીના આ નિવેદનની ખૂબ ચર્ચા થઇ રહી છે અને લોકો તેના પર પોત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે ગીતકાર મનોજ મુંતશીરે રાહુલ ગાંધીના આ નિવેદનને લઇને પલટવાર કર્યો છે.

રાહુલ ગાંધીના સાવરકરવાળા નિવેદન પર મનોજ મુંતશીરે કહ્યું કે, જ્યાં સુધી અનાવશ્યક રૂપે સાવરકરનું નામ ન લેવામાં આવ્યું, હું એ વિષય પર ચૂપ રહ્યો, પરંતુ હવે કહેવું પડશે કે યુવરાજ એક વખત દેશપ્રેમ માટે કાળા પાણી જાઓ. કોલ્હુમાં બળદની જેમ બુટ, 2 કટોરા પાણીમાં આખો દિવસ વિતાવો જેલની દીવાલો પર મા ભારતીની સ્તુતિમાં 6 હજાર કવિતાઓ લખો, પછી સાવરકર પર ટિપ્પણી કરજો. પોતાની તુલના કરવી છે તો કોઇ નાના મોટા ગુનેગાર સાથે કરો, તેની સાથે નહીં જે ભારત ભક્તિનો ગુનો કરીને ધન્ય થઇ ગયા હોય.

મનોજ મુંતશીરની આ ટ્વીટ પર તમામ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસ સેવા દળ તરફથી લખવામાં આવ્યું કે, સાવરકરે અંગ્રેજોને માફીનામું લખીને જેલથી છોડવા મજબૂર કરી દીધા હતા. હકીકત તમે પણ જાણો છો, સાવરકરે કાળાપાણીમાં રહીને રાજનૈતિક બંદીઓથી દુરીઓ બનાવી લીધી હતી અને તેમણે કોઇ આંદોલનમાં સાથ આપ્યો નહોતો. ગૌરવ ગૌર નામના યુઝરે લખ્યું કે, તેના પર એક લાંબી ચર્ચા થવી જોઇએ કે આખરે સારું શું છે?

પ્રેસ કોન્ફરન્સ ન કરવું કે પછી સુવિધાજનક અને મેનેજ્ડ સવાલો સાથે રોજ પ્રેસ સામે બેસી જવાનું અને એક પણ અસહજ સવાલ મળતા જ ઉશ્કેરાઇને બહાર થઇ જવું, આ નિર્ણય જનતાએ કરવો જોઇએ. એક યુઝરે લખ્યું કે, કેમ બધા મહારાષ્ટ્રના લોકો ચૂપ છે? રાહુલજી પોતાના મહારાષ્ટ્રના સ્વતંત્રતા સેનાનીઓ અને નેતાઓનું ખુલ્લેઆમ અપમાન કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર રાહુલ ગાંધી પર ચૂપ કેમ છે? તેઓ માત્ર ભારતના નાગરિક છે, જેને અન્ય દોષીની જેમ કરવામાં આવેલા ગુના માટે સજા મળશે. એક યુઝરે લખ્યું કે, વડાપ્રધાન તાનાશાહની જેમ વર્તન કરી રહ્યા છે, રાહુલ ગાંધીને કળાપાણી મોકલી આપો, છતા તેઓ સાવરકરજીની જેમ માફી નહીં માગે.

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.