રણબીર-આલિયાના લગ્ન અંગે નીતૂ કપૂરે કહ્યું- લગ્ન ખૂબ જ ઉતાવળમાં થયા જેને કારણે...

14 એપ્રિલના રોજ રણવીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટના (Alia Bhatt) લગ્ન થયા હતા. જેની ચર્ચા ખૂબ જ થઈ. પરિવારના સભ્યો અને એકદમ નજદીકના લોકોની વચ્ચે થયેલા આ લગ્ન પછી જ્યારે રણબીર અને આલિયા પહેલીવાર મીડિયાની સામે આવ્યા તો તેમને જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આ લગ્ન માટે આલિયાએ (Alia Bhatt) ખૂબ જ સિમ્પલ લૂક રાખ્યું હતું, જ્યારે રણબીર કપૂર (Ranbir Kapoor) પણ શેરવાનીમાં ખુબ જ સુંદર લાગી રહ્યો હતો. પરંતુ સૌથી વધુ જો કોઈ ખુશ હતું તો તે હતી નીતૂ કપૂર (Neetu Kapoo). હવે લગ્નના ઘણા મહિનાઓ પછી નીતૂ કપૂરે (Neetu Kapoo) આ લગ્નને લઈને પોતાના દિલની લાગણીઓ જણાવી છે.

શું બોલી નીતૂ કપૂર

એક ન્યૂઝ રિપોર્ટ મુજબ, નીતૂ કપૂરે (Neetu Kapoo) કહ્યું કે લગ્ન ખૂબ જ ઉતાવળમાં થયા, જેને કારણે તેમને વધુ તૈયારીઓ કરવાનો સમય જ નહીં મળ્યો. પરંતુ તેમના જણાવ્યા મુજબ જો બધું જ તેમના પર છોડી દેવામાં આવ્યું હોત તો તેઓ આ લગ્નને હજી વધુ ઉત્સાહથી કર્યા હોત અને દરેકને લગ્નમાં આમંત્રિત કર્યા હોત. વાસ્તવમાં, આ લગ્નમાં ફક્ત નજદીકના લોકો અને પરિવારના સભ્યોને જ બોલાવવામાં આવ્યા હતા. જ્યારે લગ્ન પછી થયેલી પાર્ટીમાં પણ આલિયા અને રણવીરે પાર્ટી પોતાના ઘરે જ રાખી હતી.

હવે નીતૂ કપૂરે કરશે સ્પેશિયલ રિસેપ્શન

જી હાં... રિપોર્ટ મુજબ નીતૂ કપૂરે (Neetu Kapoo) એ પણ જણાવ્યું કે, તેઓ પેપરાજીઓ માટે એક ખાસ રિસેપ્શન પણ રાખશે, કારણકે પેપરાજીઓએ આલિયા અને રણવીરના લગ્નનું રીસેપ્શન ન થવાની ફરિયાદ કરી છે. નીતૂ કપૂરના (Neetu Kapoo) જણાવ્યા મુજબ પેપરાજીઓ રિસેપ્શન નહીં થવાના કારણે ખૂબ જ નિરાશ છે અને તે કોઈને નિરાશ જોઈ શકતી નથી.

પાંચ વર્ષ સુધી એકબીજાને કર્યા  ડેટ

આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂરે (Ranbir Kapoor) એકબીજાને પાંચ વર્ષ સુધી ડેટ કર્યા. બંનેના પ્રેમની શરૂઆત બ્રહ્માસ્ત્રના શૂટિંગ દરમિયાન થઇ હતી. તેઓનો સંબંધ પાંચ વર્ષ સુધી ચાલ્યો, ત્યાર પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.